ભારતના લાખો લોકો કબજિયાતની સમસ્યાથી પરેશાન છે, જાણો આ પાછળનું શું છે કારણ?
Constipation Causes: ભારતની 22 ટકા વસ્તી કબજિયાતની સમસ્યાથી પરેશાન છે અને આ પાછળનું કારણ તમારી લાઈફસ્ટાઈલ અને ફૂડની પસંદગી જ છે. ખાવા-પીવા પર ધ્યાન આપીને પણ કબજિયાતથી છુટકારો મેળવી શકો છો.
કબજિયાત (Constipation) એક એવી સમસ્યા છે, જેનાથી ભારતની 22 ટકા વસ્તી તેનાથી પરેશાન છે. એટલે કે દેશના લગભગ 28થી 30 કરોડ લોકો કબજિયાતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ અંગે કોઈ ખુલ્લેઆમ વાત કરી રહ્યા નથી, પરંતુ ભારતની વસ્તીનો મોટો હિસ્સો કબજિયાતની સમસ્યાથી પ્રભાવિત છે. આ પૈકી ઘણા એવા પણ લોકો છે જેઓ તેમની લાઈફસ્ટાઈલ અને ખાણી-પીણીનું ખાસ ધ્યાન રાખે છે તેમ છતાં તેઓ કબજિયાતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
આ સ્થિતિમાં આજે અમે તમને એવા કારણો વિશે જણાવી રહ્યા છીએ. જેના કારણે મોટાભાગના લોકોને કબજિયાતની સમસ્યા રહે છે. જો તમે કબજિયાતથી પણ પરેશાન છો તો તમે તેમના કારણો જાણીને તેનું નિદાન કરી શકો છો, જેથી તમે દવાઓ વગર તેની સારવાર કરી શકો તો જાણો કબજિયાતના કારણો શું છે. તેનું ધ્યાન રાખીને તમે તેનાથી છુટકારો મેળવી શકો છો.
કબજિયાત થવાનું કારણ?
જો આપણે કબજિયાતના કારણો વિશે વાત કરીએ તો તે મોટેભાગે લાઈફસ્ટાઈલ અને ખોરાક અને ખાવાપીવા સાથે સંબંધિત છે. તેથી ઉપાય એ છે કે તમારે તમારી લાઈફસ્ટાઈલ સુધારવી પડશે અને ખાવા-પીવામાં પણ ફેરફાર કરવો પડશે, જેથી તમને આ સમસ્યા ન થાય.
આ કબજિયાતના કારણો છે
1. તમારા આહારમાં ફાઈબરનો અભાવ છે, એટલે કે જે ખોરાકમાં વધુ ફાઈબર હોય તેનો ઉપયોગ કરો.
2. ઓછું પાણી અથવા ઓછું પ્રવાહી પીવું પણ આનું એક મહત્વનું કારણ છે, તેથી વધુ ને વધુ પાણી પીવો.
3. કસરત ન કરવી.
4. તમારી નિયમિત દિનચર્યામાં સતત ફેરફાર પણ કબજિયાતનું કારણ છે, જેમ કે વધુ મુસાફરી.
5. સમયસર ખોરાક ન લેવો અને મોડી રાત સુધી જાગવું પણ આનાં કારણો છે.
6. જે લોકો ચા, કોફી, તમાકુ અથવા સિગારેટ વગેરેનું વધુ પડતું સેવન કરે છે તેમને પણ કબજિયાતની સમસ્યા રહે છે.
7. મોટાભાગે કબજિયાતની સમસ્યા ત્યારે થાય છે, જ્યારે તમે પહેલાનો ખોરાક પચાય તે પહેલા બીજો ખોરાક ખાવ.
8. તણાવ પણ કબજિયાતનું કારણ છે.
9. જો તમે લાંબા સમય સુધી દુખાવાની દવાઓ લઈ રહ્યા છો તો પણ કબજિયાતની સમસ્યા શરૂ થાય છે.
10. મેંદાથી બનેલ વસ્તુ અને તળેલા મરચાં-મસાલેદાર ખોરાકનું સેવન પણ કબજિયાતનું કારણ છે.
તો પછી શું કરવું જોઈએ?
ઓટમીલ પ્રોટીન, ફાઈબરનો સમૃદ્ધ સ્ત્રોત છે. તેમાં મહત્વપૂર્ણ વિટામિન્સ છે, જે કબજિયાત દૂર કરવામાં મદદ કરી શકે છે. આ સિવાય મુલેઠી એક સૌથી અસરકારક આયુર્વેદિક ખોરાક છે, જે પાચનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે. તમે ગરમ કપ દૂધમાં 1 અથવા 2 ચમચી ઘી મિક્સ કરી શકો છો અને સૂતી વખતે લઈ શકો છો.
આ કબજિયાતથી છુટકારો મેળવવાની સૌથી અસરકારક અને કુદરતી રીતો તરીકે કામ કરે છે. આ સિવાય ડિહાઈડ્રેશન પણ કબજિયાતનું એક સામાન્ય કારણ છે. પૂરતું પાણી પીવાથી કબજિયાત દૂર થઈ શકે છે. કબજિયાત માટે આ એક સરળ કુદરતી ઉપાય છે.
આ પણ વાંચો : IPL 2021: ધોની આજે આઇપીએલની અંતિમ મેચ રમશે ? કોલકાતા સામે ફાઇનલ પહેલા ચાહકોને થવા લાગી ચિંતા