AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Benefits : બાળપણની યાદો તાજા કરતી ખાટ્ટી મીઠ્ઠી આમલી ખાવાના આ છે સ્વાસ્થ્ય લાભો અને નુકશાન

આમલીમાં (Tamarind )આયુર્વેદિક ગુણોનો ભંડાર છે. તેનાથી પાચન સંબંધી કોઈપણ પ્રકારની સમસ્યા નથી થતી. તેનાથી કબજિયાત, ઝાડા, અલ્સર અને પેટના દુખાવાથી છુટકારો મળે છે.

Health Benefits : બાળપણની યાદો તાજા કરતી ખાટ્ટી મીઠ્ઠી આમલી ખાવાના આ છે સ્વાસ્થ્ય લાભો અને નુકશાન
Tamarind health benefits Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2022 | 7:49 AM
Share

‘આમલી’ (Tamarind ) નામ મને બાળપણની (Childhood ) યાદો તાજી કરાવે છે. આપણા બધાની બાળપણની યાદોમાં (Memory ) આમલીનું નામ ચોક્કસપણે સામેલ હશે. નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. જો જોવામાં આવે તો આમલીનો ઉપયોગ અનેક પ્રકારના ખોરાકમાં થાય છે. તમને આમલીનો ખાટો-મીઠો સ્વાદ એક યા બીજા સ્વરૂપે આરામથી મળશે. આ સિવાય આમલી વજન ઘટાડવામાં પણ ઘણી હદ સુધી મદદ કરે છે. કારણ કે તેમાં હાઇડ્રોક્સી સાઇટ્રિક એસિડ હોય છે. આમલીના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તેનાથી હાડકા પણ મજબુત બને છે અને ઘણી બીમારીઓથી પણ છુટકારો મળે છે. તેથી જ આમલીને સુપરફૂડ પણ કહેવામાં આવે છે.

આમલી ખાવાના ફાયદા

વજન ઓછું કરવા

જો જોવામાં આવે તો વજન ઘટાડવું એટલું સરળ નથી જેટલું લાગે છે. તમે તેનો ઉપયોગ પીણાંથી લઈને વાનગીઓ સુધી ઘણી રીતે કરી શકો છો. જેના દ્વારા તમે સરળતાથી વજન ઘટાડી શકો છો. જો તમે મોટા પાયે વજન ઓછું કરવા માંગો છો, તો તમારે કસરતની સાથે તમારી દિનચર્યામાં આમલીનો સમાવેશ કરવો પડશે. તેમાં ફાઈબર પણ વધુ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે પાચનક્રિયા પણ યોગ્ય રહે છે.

તણાવ હોર્મોન્સ ઘટાડે છે

કેટલીકવાર તણાવ વજન વધારવામાં ઘણો ફાળો આપે છે. આ તણાવ હોર્મોન કોર્ટિસોલને કારણે છે. તેનાથી બચવા માટે આમલી તમને ખૂબ જ સારી રીતે મદદ કરે છે. સંશોધન મુજબ, જ્યારે શરીરમાં કોર્ટિસોલ વધવા લાગે છે, ત્યારે સ્થૂળતા પણ વધે છે. આમલી આ હોર્મોનને નિયંત્રણમાં રાખે છે. તે બ્લડ પ્રેશર અને હૃદય રોગના જોખમને પણ ઘટાડે છે.

આમલીના અન્ય સ્વાસ્થ્ય લાભો

  • આમલી વજન ઘટાડવા માટે ખૂબ જ મદદગાર છે. આ સિવાય આમલી સાથે જોડાયેલા ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે જે ખરેખર અદ્ભુત છે.
  • આમલીમાં આયુર્વેદિક ગુણધર્મો આમલીમાં આયુર્વેદિક ગુણોનો ભંડાર છે. તેનાથી પાચન સંબંધી કોઈપણ પ્રકારની સમસ્યા નથી થતી. તમને કબજિયાત, ઝાડા, અલ્સર અને પેટના દુખાવાથી છુટકારો મળે છે.
  • આમલીમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. જેના કારણે બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો તમારા આહારમાં આમલીનો સમાવેશ કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો.
  • આમલી હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. બળતરા વિરોધી અને એન્ટિઓક્સિડન્ટ હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જે આમલીમાં હાજર હોય છે. રિસર્ચ અનુસાર તેનાથી હૃદયની આસપાસ બ્લોકેજ નથી થતું અને બ્લડ સર્ક્યુલેશન બરાબર રહે છે.

જાણો આમલીના કેટલાક ગેરફાયદા

  1. આમલીના આટલા બધા ફાયદાઓ તો છે જ, કેટલાક ગેરફાયદા પણ ચોક્કસ જોવા મળે છે, તે ગેરફાયદા શું છે, ચાલો આ પણ જાણીએ.
  2. વજન ઘટાડવા માટે આમલીનું સેવન હંમેશા ભોજનના એક કલાક પહેલા કરવું જોઈએ. જમ્યા પછી આમલીનું સેવન તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
  3. આમલીના વધુ પડતા સેવનથી બ્લડ સુગર લેવલમાં અચાનક ઘટાડો થઈ શકે છે. જો તમને ડાયાબિટીસ છે, તો આમલીનું સેવન કરતા પહેલા સલાહ લો.
  4. આમલી કેન્ડી બાળકો માટે ખતરનાક બની શકે છે. કારણ કે તેમાં અનેક પ્રકારની ભેળસેળ કરવામાં આવે છે. સગર્ભા સ્ત્રીઓએ પણ આમલી કેન્ડીથી બચવું જોઈએ.

યોગ્ય માત્રામાં આમલી

દિવસમાં ત્રણ વખત માત્ર 10 ગ્રામ આમલીનું સેવન કરવું જોઈએ. મોટી માત્રામાં આમલી લેતા પહેલા કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. તમારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે, વજન ઘટાડવા માટે તમારે કસરત કરવાની જરૂર છે. તંદુરસ્ત રીતે વજન ઘટાડવા માટે, તમારે તંદુરસ્ત આહાર યોજનાને અનુસરવાની જરૂર છે. તો આ હતી આમલીમાંથી એવી માહિતી જે તમારે જાણવાની જરૂર છે. આમલી વજન પણ ઘટાડે છે, અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પરંતુ તેની સાથે જોડાયેલ સાવધાનીનું ધ્યાન રાખવું તમારા માટે ખૂબ જ જરૂરી છે.

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">