Health Benefits: દુર્લભ છે આ કૃષ્ણ ફળ, પરંતુ તેના ફાયદા જાણીને તમે પણ આજે જ લઈ આવશો ઘરે

કૃષ્ણ ફળ મૂળ બ્રાઝિલનું છે, પરંતુ હવે તે ભારત સહિત ઘણા દેશોમાં ઉગાડવામાં આવે છે. આ ફળ પોષક તત્વોનો ભંડાર હોવાનું કહેવાય છે. તેને તમારા આહારમાં સામેલ કરવાથી, શરીર અને મનને જરૂરી પોષક તત્વો મળે છે.

Health Benefits: દુર્લભ છે આ કૃષ્ણ ફળ, પરંતુ તેના ફાયદા જાણીને તમે પણ આજે જ લઈ આવશો ઘરે
Know the Health Benefits of Passion fruit aka Krishna fruit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 7:22 AM

શું તમે ક્યારેય પેશન ફ્રુટ વિશે સાંભળ્યું છે? આ ફળને ‘કૃષ્ણ ફળ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કૃષ્ણ ફળ બ્રાઝીલીયન ફળ છે, પરંતુ આજે તે ઘણા દેશોમાં ઉગાડવામાં આવે છે. ભારતની વાત કરીએ તો તે નાગાલેન્ડ, કેરળ, કર્ણાટક, મિઝોરમ અને મેઘાલય જેવા રાજ્યોમાં આ ફળનું ઘણું ઉત્પાદન થાય છે.

કૃષ્ણ ફળ જાંબલીથી પીળા અને સોનેરી રંગમાં બદલાય છે. તે સ્વાદમાં મીઠું-ખાટું અને બીજવાળું હોય છે. આ ફળમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે જેમ કે ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, સોડિયમ, વિટામિન સી, એ, ડી, કે, ઈ, આયર્ન, ફોસ્ફરસ, એન્ટીઓક્સીડેન્ટ્સ વગેરે. જે મનુષ્યના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. જો કે આ ફળ કોઈ રોગની દવા નથી, પરંતુ તેનું સેવન કરવાથી તમારા શરીરને ચોક્કસપણે તે પોષક તત્વો મળશે જે તમને અનેક રોગોથી બચાવવામાં મદદરૂપ સાબિત થશે. જાણો કૃષ્ણ ફળના ઘણા ફાયદા.

ડાયાબિટીસ

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

કૃષ્ણ ફળનું સેવન વ્યક્તિને ડાયાબિટીસથી બચાવે છે. સાથે જ, જેમને ડાયાબિટીસ છે, તેમના માટે પણ આ ફળ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફળમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછું અને ફાઇબરનું પ્રમાણ વધારે છે. એવું માનવામાં આવે છે કે તે ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. તેને ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને તેમનું વજન પણ વધતું નથી.

હાર્ટ

પેશન ફ્રૂટ હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પોટેશિયમ, તેમજ ઇલેક્ટ્રોલાઇટ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તેને ખાવાથી હૃદય તેનું કામ સારી રીતે કરે છે અને હૃદયરોગનું જોખમ ઘટે છે.

ઓસ્ટીયોપોરોસિસ

આ ફળમાં એવા ઘણા તત્વો જોવા મળે છે, જેમ કે મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે, જે હાડકાની ઘનતા જાળવે છે. તેના સેવનથી ઓસ્ટીયોપોરોસિસ જેવી સમસ્યાઓનું જોખમ ઘટે છે.

અસ્થમા

અહેવાલ છે કે જો તેની છાલનો અર્ક પીવામાં આવે તો અસ્થમા અને શ્વાસની તકલીફમાં ઘણી રાહત મળે છે. આ ફળ શ્વાસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. પરંતુ કૃષ્ણ ફળને ઠંડી તાસીરનું માનવામાં આવે છે. જેથી નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેનું સેવન કરો.

રોગપ્રતિકારક સિસ્ટમ

પેશન ફ્રૂટમાં વિટામિન સી, બીટા-ક્રિપ્ટોક્સાન્થિન અને આલ્ફા-કેરોટિન હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને અનેક રોગોથી બચાવે છે. બીજી બાજુ, આયર્નથી સમૃદ્ધ હોવાથી, તે શરીરમાં લોહીની અછત થવા દેતું નથી. તેનું નિયમિત સેવન એનિમિયાને અટકાવે છે.

આ પણ વાંચો: બારેમાસ મળતા ચીકુ તમારા સ્વાસ્થ્ય માટે છે ખૂબ ફાયદાકારક, જાણો તેના ગુણ અને ફાયદાઓ

આ પણ વાંચો: Be Alert : વજન ઝડપથી ઘટી રહ્યું છે તો સાવચેત થજો, આ ગંભીર રોગો હોઈ શકે છે

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">