Uric Acid: શું તમારા શરીરમાં પણ વધી ગયુ છે યૂરિક એસિડ, જાણો તેનું કારણ

|

Jul 11, 2023 | 4:16 PM

ચિંતાની વાત એ છે કે હવે 30થી 40 વર્ષની ઉંમરમાં પણ યુરિક એસિડ વધવાના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ખરાબ ખાવાની આદતો તેનું મુખ્ય કારણ છે. આવી સ્થિતિમાં ખાણીપીણીની આદતો પર ધ્યાન આપવાની જરૂર છે.

Uric Acid: શું તમારા શરીરમાં પણ વધી ગયુ છે યૂરિક એસિડ, જાણો તેનું કારણ

Follow us on

Health News: જો તમારા શરીરમાં યુરિક એસિડ (Uric Acid) વધે છે તો તે ઘણા રોગોનું કારણ બને છે. જેના કારણે આર્થરાઈટિસ, ત્વચાની લાલાશ, સાંધામાં દુખાવો અને ગાઉટની સમસ્યા શરૂ થઈ જાય છે. તેથી યુરિક એસિડને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. જો તેને સમયસર નિયંત્રિત ન કરવામાં આવે તો તે સંધિવા તરફ દોરી જાય છે. ચાલો પહેલા જાણીએ કે યુરિક એસિડ શું છે અને તે શા માટે વધે છે.

વરિષ્ઠ ચિકિત્સક ડૉ. કવલજીત સિંહના જણાવ્યા મુજબ જ્યારે કિડનીની ફિલ્ટરિંગ ક્ષમતા ઘટી જાય છે, ત્યારે યુરિયા એસિડના રૂપમાં આપણા હાડકાંની વચ્ચેની સપાટી પર ભેગુ થવા લાગે છે. જેના કારણે ગાઉટની સમસ્યા થાય છે. જેના કારણે શરીરના સ્નાયુઓમાં સોજો આવી જાય છે. જેથી શરીરમાં દુખાવો રહે છે. આ દુખાવો ગરદન, ઘૂંટણ અને પગની ઘૂંટીમાં થાય છે. કેટલાક લોકોની ત્વચા પણ લાલ થવા લાગે છે. થાકની સમસ્યા પણ થઈ શકે છે.

આ પણ વાંચો: Monsoon Diseases: ચોમાસાની સિઝનમાં ડોક્ટરની આ ટિપ્સને અનુસરો, નહીં પડો બીમાર

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

ચિંતાની વાત એ છે કે હવે 30થી 40 વર્ષની ઉંમરમાં પણ યુરિક એસિડ વધવાના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ખરાબ ખાવાની આદતો તેનું મુખ્ય કારણ છે. આવી સ્થિતિમાં ખાણીપીણીની આદતો પર ધ્યાન આપવાની જરૂર છે.

યુરિક એસિડ વધવાના શું છે કારણો?

  1. ખરાબ આહાર
  2. ખરાબ જીવનશૈલી
  3. ડાયાબિટીસની દવાઓ લેવી
  4. રેડ મીટ અને સી ફૂડનું વધારે પડતુ સેવન
  5. ખૂબ જ કસરત કરવી

યુરિક એસિડને કેવી રીતે નિયંત્રિત કરવું

આ માટે તમારે તમારા આહારમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. ડોકટરોના મતે યુરિક એસિડ ઘટાડવા માટે આહારમાં ફાઈબરનો સમાવેશ કરવો જરૂરી છે. તમારા આહારામાં ફાઈબર માટે લીલા શાકભાજી, આખા અનાજ અને ઓટ્સનો સમાવેશ કરી શકાય છે. આ સિવાય એ જરૂરી છે કે તમે બિનજરૂરી રીતે દવાઓ ન લો. જો ડોકટરોએ થોડા દિવસો માટે દવા લખી હોય તો તે સમય માટે જ લો. યોગ્ય અને સંતુલિત આહાર લેવો અને રેડ મીટનું વધારે પડતું સેવન ન કરવુ.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article