Health Tips : દાડમના દમદાર ગુણો છે સ્વાસ્થ્ય માટે લાભકારી

|

Aug 27, 2021 | 7:45 AM

દાડમની પૌષ્ટિકતા તેમાં રહેલા પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ જેવા ક્ષાર ઉપરાંત તેમાં વિટામિન સી, વિટામિન બી 6 અને થોડી માત્રામાં લોહતત્વને આભારી છે.

Health Tips : દાડમના દમદાર ગુણો છે સ્વાસ્થ્ય માટે લાભકારી
Health Tips: Pomegranate has strong health benefits

Follow us on

હાલમાં દાડમની સીઝન ચાલી રહી છે અને માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં દાડમ ઉપલબ્ધ છે. દાડમમાં અનેક ગુણ છે. એટલે સીઝનમાં તેનું સેવન કરી લેવું જોઈએ. દાડમની પૌષ્ટિકતા તેમાં રહેલા પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ જેવા ક્ષાર ઉપરાંત તેમાં વિટામિન સી, વિટામિન બી 6 અને થોડી માત્રામાં લોહતત્વને આભારી છે.

દાડમના પોષકગુણ
દાડમના પ્યોર જ્યુસમાં વિટામિન સી, 12 થી 16 ટકા સુગર અને ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ખનીજ તત્વો સારા પ્રમાણમાં રહેલા છે. તેના જ્યુસનો યોયોગ ખાસ કરીને લોહીને વધારવા માટે કરી શકાય છે. દાડમમાં રહેલી સુગર સુપાચ્ય હોવાથી તે તરત એનર્જી આપે છે. દાડમની છાલનો ઉપયોગ કરીને તેમાંથી પાવડર, ટૂથપેસ્ટ, ટુથ પાઉડર વગેરે બનાવી શકાય છે. તેનો ઉપયોગ કપડાને કુદરતી રીતે કલર કરવામાં પણ થાય છે.

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
દાડમમાં તૂરો, ખાટો અને મીથો રસ હોય છે. તે એન્જાયમેટિક, ડાયજેસ્ટિવ, રુચિકર અને તરસ છિપાવે છે. આ ફળ બળ વધારે છે. તે શ્વસનતંત્ર અને આંતરડામાં થતા મ્યુક્સને અટકાવે છે.

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

રોગોની સારવાર માટે ઉપયોગી
જો ઝાડામાં લોહી કે મ્યુક્સ પડતું હોય તો દાડમની છાલ અને ઇંદ્રજવની છાલ સરખા પ્રમાણમાં ભેળવી 10 ગ્રામ માત્રામાં 3 ગણા પાણીમાં ચોથા ભાગનું પ્રવાહી બાકી રહે તેટલું ઉકાળી, ઠંડુ કરી મધ સાથે દિવસમાં એકવાર આપવું, એસિડિટીથી છાતીમાં બળતરા થતી હોય તેવા રોગોને દાડમના રસમાં સાકર નાંખીને પીવડાવવાથી રાહત થશે. વધુ પડતી દવાઓ ખાવાની સાઈડ ઈફેક્ટને પગલે જીભમાં સ્વાદ બગડીગયો હોય તો દાડમનાદાણા સાથે કાળી દ્રાક્ષ અને સાકર ચાવીને ખાવાથી જીભની સ્વાદ પરખવાની ક્ષમતા પાછી આવે છે.

દાડમનું સેવન કરે સારવાર
દાડમ ખાવાથી હેલ્થને ફાયદો થાય છે. તે શરીરમાં લોહોની ઉણપને ઝડપથી દૂર કરે છે. અને શરીરમાં નેચરલી લોહોને વધારી શકાય છે. હ્ર્દય માટે પણ દાડમ ખુબ જ ફાયદાકારક છે. ગર્ભધારણની ક્ષમતા વધારવા માટે પણ દાડમનું સેવન કરી શકાય છે.

આ પણ વાંચો :

Health Tips : આંખો માટે અમૃત સમાન દેશી ઘીના આ પણ છે ફાયદા

Health Tips: પેટની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ 5 વસ્તુનું કરો ખાવાથી રહેશો હેલ્થી અને ફિટ

Next Article