Mango Disadvantages : રાત્રે કેરી કેમ ન ખાવી જોઈએ એના કારણો જાણો છો ? નથી ખબર તો ખાસ વાંચો આ પોસ્ટ
કેરી વાસ્તવમાં ગરમ હોય છે, તેનું વધુ સેવન કરવાથી તમારા શરીરનું તાપમાન વધી શકે છે, તેના વધુ પડતા સેવનથી પિમ્પલ્સ અને ખીલ થઈ શકે છે.
કેરી(Mango ) ભારતનું રાષ્ટ્રીય ફળ છે અને તે બધાં ફળનો(Fruits ) રાજા પણ માનવામાં આવે છે. કેરીમાં વિવિધ રંગો (Color ) પણ જોવા મળે છે અને ઘણા લોકો માટે તે એકદમ પ્રિય ફળ પણ છે. આપણે સૌને કેરી ઘણી પસંદ હશે. પણ કેરી ખાવાના એટલા જ નુકશાન પણ રહેલા છે. ખાસ કરીને રાત્રી દરમ્યાન લોકો કેરી ખાવાનું કે કેરીનો રસ પીવાનો વધારે પસંદ કરતા હોય છે પણ તેના ગણા નુકશાન છે. જેને જાણવું [ન તમારા માટે ખુબ જ જરૂરી છે.
કેરી ખાવી કોને પસંદ નથી હોતી, કોઈ તેનું સેવન એ રીતે કરે છે કે કોઈ દૂધમાં તો કોઈ આઈસ્ક્રીમ વગેરે ઉનાળામાં, લોકો ઘણીવાર રાત્રિભોજન પછી કેરી ખાવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે તેનાથી નુકસાન પણ થઈ શકે છે. કેરીના પણ ઘણા ફાયદા છે, પરંતુ જો તેને યોગ્ય રીતે ન ખાવામાં આવે અને વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે. જો તમે યોગ્ય સમયે કે ઉલ્લેખિત વસ્તુઓ સાથે કેરી ખાશો તો ફાયદો થશે.
રાત્રે કેરી કેમ ન ખાવી જોઈએ?
1. કેલરીનું સેવન- કેરીમાં 150 કેલરી હોય છે, જે તમારું વજન વધારી શકે છે, તેથી કેરીનું સેવન રાતના બદલે સવારે કરવું જોઈએ.
2. સુગર લેવલ- કેરી કુદરતી રીતે ખૂબ જ મીઠી હોય છે જે તમારું શુગર લેવલ વધારી શકે છે, ડાયાબિટીસના દર્દીઓએ રાત્રે તેનું સેવન ન કરવું જોઈએ.
3. વજન વધારી શકે છે- વધારે કેલરીના કારણે તે રાત્રિભોજનને વધુ ભારે બનાવે છે, જેનાથી વજન વધવાનું જોખમ વધી જાય છે.
4. તાપમાન વધે છે- કેરી વાસ્તવમાં ગરમ હોય છે, તેનું વધુ સેવન કરવાથી તમારા શરીરનું તાપમાન વધી શકે છે, તેના વધુ પડતા સેવનથી પિમ્પલ્સ અને ખીલ થઈ શકે છે.
5. અપચોની સમસ્યા- કેરી એક ભારે ફળ છે, જેનું વધુ પડતું સેવન અથવા રાત્રે સેવન કરવામાં આવે તો અપચો થઈ શકે છે.
6. બધા ફળોના રાજા કહેવાતા કેરીમાં કેલરી પણ વધુ હોય છે. જે વજન વધારવા માટે પણ ખૂબ સારીમાનવામાં આવે છે. એક કેરીમાં 150 ગ્રામ જેટલી કેલરી હોય છે. તેથી, જો તમારુ વજન વધારે છે તો તમારે તમારા કેરીના વપરાશની કાળજીથી લેવાની જરૂર છે.
(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતી ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)