AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: વરિયાળી માત્ર મુખવાસ જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ છે આશીર્વાદરૂપ, જાણો ફાયદાઓ

Health Tips: વરિયાળીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે કરવામાં આવે છે. પણ તે સિવાય પણ તેના ઘણા સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ રહેલા છે.

Health Tips: વરિયાળી માત્ર મુખવાસ જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ છે આશીર્વાદરૂપ, જાણો ફાયદાઓ
Benefits of aniseed
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 8:47 AM
Share

વરિયાળીના (Soft) મીઠા સ્વાદ અને સુગંધને કારણે, લોકો તેનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે કરે છે. વરિયાળીનો ઉપયોગ વિવિધ પ્રકારના ભોજનનો સ્વાદ વધારવા માટે પણ થાય છે. વરિયાળી લગભગ દરેક ઘરમાં જોવા મળે છે.વરિયાળી મુખ્યત્વે માઉથ ફ્રેશનર તરીકે વપરાય છે. તેમાં રહેલા ફાઇબર અને ઘણા પોષક તત્વો તમારા પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. પરંતુ, દૂધ સાથે વરિયાળી લેવાથી તમને ઘણા વધુ સ્વાસ્થ્ય લાભ મળે છે.વરિયાળીનું દૂધ બનાવવું ખૂબ જ સરળ છે. આ માટે, એક ગ્લાસ દૂધમાં એક ચમચી વરિયાળી ઉમેરો અને આ દૂધને સારી રીતે ઉકાળો. સારી રીતે ઉકળે ત્યાર બાદ તેને પીવાય એટલુ ગરમ હોય ત્યારે દૂધ પીવો.

વરિયાળીના બીજા ફાયદાઓ પણ જાણીએ

પેટની સમસ્યાઓ દૂર કરવામાં ફાયદાકારક છે

વરિયાળીમાંરહેલું કુદરતી તેલ અપચો, પેટનું ફૂલવું અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. એટલા માટે વરિયાળીનું દૂધ પેટની બીમારીઓને દૂર કરવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેના એસ્ટ્રાગલસ અને એનેથોલને કારણે, તે પેટની બિમારીઓ જેમ કે ગેસ, પીડા અને જઠરાંત્રિય વિકારો માટે અસરકારક ઉપાય માનવામાં આવે છે.

વજન નિયંત્રણ માટે અસરકારક

જો તમે સ્થૂળતાથી પીડિત છો, તો તમારે આજથી વરિયાળી ખાવાનું શરૂ કરવું જોઈએ. બે કપ પાણીમાં એક ચમચી વરિયાળી ઉકાળો અને આ પાણીને દિવસમાં બેથી ત્રણ વખત પીવો. આ તમારા અપચો દૂર કરશે અને વજન ઘટાડવામાં પણ મદદ કરશે.

ઝેરી તત્વો દૂર કરે છે

તેમાં આવશ્યક તેલ અને ફાઇબર જેવા પોષક તત્વો તમારા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે, તેથી વરિયાળી લોહી શુદ્ધિકરણ માટે પણ ઉપયોગી છે.

દ્રષ્ટિ સુધારવામાં મદદ કરે છે

જો તમારી દ્રષ્ટિ ઓછી છે અથવા તમારી આંખો નબળી છે, તો મુઠ્ઠીભર વરિયાળી તમારા માટે વરદાન બની શકે છે.વરિયાળીમાં વિટામીન એ હોય છે, જે દ્રષ્ટિ માટે સારું છે. રોજ 5 થી 6 ગ્રામ વરિયાળી ખાવાથી લીવર અને દ્રષ્ટિ સુધરે છે.

હૃદયની તંદુરસ્તી સુધારે છે

તેના ફાઇબર, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ હૃદય રોગનું જોખમ ઘટાડે છે. ઉપરાંત,વરિયાળી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં ખૂબ અસરકારક છે.

ચહેરાને ચમકદાર બનાવે છે

વરિયાળીનો નિયમિત વપરાશ તમારા શરીરને ઝીંક, કેલ્શિયમ અને સેલેનિયમ જેવા ખનિજો આપે છે જે શરીરમાં હોર્મોન્સ અને ઓક્સિજનના પુરવઠાને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેની ઠંડક ચહેરા પર પણ ચમક લાવે છે.

આ પણ વાંચો: Dengue Fever: પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી રહ્યા હોય તો આહારમાં સામેલ કરો આ વિટામિન, તાવમાં મળશે રાહત

આ પણ વાંચો: કેટલાક ખાસ ઉપાય અજમાવવાથી ફેફસાને પ્રદૂષણથી બચાવી શકાય, જાણો શું છે આ ખાસ ઉપાય

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">