AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thankyou Doctor: નેશનલ ડોક્ટર્સ ડે કોન્ક્લેવમાં ડોક્ટરોએ શેર કર્યા વિચાર, કહ્યું- ભારત બની રહ્યું છે મેડિકલ હબ

Thankyou Doctor: TV9 ગ્રુપ દ્વારા રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે "નેશનલ ડોક્ટર્સ ડે કોન્ક્લેવ"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશના ઘણા ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 9 સત્રો હતા જેમાં ડોક્ટરોએ વિવિધ વિષયો પર તેમના મંતવ્યો રજૂ કર્યા હતા.

Thankyou Doctor: નેશનલ ડોક્ટર્સ ડે કોન્ક્લેવમાં ડોક્ટરોએ શેર કર્યા વિચાર, કહ્યું- ભારત બની રહ્યું છે મેડિકલ હબ
TV9 Group National Doctors Day Conclave
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 3:51 PM
Share

New Delhi: TV9 ગ્રૂપે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ 2023 નિમિત્તે દિલ્હીમાં “નેશનલ ડોક્ટર્સ ડે કોન્ક્લેવ”નું આયોજન કર્યું હતું. આ દરમિયાન આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ ડોક્ટર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવમાં ડોકટરો અને ફાર્મા નિષ્ણાતો સાથે ઘણા સત્રો યોજાયા હતા. જેમાં તેમણે તેમના જીવનનો અનુભવ, આરોગ્ય ક્ષેત્રની નવી ટેકનોલોજી, આરોગ્ય ક્ષેત્રે પડકારો સહિત અનેક વિષયો પર અભિપ્રાય આપ્યા હતા. તમામ ડોકટરોએ એક અવાજે કહ્યું કે ભારત હવે ટેક્નોલોજી અને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ ઘણો આગળ વધી ગયો છે. દેશ ભવિષ્યમાં કોઈપણ સ્વાસ્થ્ય ઈમરજન્સી માટે તૈયાર છે.

TV9ના આ હેલ્થ કોન્ક્લેવના પ્રથમ સત્રની શરૂઆત દિલ્હીના આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ સાથેની વાતચીતથી થઈ હતી. આ દરમિયાન તેમણે કોરોના સમયગાળા દરમિયાન સામનો કરવામાં આવેલા પડકારોને યાદ કર્યા હતા. સૌરભ ભારદ્વાજે કહ્યું કે, કોરોના આવ્યો ત્યારે હોસ્પિટલોમાં ટેસ્ટિંગ કીટ અને બેડની અછત હતી. ત્યારબાદ ઓક્સિજન સપ્લાયની સમસ્યા પણ સર્જાઈ હતી.

પરંતુ કોવિડ બાદ સરકારે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણો વધારો કર્યો છે. કોવિડના સમયે સરકારી હોસ્પિટલોમાં લગભગ 12,400 બેડ હતા, જેની સંખ્યા 2024 સુધીમાં બમણી થઈ જશે. દિલ્હીમાં દેશનું સૌથી મોટું ટ્રોમા સેન્ટર પણ 2024 સુધીમાં તૈયાર થઈ જશે. હવે દિલ્હી સરકાર કોવિડ જેવી કોઈપણ મહામારીનો સામનો કરવા માટે તૈયાર છે.

સારા સ્વાસ્થ્ય માટે જીવનશૈલી યોગ્ય રાખો

હેલ્થ કોન્ક્લેવના બીજા સત્રમાં મેંદાતા હોસ્પિટલના ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર ટ્રાન્સપ્લાન્ટેશન એન્ડ રિજનરેટિવ મેડિસિનના ચેરમેન ડો. અરવિંદર સિંહે તેમના વિચારો રજૂ કર્યા હતા. તેમણે લીવરના સ્વાસ્થ્ય અંગે લોકોને જાગૃત કર્યા હતા. ડો. સિંહે જણાવ્યું કે આજકાલ જીવનશૈલી અને ખોટા આહારના કારણે લીવર સંબંધિત બીમારીઓ વધી રહી છે. આવી સ્થિતિમાં લોકોએ તેમની દિનચર્યાને ઠીક કરવાની જરૂર છે. જો લીવર ફિટ રહેશે તો શરીરમાં ઘણી બીમારીઓનું જોખમ ઓછું થઈ જશે.

આ સત્રમાં એપોલો હોસ્પિટલના સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ઓર્થોપેડિક સર્જન ડો.યશ ગુલાટીએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે ખાનગી હોસ્પિટલોની જેમ ગ્રામીણ વિસ્તારોની સરકારી હોસ્પિટલોમાં પણ સારી સારવારની સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ. આ માટે તમામ સ્તરે કામ કરવું પડશે. ગ્રામીણ વિસ્તારોમાં સુવિધાઓ વધવાથી શહેરોને હોસ્પિટલોમાં દર્દીઓનો ભાર ઓછો કરવામાં મદદ મળશે.

ભારત મેડિકલ ટુરિઝમનું હબ બન્યું

નેશનલ ડોકટર્સ ડે કોન્ક્લેવના ત્રીજા સત્રમાં આરોગ્ય ક્ષેત્રે પડકારો અને નવી તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. હેલ્થ સેક્ટરમાં પડકારો પર ડોક્ટરોએ કહ્યું કે આજકાલ ડોક્ટરો સામે હિંસાની ઘટનાઓ વધી રહી છે. આવી સ્થિતિમાં ડોકટરો અને દર્દીઓ વચ્ચે વિશ્વાસ વધારવાની જરૂર છે. આ સાથે સરકારી હોસ્પિટલોની સંખ્યા પણ વધારવાની જરૂર છે.

આરોગ્ય ક્ષેત્રે નવી તકો અંગે એઈમ્સના ડો.સંજય રાયે જણાવ્યું હતું કે ભારત મેડિકલ ટુરિઝમનું હબ બની ગયું છે. દેશ 100 થી વધુ દેશોમાં HIV ની દવા અને 170 થી વધુ દેશોમાં વિવિધ રોગો માટેની રસીઓની નિકાસ કરે છે. ઘણા દેશોમાંથી દર્દીઓ સારવાર માટે ભારત આવે છે. અન્ય દેશોની સરખામણીએ અહીં આરોગ્ય સેવાઓ સસ્તી છે.

National Doctors day Conclave

(નેશનલ ડોકટર્સ ડે કોન્ક્લેવમાં દીપ પ્રાગટ્ય)

કોઈપણ નવી મહામારીનો સામનો કરવા માટે તૈયાર

કાર્યક્રમના ચોથા સત્રમાં “શું ભારત નવા જાહેર આરોગ્ય સંકટનો સામનો કરવા માટે તૈયાર છે?” આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.

આ સત્રમાં ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ (IM)ના પ્રમુખ ડો. શરદ કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે કોવિડ દરમિયાન દેશના 2 હજાર ડોક્ટરોએ દર્દીઓની સેવા કરતા પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. ડોક્ટરોના કારણે દેશ આટલી મોટી મહામારીનો સામનો કરી શક્યો. કોવિડ દરમિયાન ડોક્ટરોએ દિવસ-રાત દર્દીઓની સેવા કરી હતી. આ સમયગાળા દરમિયાન હજારો ડોકટરોને પણ ચેપ લાગ્યો હતો. પરંતુ તેની ચિંતા વગર દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.

ડો.શરદે કહ્યું કે હવે દેશમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અનેકગણું વધી ગયું છે. હોસ્પિટલોમાં બેડ વધી ગયા છે અને નવા મશીનો આવ્યા છે. મોટાભાગની હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં કોઈ નવી મહામારીને લઈને ગભરાવાની જરૂર નથી. દેશ કોવિડ જેવી અન્ય કોઈપણ મહામારીનો સામનો કરવા તૈયાર છે.

DGFના જનરલ સેક્રેટરી ડો. શારદા જૈને કહ્યું કે કોરોનાનો સમય ખૂબ જ પડકારજનક હતો, કોવિડ દરમિયાન ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફે ખંત અને મહેનતથી કામ કર્યું હતું. તે દરમિયાન તબીબોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં તેઓ પોતાની ફરજ નિભાવતા રહ્યા. કોવિડમાં ડોકટરો દ્વારા લાખો દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.

ભારતે જે રીતે કોવિડ મહામારીનો સામનો કર્યો, તેની આખી દુનિયાએ પ્રશંસા કરી. કોવિડ બાદ હવે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણો વધારો થયો છે. હવે કોઈપણ નવા રોગચાળાનો સામનો સરળતાથી કરી શકાય છે.

દર્દીઓને પ્રાથમિકતા આપવી જરૂરી

હેલ્થ કોન્ક્લેવના પાંચમા સત્રમાં, “વન્ડર વુમન-મેનેજિંગ વર્ક લાઈફ બેલેન્સ” વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ડો.સુશીલા (સ્ત્રીરોગ નિષ્ણાત), ડો.રશ્મિ ગુપ્તા, ડો.ઇલા ગુપ્તા (ક્લાઉડ 9 હોસ્પિટલ) ડો.શ્વેતા ગર્ગે ભાગ લીધો હતો. જેમાં મહિલાઓના જીવનમાં કામ અને પરિવાર વચ્ચે સંતુલન કેવી રીતે બનાવી શકાય તેની ચર્ચા કરવામાં આવી હતી.

ફેલિક્સ હોસ્પિટલના ડાયરેક્ટર અને બાળરોગ નિષ્ણાંત ડો.રશ્મિ ગુપ્તાએ જણાવ્યું હતું કે કેટલીકવાર ડોક્ટરોએ તેમના પરિવાર કરતાં દર્દીને વધુ પ્રાધાન્ય આપવું પડે છે. જો દર્દી ગંભીર સ્થિતિમાં હોય તો તેને સારવાર આપવી એ ડોક્ટરની ફરજ છે.

તેમણે ડોક્ટરનો વ્યવસાય પસંદ કર્યો હોવાથી તેને પરિપૂર્ણ કરવાની જવાબદારી પણ તેની છે. ઘણા કિસ્સામાં તો એવું પણ બન્યું છે કે તેમણે પોતાના બાળકની કોઈ સમસ્યાના સમયે પણ હોસ્પિટલમાં ઈમરજન્સીમાં દાખલ થયેલા બાળકની સારવાર કરી હોય. ડો.રશ્મિએ કહ્યું કે ડોકટરો માટે વર્ક લાઈફ બેલેન્સ જરૂરી છે, પરંતુ ડોકટર તરીકે દર્દીઓની સેવા કરવી એ તેમનો ધર્મ છે.

TV9 Doctors Day Conclave

(વન્ડર વુમન – મેનેજિંગ વર્ક લાઈફ બેલેન્સ વિષય પર ચર્ચા કરતા ડોક્ટર)

ડિજિટલાઇઝેશનથી આરોગ્ય ક્ષેત્રનું ચિત્ર બદલાયું

આ છઠ્ઠા સત્રમાં દેશના બદલાતા હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલાઈઝેશન પર ચર્ચા કરવામાં આવી હતી.

AGATSAના સ્થાપક રાહુલ રસ્તોગી, AGATSAના ડિરેક્ટર નેહા રસ્તોગી, Ameri Health Home Health care Asian Institute of Medical Sciences ના હેડ અને કન્સલ્ટન્ટ ડો. ચારુ દત્ત અરોરાએ સત્રમાં તેમના મંતવ્યો રજૂ કર્યા હતા. રાહુલ રસ્તોગીએ જણાવ્યું હતું કે આરોગ્યના ડિજીટલાઇઝેશનથી દર્દીઓને ઘણો ફાયદો મળી રહ્યો છે. આરોગ્યના ડિજીટલાઇઝેશનથી દર્દીઓના રેકોર્ડ રાખવાનું ખૂબ જ સરળ બની ગયું છે.

આ સત્રમાં ડો.ચારુ અરોરાએ જણાવ્યું હતું કે ડિજીટાઈઝેશન બાદ આરોગ્ય ક્ષેત્રમાં ઘણા ફેરફારો થયા છે. હવે ખોરાકની જેમ દવાઓ પણ ઘરઆંગણે ઉપલબ્ધ છે. આરોગ્યના ડિજીટલાઇઝેશનને કારણે દર્દીઓનો સમય પણ ઘણો બચી રહ્યો છે.

હવે દર્દી સરળતાથી તેના બીપી, હાર્ટ રેટની ગણતરી કરી શકે છે. જેનો રિપોર્ટ ઓનલાઈન ડોક્ટર પાસે જાય છે. હવે પેલિએટીવ કેરની સુવિધા પણ ઘરે બેઠા મળી શકશે. ડિજીટલાઇઝેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે પોસ્ટ સ્ટ્રોક રિહેબિલિટેશન કરવામાં આવી રહ્યું છે. હવે દર્દી ઈન્ટરનેટની મદદથી પોતાના સ્વાસ્થ્યનો ડેટા ડોક્ટરોને મોકલી શકશે. ભવિષ્યમાં, જટિલ સર્જરીઓ પણ AIની મદદથી સરળતાથી કરી શકાય છે.

TV9 Health Conclave

(TV9 ના હેલ્થ કોન્ક્લેવમાં તેમના વિચારો શેર કરતા ડોકટર્સ)

સમાજમાં ડોક્ટરોનું મોટું યોગદાન

હેલ્થ કોન્ક્લેવના સાતમા સત્રને ફેલિક્સ હોસ્પિટલના એમડી ડો.ડી.કે. ગુપ્તાએ સંબોધિત કર્યું હતું. ડો.ગુપ્તાએ જણાવ્યું હતું કે, તબીબોએ સમાજમાં મોટું યોગદાન આપ્યું છે. દેશમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધી રહ્યું છે. નવી સરકાર આવ્યા બાદ આરોગ્ય ક્ષેત્રે જીડીપીમાં નોંધપાત્ર વધારો થયો છે. પરંતુ અત્યારે આરોગ્ય ક્ષેત્રે અનેક પડકારો છે.

અત્યારે આરોગ્ય સેવાઓ શહેરી વિસ્તારોની જેમ ગ્રામીણ વિસ્તારોમાં સારી નથી. ગ્રામીણ વિસ્તારોમાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફની પણ અછત છે. આવી સ્થિતિમાં તેને સુધારવાની જરૂર છે. પીપીપી મોડલ અને હેલ્થ સેક્ટરમાં જીડીપી વધારીને તેને સુધારી શકાય છે.

મેડિકલ કોલેજોમાં અનેકગણો વધારો થયો

કાર્યક્રમના આઠમા સત્રમાં “નેક્સ્ટ ફ્રન્ટિયર ઈન હેલ્થ એજ્યુકેશન” વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં લોક નાયક હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.સુરેશ કુમાર, લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજના મેડિકલ ડિરેક્ટર ડો.સુભાષ ગિરી અને ડેન્ટલ સર્જન ડો.અનિલ કોહલીએ ભાગ લીધો હતો. તમામ નિષ્ણાતોએ તબીબી શિક્ષણના વિવિધ પાસાઓ પર વાત કરી હતી.

ડો.સુભાષે જણાવ્યું હતું કે વિદેશ કરતાં ભારતમાં મેડિકલ અભ્યાસમાં વધુ સ્પર્ધા છે. વિદેશમાં મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવું સરળ છે. જ્યારે ભારતમાં, પરીક્ષામાં 90% થી વધુ માર્ક્સ મેળવ્યા પછી જ વ્યક્તિ સારી કોલેજમાં પ્રવેશ મેળવે છે. ડો.સુભાષે કહ્યું કે હવે દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા બે ગણી વધી ગઈ છે. દર વર્ષે લાખો બાળકો MBBSની પરીક્ષા પાસ કરે છે.

 TV9 Conclave on national doctors day

(હેલ્થ કોન્ક્લેવમાં કેન્સરની બીમારી અંગે મંતવ્યો શેર કરતા ડોકટર્સ)

કેન્સરની સારવાર શક્ય

હેલ્થ કોન્કલેવના છેલ્લા સત્રમાં કેન્સરના દર્દીઓની સારવાર અને કાળજી વિશે ચર્ચા કરવામાં આવી હતી. ડો. પ્રશાંત નાગ, TATA 1mg/ (ડાયગ્નોસ્ટિક) ના વાઈસ પ્રેસિડેન્ટ ડો.પ્રશાંત નગ, કેન્સર સર્જન ડો. અંશુમન કુમાર, કેન્સર વિશેષજ્ઞ ડો. રજિત ચનાના, ડો. સમીર ભાટી અને ડો. અનિલ ઠકવાણીએ આ સત્રમાં ભાગ લીધો હતો.

આ દરમિયાન ડો.પ્રશાંતે જણાવ્યું હતું કે હવે ટેક્નોલોજીની મદદથી કેન્સરનું નિદાન પહેલા કરતા વધુ સરળ બની રહ્યું છે, જો કે કેન્સર જેવા રોગો વિશે હજુ પણ માહિતીનો ઘણો અભાવ છે. પરંતુ નવી ટેક્નોલોજીથી શરૂઆતના તબક્કામાં પણ રોગની ઓળખ થઈ રહી છે. પરંતુ હજુ પણ લોકોમાં કેન્સર વિશે જાગૃતિનો અભાવ છે.

તેમને ખબર નથી કે ઘણી ફાર્મા કંપનીઓ કેન્સરના દર્દીઓ માટે ઘણું કામ કરે છે અને દર્દીઓને મફત દવાઓ પણ આપે છે. ઘણા રાજ્યો કેન્સરની સારવાર માટે યોજનાઓ પણ ચલાવી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોએ કેન્સરના લક્ષણો અને તેની સંબંધિત સારવાર વિશે સંપૂર્ણ માહિતી મેળવવી જોઈએ.

Associate Sponsor: Agatsa, Felix Hospital, TATA 1mg/Labs

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">