AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ફક્ત સૂંઘીને જ જાણી શકાશે કે વિટામિન ડીની ઉણપ છે કે નહીં?

સંશોધકોએ શોધી કાઢ્યું છે કે વિટામિન ડીની ઉણપ ધરાવતા લોકોમાં પૂરતા પ્રમાણમાં વિટામિન ડી ધરાવતા લોકોની સરખામણીમાં સ્વાદ અને ગંધની ખોટ થવાની શક્યતા 39 ટકા વધુ છે.

Health: ફક્ત સૂંઘીને જ જાણી શકાશે કે વિટામિન ડીની ઉણપ છે કે નહીં?
Only by sniffing can one know whether there is a deficiency of vitamin D or not?(Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 7:20 AM
Share

આપણે બધા જાણીએ છીએ કે વિટામિન ડી(Vitamin D) આપણા શરીર માટે કેટલું મહત્વનું છે અને તેનું યોગ્ય સ્તર (Level ) આપણા શરીરની યોગ્ય કામગીરીમાં ઘણી મદદ કરે છે. વિટામિન ડી એ ચરબીમાં (Fat) દ્રાવ્ય વિટામિન છે, જે આપણા શરીરના ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેના સૌથી મહત્વપૂર્ણ કાર્ય વિશે વાત કરીએ તો તે કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે, હાડકાંને સુરક્ષિત રાખે છે, સ્નાયુઓ બનાવે છે અને હૃદયની તંદુરસ્તી પણ સુધારે છે.

વિટામિન ડી આપણા શરીર માટે સૌથી જરૂરી પોષક તત્વોમાંનું એક છે, પરંતુ તેમ છતાં લોકોમાં તેની ઉણપ જોવા મળે છે. મોટાભાગના લોકો જાણે છે કે સૂર્યપ્રકાશમાં થોડીવાર બેસી રહેવાથી શરીરમાં વિટામિન ડી ફરી ભરાઈ શકે છે. વાસ્તવમાં જેવી જ આપણી ત્વચા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે, ત્યારે આપણા શરીરમાં હાજર કોલેસ્ટ્રોલ વિટામિન ડીમાં પરિવર્તિત થવા લાગે છે અને શરીરના અન્ય ભાગોમાં પહોંચવાનું શરૂ કરે છે.

જેના કારણે અન્ય કામ શરૂ થાય છે. તેની ઉણપ આપણા માટે ઘણી સમસ્યાઓ ઊભી કરે છે, પરંતુ જો તેની ઉણપ જણાય તો તે ચિંતાનું કારણ છે. ચાલો જાણીએ કે તમે કેવી રીતે જાણી શકો છો કે તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ છે કે નહીં તેની માત્ર સુંઘવાથી.

સૂંઘવાથી જ ખબર પડશે કે વિટામિન ડીની ઉણપ છે કે નહીં

જે લોકોમાં વિટામિન ડીની ઉણપ હોય અથવા જેમને પૂરતા પ્રમાણમાં વિટામિન ડી મળતું નથી, તેમની ગંધ અને સ્વાદની ક્ષમતા ઉંમર સાથે ઘટતી જાય છે. તેઓ આ વિશે વહેલા જાણતા નથી કારણ કે તે ધીમે ધીમે થાય છે અને તે વય સાથે સંકળાયેલું છે. ન્યુટ્રિઅન્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા 2020ના અભ્યાસમાં સંશોધકોએ વિટામિન ડીની ઉણપ અને સ્વાદ અને ગંધની ભાવના વચ્ચેની કડી શોધી કાઢી છે. 6થી 8 વસ્તુઓ પર ગંધના નુકશાનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યારે સ્વાદ પરીક્ષણ સોડિયમ ક્લોરાઈડ અને ક્વિનાઈન પર કરવામાં આવ્યું હતું.

અભ્યાસ શું કહે છે

સંશોધકોએ શોધી કાઢ્યું છે કે વિટામિન ડીની ઉણપ ધરાવતા લોકોમાં પૂરતા પ્રમાણમાં વિટામિન ડી ધરાવતા લોકોની સરખામણીમાં સ્વાદ અને ગંધની ખોટ થવાની શક્યતા 39 ટકા વધુ છે. અભ્યાસના તારણો સૂચવે છે કે સંશોધકોએ એવું પણ સૂચન કર્યું છે કે વિટામિન ડી આપણી ઉંમર સાથે ગંધ અને સ્વાદની સમસ્યાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વિટામિન ડીના સ્તરને કેવી રીતે મેળવવું

સૂર્યપ્રકાશએ વિટામિન ડીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે, જેની ઉપલબ્ધતાની કોઈ મર્યાદા નથી. પરંતુ જો તમે આ પોષક તત્વોની માત્રા વધારવા માંગતા હોવ તો તમે તમારી આસપાસના ખોરાકમાંથી તેની માત્રા વધારી શકો છો:

1-પાલક

2-કેળા

3-ભીંડી

4-સોયાબીન

5-સફેદ કઠોળ

6-સૅલ્મોન જેવી માછલી

આ પણ વાંચો : Women Health : બે-ત્રણ મહિને પિરિયડ આવવાથી રહો છો પરેશાન ? વાંચો આ ચાર ટિપ્સ

આ પણ વાંચો : Lifestyle : દરરોજ જીભ સાફ કરવી કેટલું જરૂરી ? જાણો જીભ સાફ રાખવાના ફાયદા

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Follow Us
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
g clip-path="url(#clip0_868_265)">