AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pomegranate Benefits : શરીરમાં લોહી વધારવાની સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યામાં દાડમનું સેવન ફાયદાકારક, જાણો તેના ફાયદા

Pomegranate Benefits : દાડમ સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછું નથી. જો તમે ઈચ્છો તો દાડમના દાણા ખાઈ શકો છો અથવા તેનો રસ પી શકો છો. જેના દ્વારા તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. આવો જાણીએ દાડમના ફાયદા.

Pomegranate Benefits : શરીરમાં લોહી વધારવાની સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યામાં દાડમનું સેવન ફાયદાકારક, જાણો તેના ફાયદા
Pomegranate Benefits
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 5:32 PM
Share

દાડમનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ અને પોષક તત્વો હોય છે. જે અનેક રોગોને દૂર કરવામાં મદદરૂપ છે. દાડમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આરોગ્યનો ખજાનો છે. દાડમનું નિયમિત સેવન કરવાથી રોગો દૂર રહે છે. તે શરીરને ફિટ રાખે છે. તેના સેવનથી અનેક ખતરનાક રોગો સામે લડવાની ક્ષમતા વધે છે. જો તમે ઈચ્છો તો દાડમના દાણા ખાઈ શકો છો અથવા તેનો રસ પી શકો છો. દાડમ એક સ્વાદિષ્ટ, મધુર અને રસદાર ફળ છે. તે ઘણા રોગોમાં પણ ફાયદાકારક છે. તબીબો અશક્તિ દૂર કરવા માટે દાડમ ખાવાની સલાહ આપે છે.

દાડમ વિટામિન સી અને બીનો સારો સ્ત્રોત છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, સેલેનિયમ અને ઝિંક ભરપૂર માત્રામાં હોય છે. દાડમના સેવનથી સ્વાસ્થ્ય લાભો તો છે પરંતું શું તમે દાડમથી થતા નુકસાન વિશે જાણો છો. આ અહેલાવમાં અમે તમને દાડમના ફાયદા વિશે જણાવશું. આવી સ્થિતિમાં તમે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દાડમના રસનું સેવન કરી શકો છો. આવો જાણીએ દાડમના ફાયદા.

 પાચન સંબંધી સમસ્યાઓમાં અસરકારક

દાડમમાં ફાઈબર અને ઘણા પોષક તત્વો મળી આવે છે, જે પાચન શક્તિ વધારવામાં મદદ કરે છે. જો કબજિયાત કે બળતરાની સમસ્યા હોય તો દાડમ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે.

હૃદય માટે ફાયદાકારક

જો તમે હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તમે દાડમનું સેવન કરી શકો છો. તમે તેનો રસ પી શકો છો, જેથી તમે હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકો. તે રક્ત પરિભ્રમણ સુધારે છે.

હાઈ બ્લડ પ્રેશર

જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય છે તેમના માટે દાડમનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક

ડાયાબિટીસની સમસ્યામાં દાડમ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેમાં એન્ટિડાયાબિટીક ગુણ હોય છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

યાદશક્તિ વધારવામાં મદદરૂપ

એક રિપોર્ટ અનુસાર દાડમના જ્યુસનું સેવન કરવાથી યાદશક્તિ વધી શકે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

g clip-path="url(#clip0_868_265)">