AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajiv Dixit Health Tips: ઘૂંટણ, કમર, ખભાનો દુખાવો થશે ગાયબ, રાજીવ દીક્ષિતે જણાવ્યું શરીરનો દરેક દુખાવો થશે દુર, જુઓ Video

બ્રશ કે કોગળા કર્યા વિના ગરમ પાણી પીવાના ફાયદાઓ વિશે જાણીને તમે પણ ચોંકી જશો. તેથી, જો શક્ય હોય તો, તમે સવારે ઉઠીને સૌથી પહેલા એક ગ્લાસ વાસી પાણી પીવો અને પછી કોઈ અન્ય કામ કરો. જો તમે આ આદત અપનાવશો તો અનેક પ્રકારની બીમારીઓ પર નિયંત્રણ મેળવી શકાય છે.

Rajiv Dixit Health Tips: ઘૂંટણ, કમર, ખભાનો દુખાવો થશે ગાયબ, રાજીવ દીક્ષિતે જણાવ્યું શરીરનો દરેક દુખાવો થશે દુર, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2023 | 7:00 AM
Share

રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે, તેમના દ્વારા જણાવવામાં આવેલા આયુર્વેદિક ઉપચાર આજે પણ લોકોને દરેક બીમારીના ઘરેલું ઉપચાર જણાવે છે. પાણીને અમૃત કહેવામાં આવે છે, હકીકતમાં આ પૃથ્વી પર પાણીનો કોઈ વિકલ્પ નથી અને આપણું શરીર 70 ટકા પાણીથી બનેલું છે. પાણી શરીર માટે ખૂબ જ જરૂરી છે. પાણી આપણા શરીરને અનેક ખતરનાક રોગોથી બચાવે છે. પાણી આપણી ત્વચાને કોમળ અને ચમકદાર બનાવે છે.

આ પણ વાંચો: Rajiv Dixit Health Tips: શું તમે ખબર છે ઋતુ મુજબના વાસણમાં પાણી પીવાથી શરીરને થાય છે આ અદ્ભુત ફાયદા, રાજીવ દીક્ષિતે જણાવ્યું કઈ ઋતુમાં કયા વાસણમાં પાણી પીવું જોઈએ, જુઓ Video

જો તમે જાણતા હોઈ કે આપણે કયા સમયે, કેટલું પાણી પીવું જોઈએ, પાણી કેવી રીતે પીવું જોઈએ, તો આપણામાંથી કોઈએ સામાન્ય સંજોગોમાં ડૉક્ટર પાસે જવું પડતું નથી. જો તમે સતત 7 દિવસ સુધી સવારે ખાલી પેટે ગરમ પાણી પીશો તો તમને તેના ફાયદાઓ અનુભવવા લાગશે, જેના કારણે તમે તેને હંમેશા પીશો. તમારે ગરમ પાણી કેમ પીવું જોઈએ??

ઘણા ઘરોમાં, તમે જોશો કે લોકો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ માટે દવાઓનું સેવન કરે છે અને ઘણા ઉપાયો અજમાવતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓનો ઉકેલ માત્ર પાણીમાં જ છુપાયેલો છે. તમે માત્ર પાણી પીને તમારી જાતને સ્વસ્થ અને ઊર્જાવાન રાખી શકો છો.

અનેક પ્રકારની બીમારીઓ પર નિયંત્રણ મેળવી શકાય

બ્રશ કે કોગળા કર્યા વિના ગરમ પાણી પીવાના ફાયદાઓ વિશે જાણીને તમે પણ ચોંકી જશો. તેથી, જો શક્ય હોય તો, તમે સવારે ઉઠીને સૌથી પહેલા એક ગ્લાસ વાસી પાણી પીવો અને પછી કોઈ અન્ય કામ કરો. જો તમે આ આદત અપનાવશો તો અનેક પ્રકારની બીમારીઓ પર નિયંત્રણ મેળવી શકાય છે.

રાજીવ દીક્ષિતે જણાવ્યું કે 12 મહિના ગરમ પાણી પીવું જોઈએ, જો તમે 12 મહિના ગરમ પાણી પીશો તો હું તમને સ્ટેમ્પ પેપર પર લખીને આપું છું કે, તમારી જીંદગીમાં 103 પ્રકારના રોગ આવશે નહીં. જો સવારમાં ગરમ પાણી પીધુ તો જીંદગીભર તમે 103 રોગોથી બચી જશો, ગરમ પાણી સારૂ છે અને સવારમાં ગરમ પાણી પીવાની આદત પડી જાય તો વધારે સારૂ છે, ગરમ પાણી દરેકને ફાયદો પહોચાડે છે, આપણી જીભને આદત પડી ગઈ છે, થોડા દિવસ ખરાબ લાગશે પછી આદત પડી જશે.

જ્યારે આપણે ઠંડુ પાણી પીએ છીએ ત્યારે તેને શરીરમાં પચવા માટે ઓછામાં ઓછા 4 કલાક 40 મીનિટ લાગે છે. જ્યારે ગરમ પાણીને શરીરમાં પચવામાં 1 કલાક અને 40 મીનિટ જ લાગે છે. ગરમ પાણીથી ઠંડુ પાણી વીધારે સમય લે છે. જેને વાતની તકલીફ છે તેને માટે ગરમ પાણી ઔષધી છે. જેમને વાતના કારણે ઘુંટણમાં દુખાવો થાય છે, કમરમાં દુખાવો થાય છે, ખંભા દુખે છે, શ્વાસ ફુલાય તેમના માટે ગરમ પાણી દવા છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા  નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">