AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: જો નહીં રાખો આ 6 બાબતોનું ધ્યાન, તો વરસાદની મજા બની જશે બીમારીની સજા

મોન્સૂનમાં વરસાદથી ઘણા લોકો બીમાર પડી શકે છે. જેથી આરોગ્યનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. તમે આ પાંચ ટિપ્સ ફોલો કરીને વરસાદમાં પલળ્યા પછી પણ બીમારીથી દૂર રહી શકો છો.

Health Tips: જો નહીં રાખો આ 6 બાબતોનું ધ્યાન, તો વરસાદની મજા બની જશે બીમારીની સજા
વરસાદમાં પલળ્યા બાદ અપનાવો આ ઉપાયો
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 08, 2021 | 2:03 PM
Share

ચોમાસાની(monsoon) સિઝન શરૂ થઈ રહી છે અને વરસાદમાં પલળવાનું કોને ન ગમે ? પરંતુ વરસાદના પાણીમાં ભીના થયા બાદ ઘણા લોકો બીમાર પડી જાય છે. અને કોરોના વાયરસના આ સમયમાં કોઈ બીમાર થઈને ડોકટર પાસે જવા નથી માંગતું. જો તમે પણ વરસાદની મજા લીધા બાદ બીમાર પડવા નથી માંગતા તો આ ટિપ્સ ફોલો કરો

હાલ ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. તેવામાં ઘણા લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે જ ઘરની બહાર નીકળી રહ્યા છે. પણ તેઓને વરસાદમાં પલડવાની ફરજ પણ પડે છે. મોન્સૂનમાં વરસાદથી ઘણા લોકો બીમાર પડી શકે છે. જેથી આરોગ્યનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. તમે આ છ ટિપ્સ ફોલો કરીને વરસાદમાં પલળ્યા પછી પણ બીમારીથી દૂર રહી શકો છો.

છ ટિપ્સ

1). માથું આપણા શરીરનો પહેલો હિસ્સો છે. જ્યાં વરસાદનું પાણી પહેલા માથા પર પડે છે. આપણા શરીરની બધી કાર્યપ્રણાલી તેનાથી જ ચાલે છે. માથાનો ભાગ કોમળ પણ હોય છે. જ્યાં વરસાદનું પાણી પડતા જ ઠંડી લાગવા લાગે છે. જેથી પ્રયત્ન કરો કે બને ત્યાં સુધી માથાને ઢાંકી રાખો.

2). વરસાદમાં ભીના થયા બાદ જેવા તમે ઘરે પહોંચો એટલે સૌથી પહેલા કપડાં બદલી લો. તેવું કરવાથી શરીરનું તાપમાન નોર્મલ થઈ જશે. અને તમને ઠંડી નહિ લાગશે. આ ઉપરાંત વરસાદની સીઝનમાં વાયરલ ફીવરનો વધારે ભય રહેલો છે. કપડાં બદલવાથી કપડાં પર રહેલા વાયરસ, ફંગસ સંક્રમણ ફેલાવી ન શકે.

3). કપડાં બદલ્યા બાદ આખા શરીર પર એન્ટીબેક્ટેરિયલ ક્રીમ લગાવી દો. આવું કરવાથી તમારા શરીર પર રહેલા બેક્ટેરિયા મરી જશે. અને સ્કિન પર થતી એલર્જીથી પણ બચી શકશો.

4). વરસાદમાં પલડયા પછી માથાને સાફ ટોવેલ વડે સુકવી દો. જો લાંબો સમય માથા પર પાણી રહ્યું તો તમે શરદી ખાંસીની ચપેટમાં આવી શકશો.

5). વરસાદમાં ભીના થયા પછી તમે ગરમ ચા અથવા ઉકાળાનું સેવન કરી શકો છો. તેનાથી શરીરમાં ગરમી આવશે. અને તમારા શરીરની એનર્જી બુસ્ટ થશે.

6). વરસાદમાં જો તમે બુટ પહેરી રાખ્યા હશે તો તે ફાયદાકારક રહે છે. પણ જો તમે ચપ્પલ પહેરી હશે તો ઘણા પ્રકારના રોગોનો ખતરો વધી જાય છે. સ્લીપર પહેરવાથી અંગૂઠા કે તેની આસપાસ માટીના કણ ભેગા થઈ જાય છે. જે સાફ કરવામાં ન આવે તો તે મુશ્કેલી ઉભી કરી શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: એક સમયે 4000 રૂપિયાની નોકરી કરતા હતા આ અભિનેતા, ‘બાઘા’ના પાત્ર માટે મળે છે આટલા રૂપિયા

આ પણ વાંચો: કેળા જ નહીં તેની છાલ પણ છે ગુણકારી, આ પ્રયોગથી થોડા જ દિવસમાં ચમકી ઉઠશે ચહેરો

ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
g clip-path="url(#clip0_868_265)">