AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દરરોજ રસોઈમાં સુગંધ માટે ભેળવતા હશો કોથમીર, પરંતુ નહીં જાણતા હોવ તેના આ અમુલ્ય ફાયદા

Health Benefits Of Parsley : કોથમીર વિટામિન કે અને વિટામિન સી તેમજ વિટામિન એ, ફોલેટ અને આયર્નનો સારો સ્રોત છે. રસોઈમાં સુગંધ ભેળવવા વપરાતી કોથમીર સ્વસ્થ માટે ફાયદાકારક છે.

દરરોજ રસોઈમાં સુગંધ માટે ભેળવતા હશો કોથમીર, પરંતુ નહીં જાણતા હોવ તેના આ અમુલ્ય ફાયદા
Health Tips: Know Health benefits of Parsley
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 11:06 PM
Share

કોથમીર માત્ર રસોઈમાં સુગંધ માટે વપરાતો મસાલો જ નહીં પરંતુ લોકપ્રિય ઔષધિ છે. તેનો સ્વાદ હળવો, કડવો છે. તેનો ઉપયોગ સૂપ અને સલાડ જેવી વાનગીઓને સ્વાદ આપવા માટે થાય છે. માત્ર રસોઈમાં જ નહીં પણ રોગોને દૂર કરવામાં કોથમીર અસરકારક છે.

આનો ઉપયોગ એલર્જી અને બળતરાના રોગોની સારવાર માટે થાય છે. આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ચાલો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભો.

કોથમીરના આરોગ્ય લાભો

એન્ટીઓકિસડન્ટ્સ મેળવવા

કોથમીરમાં ફલેવોનોઈડ્સ, કેરોટીનોઈડ્સ અને વિટામિન સી હોય છે જે સેલ્યુલર ડેમેજ અટકાવે છે. કોષોને મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનને રોકવા માટે શરીરને એન્ટીઓકિસડન્ટોની જરૂર છે. કોથમીર ફ્લેવોનોઇડ્સ, કેરોટીનોઇડ્સ અને વિટામિન સીનું પાવરહાઉસ છે. તે રોગોને રોકવામાં મદદ કરે છે. તમારી વાનગીઓમાં સુકી કોથમીર ઉમેરો કારણ કે તેમાં તાજા પાંદડા કરતા વધારે એન્ટીઓકિસડન્ટ હોય છે.

હાડકાં માટે ફાયદાકારક

તેમાં વિટામિન કે હોય છે. તે આપણા હાડકાં માટે ફાયદાકારક છે. આપણા હાડકાને મજબૂત રાખવા અને હાડકાના રોગોને રોકવા માટે ઘણા વિટામિન્સ અને ખનિજોની જરૂર પડે છે. કોથમીર વિટામિન K નો સમૃદ્ધ સ્ત્રોત છે. તે એક આવશ્યક પોષક તત્વ છે જે હાડકાં બનાવતા કોષો માટે ફાયદાકારક છે. અભ્યાસો અનુસાર વિટામિન કેથી સમૃદ્ધ આહાર હાડકાના ફ્રેક્ચરનું જોખમ ઘટાડી શકે છે.

આંખો માટે ફાયદાકારક

તેમાં કેરોટીનોઈડ્સ હોય છે જે આંખોનું રક્ષણ કરે છે અને દ્રષ્ટિ સુધારે છે. કોથમીરમાં લ્યુટીન, બીટા કેરોટિન અને ઝેક્સાન્થિન જેવા કેરોટીનોઇડ્સ હોય છે. તેઓ આંખના ચેપને અટકાવે છે. લ્યુટીન અને ઝેક્સાન્થિન વય સંબંધિત આંખની સમસ્યાઓનું જોખમ ઘટાડે છે. શરીર બીટા કેરોટિનને વિટામિન A માં રૂપાંતરિત કરે છે, જે આંખના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

બ્લડ સુગરનું સ્તર ઘટાડવા માટે

ઘણી વખત સ્વાસ્થ્યની સમસ્યાઓનો સામનો બિનઆરોગ્યપ્રદ આહાર અને ખરાબ જીવનશૈલીને કારણે થાય છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસ, હૃદયરોગ અને હાઈ કોલેસ્ટ્રોલ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અભ્યાસો અનુસાર, કોથમીરનો અર્ક લોહીમાં સુગર સ્તરને ઘટાડવામાં મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ માટે

કોથમીરનું નિયમિત સેવન કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રાખે છે. આ સિવાય તે હૃદય સંબંધિત રોગો માટે ફાયદાકારક છે. તે લીવર સંબંધિત રોગોને દૂર રાખવામાં પણ મદદ કરે છે. તે કિડનીનું પણ રક્ષણ કરે છે.

આ પણ વાંચો: Health Tips: ઈંડાના શોખીન થઈ જાઓ સાવધાન, તમારા સ્વાસ્થ્ય માટે સમસ્યા ના બની જાય ઈંડાની આડઅસરો!

આ પણ વાંચો: Keto Diet: લોકો અપનાવી રહ્યા છે વજન ઘટાડવાનો આ શોર્ટકટ, પરંતુ શું તમે જાણો છો તે કેટલું છે જોખમી?

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">