Health and Women: પીરિયડ્સ દરમિયાન ડાયટમાં આ ફૂડ્સ સામેલ કરો, તમને દુખાવામાં મળશે રાહત

પીરિયડ્સ દરમિયાન મહિલાઓને પીડા, થાક, બેચેની અને નર્વસનેસ જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમય દરમિયાન તમારા આહારનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

Health and Women: પીરિયડ્સ દરમિયાન ડાયટમાં આ ફૂડ્સ સામેલ કરો, તમને દુખાવામાં મળશે રાહત
Include these foods in the diet during periods
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 2:28 PM

પીરિયડ્સ દરમિયાન મહિલાઓને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ દરમિયાન મહિલાઓને પેટમાં દુખાવો, કમરનો દુખાવો, મૂડ સ્વિંગ અને શરીરનો દુખાવો જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ક્યારેક માસિક સ્રાવમાં અનિયમિતતા હોર્મોન્સમાં વિક્ષેપ અને બિનઆરોગ્યપ્રદ આહાર (Health Tips for Women)ને કારણે થઈ શકે છે. આ કારણે તમારે વધુ પીડામાંથી પસાર થવું પડે છે. આવી સ્થિતિમાં તમારા આહારનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી પીરિયડ્સ (Menstruation)ના ચક્ર પર કોઈ અસર ન થાય. પીરિયડ્સ (Periods) દરમિયાન તમારે ઓટ્સ, ફળ, પાણી અને આદુ જેવા ખોરાકનું સેવન કરવું જોઈએ. આ સિવાય અન્ય કયા ખોરાકને તમે ડાયટમાં સામેલ કરી શકો છો, ચાલો જાણીએ.

પાણી

હાઈડ્રેટ રહેવા માટે પીરિયડ્સ દરમિયાન પુષ્કળ પાણી પીવો. પીરિયડ્સ દરમિયાન હાઈડ્રેટેડ રહેવાથી ડિહાઈડ્રેશનને કારણે માથાનો દુખાવો થવાની શક્યતા ઘટી શકે છે.

ફળો ખાઓ

એવા ફળો ખાઓ, જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય જેમ કે તરબૂચ વગેરે. આવા ફળ ખાવાથી તમે હાઈડ્રેટ રહેશો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

લીલા પાંદડાવાળા શાકભાજી

પીરિયડ્સ દરમિયાન શરીરમાં આયર્નની ઉણપ થાય છે. તેથી, આપણા આયર્નના સ્તરને જાળવી રાખવા માટે લીલા પાંદડાવાળા શાકભાજીનું ઘણું સેવન કરવું જરૂરી છે કારણ કે આયર્નની ઉણપથી થાક, ચક્કર અને શરીરમાં દુખાવો થઈ શકે છે.

આદુ

આદુમાં બળતરા વિરોધી ગુણ હોય છે. તે પીરિયડ્સ દરમિયાન સ્નાયુઓના દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે. આદુ ઉબકા અને ઉલ્ટી ઘટાડવામાં પણ મદદ કરે છે. જો કે તેનું વધુ પડતું સેવન કરવું તમારા માટે હાનિકારક પણ હોઈ શકે છે.

ડાર્ક ચોકલેટ

ડાર્ક ચોકલેટ એ આયર્ન અને મેગ્નેશિયમથી ભરપૂર સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ નાસ્તો છે. મેગ્નેશિયમ PMSના લક્ષણો ઘટાડવામાં મદદ કરે છે.

ડ્રાય ફ્રુટ્સ

મોટા ભાગના ડ્રાય ફ્રુટ્સ ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. તે પ્રોટીન, મેગ્નેશિયમ અને વિટામિન્સનો સારો સ્ત્રોત છે. ડ્રાય ફ્રુટ્સનું સેવન આયર્નનું સ્તર જાળવી રાખવામાં અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે.

ઓટમીલ અને બાજરી

પીરિયડ્સ દરમિયાન ફાઈબરથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. આના કારણે તમારી પાચનતંત્ર યોગ્ય રહે છે. તમે સવારના નાસ્તામાં અથવા રાત્રિભોજનમાં ઓટમીલ અને બાજરીનું સેવન કરી શકો છો. તેમાં ફાઈબર, પ્રોટીન અને વિટામિન બી ભરપૂર માત્રામાં હોય છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો- Health Care: મેથી અને કલોંજીનાં ઘણાં સ્વાસ્થ્ય લાભો છે, તેનું આ રીતે સેવન કરો

આ પણ વાંચો- બીમારીની હવાઃ રાજ્યના શહેરોની હવામાં 308 પ્રકારના કાર્બનિક પ્રદૂષકો, ગંભીર પ્રકારે કરે છે બીમાર

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">