AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Immunity Booster: રોગપ્રતિકારક શક્તિ વધારવાની આ 5 ઘરેલું રીતો વિશે તમે નહીં જાણતા હોવ

Immunity Booster : જો તમે પણ ઈમ્યુનિટી વધારવા માટે અલગ અલગ રીત અજમાવતા હોવ તો તમારે આં અમુક ઘરેલું અને આયુર્વેદિક રીત સમજવી જરૂરી છે, ચાલો તમને જણાવીએ.

Immunity Booster: રોગપ્રતિકારક શક્તિ વધારવાની આ 5 ઘરેલું રીતો વિશે તમે નહીં જાણતા હોવ
Immunity Booster: 5 Home remedy To Increase Immunity According To Ayurveda
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 7:53 AM
Share

સંક્રમણને દૂર રાખવા માટે મજબૂત પ્રતિરક્ષા (Immunity) હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તંદુરસ્ત રહેવું અત્યંત મહત્વનું છે ખાસ કરીને કોરોનાવાયરસ રોગચાળાના સમયમાં. તમે મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે કેટલીક આયુર્વેદિક (Ayurveda) પદ્ધતિઓ પણ અપનાવી શકો છો. આ માટે, તમે ઘણા પ્રકારની જડીબુટ્ટીઓ અને મસાલાઓનું સેવન કરી શકો છો.

હળદરવાળું દૂધ

એવું માનવામાં આવે છે કે દિવસમાં એક કપ હળદરવાળું દૂધ પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે. હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે અને તે કોષોના સોજાને પણ અટકાવે છે. આ ઉપરાંત, તે તમારા મગજ માટે પણ સારું છે કારણ કે તેમાં કર્ક્યુમિન નામનો ગુણ હોય છે. તે મગજના કોષોના વિકાસમાં મદદ કરે છે. મજબૂત પ્રતિરક્ષા માટે, અડધી ચમચી હળદર પાવડર ગરમ દૂધમાં પી શકાય છે.

નાસ્ય

તમારા નસકોરામાં ઘી, તલનું તેલ અથવા નાળિયેર તેલના થોડા ટીપાં નાખવાથી સંક્રમણ અટકાવી શકાય છે. નાસ્ય સ્નાન કર્યાના એક કલાક પહેલા ખાલી પેટ કરી શકાય છે. દરેક નસકોરામાં 4-5 ટીપાં નાખવા માટે તમારા માથાના ભાગે સૂઈ જાઓ. નાસ્યા એક પ્રાચીન પ્રથા છે પરંતુ અન્ય દેશોમાં લોકપ્રિય બન્યા બાદ ફરી પ્રચલિત છે. આયુર્વેદ નિષ્ણાતો કહે છે કે રોગપ્રતિકારક શક્તિ વધારવાની આ એક ઉત્તમ રીત છે કારણ કે તે નાકના માર્ગોને સાફ કરીને સંક્રમણને દૂર કરવામાં મદદ કરે છે.

ઓઇલ પુલિંગ થેરાપી

બેક્ટેરિયાને દૂર કરવા અને મૌખિક સ્વચ્છતા જાળવવા માટે તમારા મોઢાને સાફ કરવાની ઓઇલ પુલિંગ ઘરેલું પદ્ધતિ છે. આ એક આયુર્વેદિક પ્રથા છે, જેમાં ખાદ્ય તેલ મોંમાં ચારે બાજુ ફેરવીને થૂંકી દેવામાં આવે છે. આયુર્વેદ મુજબ, ઓઈલ પુલિંગ પ્રથા તમારી મૌખિક અને અનુનાસિક પ્રતિરક્ષા સુધારે છે. તે મ્યુકસ મેમ્બ્રેનને હાઇડ્રેટ કરે છે જે તેને બેક્ટેરિયા, વાયરસ અને ફૂગથી સુરક્ષિત કરે છે. તે ખરાબ શ્વાસ ઘટાડવામાં અને દાંતની કેવીટી રોકવામાં પણ મદદ કરી શકે છે. ઓઈલ પુલિંગ માટે, 1 ચમચી તલ અથવા નાળિયેર તેલ મોઢામાં લો. તેને પીશો નહીં, તેને 2-3 મિનિટ માટે અંદર ફેરવો, કોગળા કરો અને પછી તેને થૂંકીને ગરમ પાણીથી ધોઈ લો. આ દિવસમાં એક કે બે વાર કરી શકાય છે.

ચ્યવનપ્રાશનું સેવન કરો

ચ્યવનપ્રાશના ઘણા ફાયદા છે અને તે વાયરસ સામે લડવામાં મદદ કરે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ગોળ સાથે આમળા અને અન્ય જડીબુટ્ટીઓનું મિશ્રણ કરીને ઘરે તૈયાર કરવામાં આવે ત્યારે તે વધુ સારું કામ કરે છે. હોમમેઇડ ચ્યવનપ્રાશ દરેક સિઝનમાં દિવસમાં ઓછામાં ઓછા બે વખત લઇ શકાય છે. આયુર્વેદ અનુસાર, ચ્યવનપ્રાશ આપણને ચેપથી બચાવે છે અને શરીરના કોષોના સોજા અટકાવે છે. તે લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને આપણી શ્વસનતંત્ર માટે ફાયદાકારક છે.

કાઢો અથવા હર્બલ ચા

મજબૂત એન્ટિ-ઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો ધરાવતા વિવિધ મસાલાઓનો ઉપયોગ હર્બલ ચા અથવા તુલસી, તજ, કાળા મરીથી બનેલા કાઢાના રૂપમાં કરી શકાય છે. તમે સ્વાદ માટે ગોળ અથવા લીંબુનો રસ ઉમેરી શકો છો.

આ પણ વાંચો: Vitamin B12: જાણો વિટામીન B12 ના કયા છે પ્રાકૃતિક સ્ત્રોત, જાણો તેની ઉણપથી કઈ સમસ્યા થઈ શકે છે

આ પણ વાંચો: Brown Sugar Vs White Sugar: બ્રાઉન સુગર કે વ્હાઈટ સુગર? કઈ ખાંડ છે તમારા સ્વાસ્થ્ય માટે વધુ સારી

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">