AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Health: કિડનીની ગંદકી દૂર કરવા અને કિડનીને સ્વસ્થ રાખવા આ આસાન ઉપાય અજમાવી જુઓ

કિડનીને સારી રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવું જોઈએ, આ સિવાય એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જેમાં પાણીની માત્રા વધુ હોય. આયુર્વેદ અનુસાર અહીં હું તમને આવા બે શ્રેષ્ઠ ઉપાયો વિશે જણાવી રહ્યો છીએ, જે કિડનીની ગંદકીને સાફ કરશે અને તેને સ્વસ્થ રાખશે.

Kidney Health: કિડનીની ગંદકી દૂર કરવા અને કિડનીને સ્વસ્થ રાખવા આ આસાન ઉપાય અજમાવી જુઓ
Tips for healthy kidney (Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 7:30 AM
Share

આપણા શરીરમાં રહેલ કિડની (Kidney) એ એવા બે નાના અવયવો છે જે આપણી કરોડરજ્જુની બંને બાજુ પાંસળીની નીચે સ્થિત છે. તે આપણા શરીરના (Body) મુખ્ય અંગોમાંથી એક છે, જેના પર આપણા શરીરની મોટાભાગની પ્રવૃત્તિઓ આધાર રાખે છે. આપણી કિડની હોર્મોન્સ બનાવવા અને ઈલેક્ટ્રોલાઈટ્સને સંતુલિત કરવામાં તેમજ શરીરમાંથી કચરો બહાર કાઢવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કિડનીને સ્વસ્થ રાખવા માટે આયુર્વેદમાં ઘણા ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. કેટલાક આસાન ઉપાયો છે, જેની મદદથી તમે તમારી કિડનીને ડિટોક્સ કરી શકો છો, આનાથી તમારી કિડની માત્ર સારી રીતે કામ કરશે નહીં, પરંતુ ભવિષ્યમાં બીમારીઓ થવાની શક્યતા પણ ઓછી થશે.

નિષ્ણાંતોના મતે કિડનીને સારી રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવું જોઈએ, આ સિવાય એવા ખોરાકનું સેવન કરવું જોઈએ, જેમાં પાણીની માત્રા વધુ હોય. આયુર્વેદ અનુસાર અહીં હું તમને આવા બે શ્રેષ્ઠ ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ, જે કિડનીની ગંદકીને સાફ કરશે અને તેને સ્વસ્થ રાખશે.

1. આદુ અને ધાણાના બીજ ગરમ પાણી સાથે

કિડનીની સફાઈ માટે ગરમ પાણી એક સારો વિકલ્પ છે. તમે 1 લીટર પાણીમાં 5 ગ્રામ આદુ અને 5 ગ્રામ સુધી ધાણાના બીજને એકસાથે ઉકાળી શકો છો. આ સામગ્રીને 1 લીટર પાણી રાંધીને 10 ગ્રામ થાય ત્યાં સુધી ઉકાળવું પડશે. તેને ગરમ થવા દો અને પછી તેનું સેવન કરો.

2. નારિયેળ પાણી અને એલચી

નાળિયેર પાણી અને એલચી પણ કિડની સાફ કરવામાં સમાન કામ કરે છે. લીલા નારિયેળના પાણીમાં એલચી પાવડર ભેળવી પીવાથી કિડની ડિટોક્સમાં ફાયદો થાય છે. તમે 12ml નારિયેળ પાણીમાં 2 ગ્રામ ઈલાયચી પાવડર ઉમેરીને સેવન કરી શકો છો.

જો તમે કિડની સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન છો તો આ ઉપાયોનો ઉપયોગ કરતા પહેલા તમે તમારા ડૉક્ટર અથવા કોઈપણ આયુર્વેદચાર્યની સલાહ લઈ શકો છો. કારણ કે આ ટિપ્સ ફક્ત તે લોકો માટે છે જેમની કિડની સ્વસ્થ છે, તેમને કોઈ સમસ્યા નથી.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી)

આ પણ વાંચો :Pregnancy Care : ગર્ભવતી મહિલાઓએ ડાયેટમાં જરૂર ઉમેરવા જેવું આ એક શાક, જાણો તેના ફાયદા

આ પણ વાંચો : કાનના દુખાવાને અવગણવાની ભૂલ કરશો નહિ, આ ઇન્ફેક્શન પણ હોય શકે છે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">