AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayurveda: આ 5 આયુર્વેદિક ઉપચાર તમારી ભૂલવાની બીમારીને ભુલાવી દેશે, યાદશક્તિ વધારવા આજે જ અજમાવો

જેમ જેમ જીવનશૈલી બદલાતી જાય છે તેમ તેમ માનસીક સમસ્યાઓ પણ વધી રહી છે. જેમાં એક છે એકાગ્રતા અને યાદશક્તિની સમસ્યા. ચાલો જાણીએ તેના ઉપચાર.

Ayurveda: આ 5 આયુર્વેદિક ઉપચાર તમારી ભૂલવાની બીમારીને ભુલાવી દેશે, યાદશક્તિ વધારવા આજે જ અજમાવો
5 Ayurvedic Ways To Increase Memory And Concentration
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 8:28 AM
Share

સ્મૃતિ ભ્રંશ એટલે કે ભૂલવાની બીમારી એ એક સમસ્યા છે જે ખૂબ પરેશાન કરી શકે છે. આ સમસ્યા મોટાભાગે વૃદ્ધોમાં થાય છે. આ યુગમાં તણાવ એટલો વધી ગયો છે કે યુવાનો પણ તેનાથી પ્રભાવિત થઈ શકે છે. આ કારણોસર, ઘણી નાની નાની વસ્તુઓ ભૂલાઈ જાય છે. માનસિક રીતે સ્વસ્થ (Menal Health) રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભૂલી જવાનું મુખ્ય કારણ એકાગ્રતાનો અભાવ હોઈ શકે છે. આ માટે તમે કેટલાક આયુર્વેદિક (Ayurveda) ઘરેલું ઉપાય અને ઉપચાર અપનાવી શકો છો.

બ્રાહ્મી

બ્રાહ્મી (Brahmi) એક પ્રાચીન જડીબુટ્ટી જુરી છે. જે ઔષધીય ગુણધર્મો ધરાવે છે. તેનો ઉપયોગ લોકો વર્ષોથી કરતા આવ્યા છે છે. તે હજારો વર્ષોથી દવામાં વપરાય છે. બ્રાહ્મી મગજના કાર્યને વધારવાનું કામ કરે છે. આ તણાવ અને અસ્વસ્થતામાંથી રાહત આપે છે. તે માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં પણ મદદ કરે છે. તેના સ્વાસ્થ્ય લાભ ઘણા છે. બ્રાહ્મીનું સેવન કરવાથી સ્મૃતિ, મન અને એકાગ્રતામાં વધારો થાય છે. તે યાદશક્તિને લગતી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. દૂધ અને પાણી સાથે મેળવીને બ્રાહ્મી પાવડર પીવાથી ઘણા લાભ થાય છે. તે મનને તેજ બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

શંખપૂષ્પી

શંખપૂષ્પીને (Shankhpushpi) હળવા ગરમ પાણીમાં ચમચી મેળવીને નિયમિતપણે નિયમિતપણે કરવાથી ઘણા લાભ થાય છે. આ આયુર્વેદિક ચિકિત્સામાં મૂલ્યવાન ઔષધી છે. તેનો ઉપયોગ મનને શાંત કરવા અને યાદશક્તિ વધારવા માટે થાય છે. તે તાણ અને અસ્વસ્થતા ઘટાડવાનું કામ કરે છે.

અશ્વગંધા

અશ્વગંધા (Ashwagandha) પણ એક પ્રાચીન અને પરંપરાગત ઔષધીય વનસ્પતિ છે. તે વર્ષોથી દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. શારીરિક બિમારીઓને દૂર કરવાની સાથે તે માનસિક સ્વાસ્થ્યને પણ ઠીક રાખે છે. અશ્વગંધા માનસિક અને શારીરિક તાણ બંને ઘટાડવાનું કામ કરે છે. અશ્વગંધા મગજમાં ઓક્સિડેટીવ તાણ ઘટાડવા માટે જાણીતી છે. તે માત્ર યાદશક્તિમાં વધારા સાથે મગજના રોગોનું જોખમ ઘટાડવાનું પણ કામ કરે છે. તમે તેને દૂધ, પાણી, મધ અથવા ઘી સાથે ભેળવીને પી શકો છો.

તુલસી

તુલસીને (Tulsi) અન્ય ઔષધિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તુલસી આયુર્વેદમાં તેના સ્વાસ્થ્ય લાભ માટે જાણીતી છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં એન્ટીબાયોટીક, એન્ટિ-વાયરલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી-કાર્સિનોજેનિક ગુણધર્મો હોય છે. જેનાથી આરોગ્યની ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે તે કામ કરે છે. તે યાદશક્તિ અને એકાગ્રતા વધારવાનું પણ કામ કરે છે. આ માટે તમારે 5 થી 10 તુલસીના પાન, 5 બદામ, 5 કાળા મરી અને મધ મેળવીને મેળવી પીવાની જરૂર છો.

ધ્યાન

નિયમિત ધ્યાન (Meditation) તમને માનસિક રીતે સ્વસ્થ રાખે છે. ધ્યાન મનને શાંત કરવા માટે જાણીતું છે. ધ્યાન તણાવ ઘટાડે છે. આ એકાગ્રતા વિકસાવવા માટે પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો: ઉપવાસમાં કેમ ખાવામાં આવે છે સિંધવ મીઠું? શું છે કારણ? સિંધવ મીઠાથી ફાયદો કે નુકસાન?

આ પણ વાંચો: Health: સરળતાથી ઉપલબ્ધ કઢી લીમડાના રસના છે અનેક ફાયદા, શરીરથી ઘણા રોગ રહેશે દૂર

(નોંઘ: આ લેખ પ્રાથમિક માહિતીઓના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. અહી સૂચવેલા કોઈ પણ પ્રયોગ-ઉપાયને અજમાવતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી)

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">