AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Benefits: દુર્લભ છે આ કૃષ્ણ ફળ, પરંતુ તેના ફાયદા જાણીને તમે પણ આજે જ લઈ આવશો ઘરે

કૃષ્ણ ફળ મૂળ બ્રાઝિલનું છે, પરંતુ હવે તે ભારત સહિત ઘણા દેશોમાં ઉગાડવામાં આવે છે. આ ફળ પોષક તત્વોનો ભંડાર હોવાનું કહેવાય છે. તેને તમારા આહારમાં સામેલ કરવાથી, શરીર અને મનને જરૂરી પોષક તત્વો મળે છે.

Health Benefits: દુર્લભ છે આ કૃષ્ણ ફળ, પરંતુ તેના ફાયદા જાણીને તમે પણ આજે જ લઈ આવશો ઘરે
Know the Health Benefits of Passion fruit aka Krishna fruit
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 7:22 AM
Share

શું તમે ક્યારેય પેશન ફ્રુટ વિશે સાંભળ્યું છે? આ ફળને ‘કૃષ્ણ ફળ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કૃષ્ણ ફળ બ્રાઝીલીયન ફળ છે, પરંતુ આજે તે ઘણા દેશોમાં ઉગાડવામાં આવે છે. ભારતની વાત કરીએ તો તે નાગાલેન્ડ, કેરળ, કર્ણાટક, મિઝોરમ અને મેઘાલય જેવા રાજ્યોમાં આ ફળનું ઘણું ઉત્પાદન થાય છે.

કૃષ્ણ ફળ જાંબલીથી પીળા અને સોનેરી રંગમાં બદલાય છે. તે સ્વાદમાં મીઠું-ખાટું અને બીજવાળું હોય છે. આ ફળમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે જેમ કે ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, સોડિયમ, વિટામિન સી, એ, ડી, કે, ઈ, આયર્ન, ફોસ્ફરસ, એન્ટીઓક્સીડેન્ટ્સ વગેરે. જે મનુષ્યના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. જો કે આ ફળ કોઈ રોગની દવા નથી, પરંતુ તેનું સેવન કરવાથી તમારા શરીરને ચોક્કસપણે તે પોષક તત્વો મળશે જે તમને અનેક રોગોથી બચાવવામાં મદદરૂપ સાબિત થશે. જાણો કૃષ્ણ ફળના ઘણા ફાયદા.

ડાયાબિટીસ

કૃષ્ણ ફળનું સેવન વ્યક્તિને ડાયાબિટીસથી બચાવે છે. સાથે જ, જેમને ડાયાબિટીસ છે, તેમના માટે પણ આ ફળ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફળમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછું અને ફાઇબરનું પ્રમાણ વધારે છે. એવું માનવામાં આવે છે કે તે ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. તેને ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને તેમનું વજન પણ વધતું નથી.

હાર્ટ

પેશન ફ્રૂટ હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પોટેશિયમ, તેમજ ઇલેક્ટ્રોલાઇટ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તેને ખાવાથી હૃદય તેનું કામ સારી રીતે કરે છે અને હૃદયરોગનું જોખમ ઘટે છે.

ઓસ્ટીયોપોરોસિસ

આ ફળમાં એવા ઘણા તત્વો જોવા મળે છે, જેમ કે મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે, જે હાડકાની ઘનતા જાળવે છે. તેના સેવનથી ઓસ્ટીયોપોરોસિસ જેવી સમસ્યાઓનું જોખમ ઘટે છે.

અસ્થમા

અહેવાલ છે કે જો તેની છાલનો અર્ક પીવામાં આવે તો અસ્થમા અને શ્વાસની તકલીફમાં ઘણી રાહત મળે છે. આ ફળ શ્વાસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. પરંતુ કૃષ્ણ ફળને ઠંડી તાસીરનું માનવામાં આવે છે. જેથી નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેનું સેવન કરો.

રોગપ્રતિકારક સિસ્ટમ

પેશન ફ્રૂટમાં વિટામિન સી, બીટા-ક્રિપ્ટોક્સાન્થિન અને આલ્ફા-કેરોટિન હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને અનેક રોગોથી બચાવે છે. બીજી બાજુ, આયર્નથી સમૃદ્ધ હોવાથી, તે શરીરમાં લોહીની અછત થવા દેતું નથી. તેનું નિયમિત સેવન એનિમિયાને અટકાવે છે.

આ પણ વાંચો: બારેમાસ મળતા ચીકુ તમારા સ્વાસ્થ્ય માટે છે ખૂબ ફાયદાકારક, જાણો તેના ગુણ અને ફાયદાઓ

આ પણ વાંચો: Be Alert : વજન ઝડપથી ઘટી રહ્યું છે તો સાવચેત થજો, આ ગંભીર રોગો હોઈ શકે છે

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">