આયુષ્માન ભારત યોજનાના ચાર વર્ષ પૂર્ણ, આ યોજનાએ ગરીબોના ચહેરા પર સ્મિત લાવ્યું

આયુષ્માન ભારત યોજના વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના છે, તે ભારતના 33 રાજ્યોમાં લાગુ કરવામાં આવે છે. લગભગ ચાર કરોડ લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે.

આયુષ્માન ભારત યોજનાના ચાર વર્ષ પૂર્ણ, આ યોજનાએ ગરીબોના ચહેરા પર સ્મિત લાવ્યું
Ayushman bharat yojna
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2022 | 6:09 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Scheme)ને ચાર વર્ષ પૂર્ણ થયા છે. આ યોજનાના સીઈઓ રામ સેવક શર્માએ કહ્યું કે આજે ચાર વર્ષ પછી લગભગ ચાર કરોડ લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે. જો કે દેશના લગભગ તમામ રાજ્યો આ યોજના સાથે જોડાયેલા છે, પરંતુ હજુ સુધી પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને દિલ્હીમાંથી સકારાત્મક પરિણામો જોવા મળ્યા નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandvia)એ કહ્યું કે આ રાજ્યો સાથે વાતચીત ચાલી રહી છે. તેમને આશા છે કે ટૂંક સમયમાં આ રાજ્યોમાં પણ લોકો જોડાશે.

માંડવીયાએ કહ્યું કે, દેશના લોકોનું સ્વાસ્થ્ય સારું હોય તો જ સફળતા મળે અને સમૃદ્ધિ હોય. સરકારની યોજના સમાજની છેલ્લી હરોળમાં ઉભેલા લોકોને આરોગ્યલક્ષી લાભ પહોંચાડવાની છે. સરકારનું લક્ષ્ય આ આયુષ્માન ભારત યોજના શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચવાનું છે.

દીકરીને નવું જીવન મળ્યું

તનુશ્રી ચાર વર્ષની હતી. ડૉક્ટરોએ કહ્યું કે તેના મગજમાં ગાંઠ છે. આંદામાનમાં રહેતી તનુશ્રીની માતા બી કુમારીએ જણાવ્યું કે તેના પરિવારની આવક ઘણી ઓછી છે. જેમાં ઘરનો ખર્ચ યોગ્ય રીતે ચાલી શકતો નથી. આવી સ્થિતિમાં, આયુષ્માન યોજના હેઠળ, ચેન્નાઈમાં મગજની ગાંઠની સારવાર કરવામાં આવી હતી, જેનો ખર્ચ 96000 હતો. આ યોજનાની મદદથી દીકરીની સારવાર આસાનીથી થઈ શકી. આયુષ્માન યોજના તેમના માટે વરદાન સાબિત થઈ.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

આયુષ્માન યોજનાના લાભાર્થીઓમાં બિહારના લોકો પણ સામેલ છે

બિહારની રાખી કુમારી પણ આ યોજનાના લાભમાં સામેલ છે. રાખીના હૃદયમાં કાણું હતું. રાખીના પિતા દિલીપે જણાવ્યું કે બાળકીની સારવાર ભાગલપુરની એક હોસ્પિટલમાં કરવામાં આવી હતી જ્યાં તેમને કહેવામાં આવ્યું હતું કે આ રોગની સારવારમાં ચારથી પાંચ લાખનો ખર્ચ થશે. આયુષ્માન સ્કીમ દ્વારા રાખીની સારવાર કરાવી.

લોકો ડિજિટલ રીતે કનેક્ટ થઈ રહ્યાં છે

દાદર નગર હવેલીના સુજલ કુમારે જણાવ્યું કે તેમને આયુષ્માન કાર્ડ બનાવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. બધું ડિજિટલ થઈ ગયું. ઔરા સોફ્ટવેર દ્વારા માત્ર સુજલ જ નહીં પરંતુ લદ્દાખના રહેવાસી તેશવાંગ રિંગજિને પણ તેનું આયુષ્માન કાર્ડ બનાવ્યું છે. આનો મતબલ એ છે કે દેશના ખુણે ખુણે આ સેવા પહોચી છે અને લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે.

આ રીતે બને છે આયુષ્માન કાર્ડ

આયુષ્માન કાર્ડ મેળવવા માટે કોમન સર્વિસ સેન્ટરની મદદથી અરજી કરવી પડશે. આ માટે જરૂરી દસ્તાવેજો સબમિટ કરવામાં આવે છે. આ પહેલા લાભાર્થીઓની યાદી બહાર પાડવામાં આવે છે, જેમાં નામ દેખાય તો આયુષ્માન ગોલ્ડ કાર્ડ બનાવી શકાય છે. તમે આયુષ્માન ભારત યોજના વિશે માહિતી મેળવવા માટે સરકારના મફત હેલ્પલાઇન નંબર 14255 પર પણ કૉલ કરી શકો છો.

g clip-path="url(#clip0_868_265)">