AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajiv Dixit Health Tips: શરીરમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, સલ્ફર કે ફોસ્ફરસ વગેરે જેવી ધાતુઓની નહીં થાય કમી, રાજીવ દીક્ષિતે જણાવ્યું જીવનમાં કરો ફક્ત નાનો બદલાવ, જુઓ Video

આજકાલ ઘણા બાળકોનો જન્મ સિઝેરિયન દ્વારા થઈ રહ્યો છે. તેનું કારણ એ છે કે તેમની માતાઓમાં આયર્ન અને કેલ્શિયમની ઉણપ છે અને આયર્ન અને કેલ્શિયમ વગર સીઝર વગર કોઈ બાળક જન્મી શકતું નથી

Rajiv Dixit Health Tips: શરીરમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, સલ્ફર કે ફોસ્ફરસ વગેરે જેવી ધાતુઓની નહીં થાય કમી, રાજીવ દીક્ષિતે જણાવ્યું જીવનમાં કરો ફક્ત નાનો બદલાવ, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 7:47 AM
Share

રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે, તેમના દ્વારા જણાવવામાં આવેલા આયુર્વેદિક ઉપચાર આજે પણ લોકોને દરેક બીમારીના ઘરેલું ઉપચાર જણાવે છે. આજે અમે તમારા માટે રાજીવ દીક્ષિત દ્વારા જણાવવામાં આવેલ માટીના વાસણના ફાયદા વિશે જણાવીશું. આજે અમે તમને જણાવીશું કે સામાન્ય માણસ માટે માટીના વાસણોના શું ફાયદા છે. શું તમે જાણો છો કે માટી તમામ સૂક્ષ્મ પોષકતત્વોની માતા છે અને વિશ્વના તમામ સૂક્ષ્મ પોષકતત્વો માત્ર માટીમાંથી જ પ્રાપ્ત થાય છે. જો તમને મેગ્નેશિયમ, કેલ્શિયમ, સલ્ફર કે ફોસ્ફરસ વગેરે જેવી ધાતુઓ જોઈતી હોય તો આ બધું તમને જમીનમાંથી જ મળશે.

આ પણ વાંચો: Rajiv Dixit Health Tips: શું તમે ખબર છે ઋતુ મુજબના વાસણમાં પાણી પીવાથી શરીરને થાય છે આ અદ્ભુત ફાયદા, રાજીવ દીક્ષિતે જણાવ્યું કઈ ઋતુમાં કયા વાસણમાં પાણી પીવું જોઈએ, જુઓ Video

લાખો વર્ષોથી જમીન(માટી) સૂર્યના તાપથી ગરમ ​​થઈ રહી છે. આટલું તપ તો કદાચ કોઈ મહાત્માએ પણ નહીં કર્યું હોય. પહેલાના સમયમાં લોકો પાણીનો સંગ્રહ કરવા માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા. જ્યારે આજકાલ ઘડાની જગ્યા રેફ્રિજરેટરે લઈ લીધી છે. એક સમય હતો જ્યારે લોકો પોતાના ઘરને સણગારવા માટે માટીના દીવાઓનો ઉપયોગ કરતા હતા અને હવે વિદેશી દીવા અને બલ્બ લેમ્પનું સ્થાન લઈ ચૂક્યા છે. આપણને લાગે છે કે આપણે આધુનિક બની રહ્યા છીએ. જ્યારે આપણે ધીમે ધીમે મૂર્ખની શ્રેણીમાં પ્રવેશી રહ્યા છીએ.

રાજીવ દીક્ષિતે જણાવ્યું કે જ્યારે તેઓ પંજાબ ગયા હતા ત્યારે તેઓ કેટલાક કુંભારોને મળ્યા હતા. જ્યારે તે કુંભારોને પૂછ્યું કે, તેઓ તેમની આજીવિકા કેવી રીતે ચલાવી રહ્યા છે? તો તેણે જવાબ આપ્યો કે ગરીબી તેમનો જીવ લઈ રહી છે. ત્યારે રાજીવ દીક્ષિતે કહ્યું કે જો તમારા આ ઘડા અને દીવા ફરીથી વેચવા લાગે તો શું થશે? તો કુંભારોનો જવાબ હતો કે તેમના માટે આનાથી મોટી ખુશીની વાત શું હોઈ શકે. પછી તેમણે કહ્યું કે તે પોતે તેમના વાસણોની મફતમાં જાહેરાત કરશે.

શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે

આજકાલ ઘણા બાળકોનો જન્મ સિઝેરિયન દ્વારા થઈ રહ્યો છે. તેનું કારણ એ છે કે તેમની માતાઓમાં આયર્ન અને કેલ્શિયમની ઉણપ છે અને આયર્ન અને કેલ્શિયમ વગર સીઝર વગર કોઈ બાળક જન્મી શકતું નથી. ગર્ભાવસ્થા દરમિયાન, હિમોગ્લોબિન લગભગ 8,9,7ની આસપાસ થઈ જાય છે. ખોરાકમાં આયર્ન ન મળવાથી અને કેલ્શિયમ ન મળવાને કારણે આ ઉણપ થાય છે. જેના કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે. તેથી જો તેણીએ થોડું સંતુલન કરવું હોય તો તે માત્ર માટી જ કરી શકે છે. જો આ ઉણપને દૂર કરવામાં ન આવે તો બાળકના જન્મ પછી માતા હંમેશા કમરનો દુખાવો, માથાનો દુખાવો વગેરે રોગોથી પીડાય છે. જેની સારવાર કોઈ ડોક્ટર કરી શકશે નહીં.

માટીના વાસણો વાપરવાથી આપણું સ્વાસ્થ્ય સારૂ રહે

રાજીવ દીક્ષિતે ત્રણ પ્રકારના તાવડી જોવા મળી છે, જેમાં એક કાળી માટીની તાવડી, બીજી લાલ માટીની તાવડી અને પીળી માટીની તાવડી. જ્યારે તેમણે કુંભારોને ત્રણેય વચ્ચેનો તફાવત પૂછ્યો ત્યારે તેઓએ કહ્યું કે કાળી માટીની તાવડી મકાઈની રોટલી માટે સારી છે, જ્યારે લાલ માટીની તાવડી ઘઉંન માટે અને પીળી માટીની તાવડી બાજરીની રોટલી માટે સારી છે. આપણા દેશના કુંભારો આપણા કરતા વધુ બુદ્ધિશાળી છે, જેઓ ભણ્યા વિના પણ માટીનું મહત્વ સારી રીતે સમજે છે. માટીના વાસણો વાપરવાથી આપણું સ્વાસ્થ્ય સારૂ રહે અને વર્ષો-વર્ષો સુધી ડૉક્ટર પાસે જવું ન પડે, દવાઓ લેવી ન પડે, તો આનાથી સારો સોદો કયો હોય?

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા  નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
Breaking News : “નાનકડી સામ્યાનું સ્વપ્ન દાદાએ કર્યું પૂરું!”
Breaking News : “નાનકડી સામ્યાનું સ્વપ્ન દાદાએ કર્યું પૂરું!”
ગુજરાતમાં માવઠાનો ખતરો : અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં માવઠાનો ખતરો : અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
મુંબઈમાં પહેલીવાર બનશે ભાજપના મેયર, શિદે જૂથને મળ્યુ ડેપ્યુટી મેયર પદ
મુંબઈમાં પહેલીવાર બનશે ભાજપના મેયર, શિદે જૂથને મળ્યુ ડેપ્યુટી મેયર પદ
પાકિસ્તાનને ઝટકો, ભારત સાથે ટ્રેડ ડીલમાં PoKને ભારતનો ભાગ દર્શાવતુ USA
પાકિસ્તાનને ઝટકો, ભારત સાથે ટ્રેડ ડીલમાં PoKને ભારતનો ભાગ દર્શાવતુ USA
શિક્ષણના ધામમાં થઈ અખાડા વાળી, સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી
શિક્ષણના ધામમાં થઈ અખાડા વાળી, સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
g clip-path="url(#clip0_868_265)">