Navratri Health: ઉપવાસની વાનગીમાં કેમ વાપરવામાં આવે છે સિંધવ મીઠું? સિંધવ મીઠાથી ફાયદો કે નુકસાન?

નવરાત્રીમાં ઘણા લોકોએ ઉપવાસ કર્યો હશે. તમે જાણતા હશો કે ઉપવાસ સમયે સાદા મીઠાની જગ્યાએ સિંધવ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો તમને જણાવીએ આ પાછળનું કારણ.

Navratri Health: ઉપવાસની વાનગીમાં કેમ વાપરવામાં આવે છે સિંધવ મીઠું? સિંધવ મીઠાથી ફાયદો કે નુકસાન?
Navratri Health Why is Sindhav salt or Rock salt used in fasting dishes
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 10:20 PM

નવરાત્રીમાં ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે. આ દરમિયાન ઘણા લોકો માત્ર પાણી અને પ્રવાહી પર નવ દિવસનો ઉપવાસ રાખે છે. ત્યારે ઘણા લોકો આ ઉપવાસમાં ફરાળ પણ કરતા હોય છે. સૌને ખ્યાલ હશે કે ફરાળી વાનગીમાં મીઠાની જગ્યાએ સંચર એટલે કે સિંધવ મીઠું વાપરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સિંઘવ મીઠું વધુ શુદ્ધ અને આરોગ્ય (Helth) માટે સારું છે. પરંતુ તે કેવી રીતે બનાવવામાં આવે છે, કે તેને સામાન્ય મીઠા કરતા વધુ સારું માનવામાં આવે છે, તેના વિશે જાણો.

ખાવામાં વપરાતા સામાન્ય મીઠાને દરિયાઇ મીઠું એટલે કે સીસોલ્ટ (Sea Salt) કહેવામાં આવે છે કારણ કે તે દરિયાઈમાંથી મળે છે. તેને ખાદ્ય બનાવવા માટે, વિવિધ એન્ટી-કોકિંગ એજન્ટ અને ઘણી અન્ય રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. આને કારણે, સામાન્ય મીઠામાં હાજર કેલ્શિયમ, પોટેશિયમ અને ખનિજોમાં ખૂબ જ ઘટાડો થાય છે.

પર્વત મીઠું હોય છે સિંઘવ મીઠું

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સિંઘવ મીઠાને રોક સોલ્ટ અથવા પર્વત મીઠું (ROck Salt) કહેવામાં આવે છે. તે પ્રકૃતિમાંથી મળતું સંપૂર્ણ શુદ્ધ માનવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે, જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આ સિવાય સિંઘવ મીઠામાં મીઠું ઓછું હોય છે અને આયોડિનનું પ્રમાણ પણ ઓછું હોય છે, આને કારણે હાઈ બ્લડ પ્રેશર અને આંખની બળતરાની સમસ્યાને અંકુશમાં લેવામાં કામ આવે છે.

આ કારણે તેને ઉપવાસ દરમિયાન ખાવામાં આવે છે

હકીકતમાં સિંધવ મીઠું એ મીઠાનું સિંધવ સૌથી શુદ્ધ સ્વરૂપ છે કારણ કે તેને બનાવવા માટે કોઈપણ પ્રકારની ભેળસેળ કરવામાં નથી આવતી. તેથી તેને ઉપવાસ દરમિયાન ખાવામાં આવે છે. આ સિવાય ઉપવાસ કરનારને ઘણા બધા પોષક તત્વોની જરૂર હોય છે, રોક મીઠામાં આયર્ન, જસત, મેગ્નેશિયમ સહિત ઘણા પોષક તત્વો હોય છે, જે ઉપવાસ કરનારના શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂર્ણ કરે છે.

જાણો ફાયદા

1. રોક મીઠું પચવામાં હળવું હોય છે. તેનાથી પાચન સુધરે છે. આ ઉપરાંત તે રોગપ્રતિકારક શક્તિમાં પણ સુધારો કરે છે.

2. રોક મીઠાનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા આવે છે કારણ કે તે જરૂરી પોષક તત્ત્વો અને ખનિજો શોષી લેવામાં શરીરને મદદ કરે છે.

3. સામાન્ય દિવસોમાં સામાન્ય મીઠાને બદલે સિંધવ ખાવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું રહે છે. આ સાથે તે શરીરમાં પીએચ સ્તર જાળવવામાં પણ અસરકારક છે.

4. સિંધવ મીઠું શરીરમાંથી ચરબીવાળા કોષોને દૂર કરવામાં મદદ કરે છે, તેમજ ભૂખને કાબૂમાં રાખે છે. આ રીતે, તે વજન ઘટાડવા માટે પણ ખૂબ સારી રીતે કાર્ય કરે છે.

આ પણ વાંચો: Health Tips: 99 ટકા લોકો જમતા સમયે કરે છે આ ભૂલો! આજે સુધારો આદત, નહીં તો પડી જશે ભારે

આ પણ વાંચો: Ayurvedic Tips : કબજિયાતથી રાહત મેળવવા માટે અજમાવો આ આયુર્વેદિક ઉપાયો

(નોંઘ: આ લેખ પ્રાથમિક માહિતીઓના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. અહી સૂચવેલા કોઈ પણ પ્રયોગ-ઉપાયને અજમાવતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી)

Latest News Updates

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
g clip-path="url(#clip0_868_265)">