AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spring season health tips: વસંતઋતુમાં સ્વસ્થ રહેવા માર્ચથી જૂન સુધી આ શ્રેષ્ઠ આયુર્વેદિક નિયમોનું પાલન કરો

એવું કહેવાય છે કે જો પહેલેથી જ શરીરમાં કફ થવાની સમસ્યા રહેતી હોય તો વસંતઋતુમાં તે વધી શકે છે. એટલું જ નહીં, આ ઋતુમાં એલર્જીના લક્ષણો પણ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં માર્ચથી જૂન સુધી સ્વસ્થ રહેવા માટે આયુર્વેદની મદદ લઈ શકાય છે.

Spring season health tips: વસંતઋતુમાં સ્વસ્થ રહેવા માર્ચથી જૂન સુધી આ શ્રેષ્ઠ આયુર્વેદિક નિયમોનું પાલન કરો
Follow these ayurvedic tips in spring season
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 10:22 AM
Share

કહેવાય છે કે વસંતઋતુની શરુઆત ( Spring season health care routine )માર્ચ મહિનામાં શરૂ થાય છે અને જૂન સુધી રહે છે. આ ઋતુની પ્રવૃત્તિ બદલાતી ઋતુના રૂપમાં જોવા મળે છે, વસંતઋતુમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ( Health problems in spring season )આપણને ઘેરી લે છે. આ ઋતુ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન પહેલા આવે છે. જેમાં લોકોને ઉધરસની સૌથી સામાન્ય સમસ્યા ( Cough problem ) રહે છે. કફની સમસ્યા પાછળ લોકો બદલાતા હવામાનને કારણ જણાવે છે. કહેવાય છે કે જો શરીરમાં કફની સમસ્યા વારંવાર રહે છે તો આ ઋતુમાં તે વધુ વધી શકે છે. એટલું જ નહીં, આ ઋતુમાં એલર્જીના લક્ષણો પણ દેખાવા લાગે છે.

આવી સ્થિતિમાં માર્ચથી જૂન સુધી સ્વસ્થ રહેવા માટે આયુર્વેદની મદદ લઈ શકાય છે. કેટલીક સરળ આયુર્વેદિક ટિપ્સ છે, જે આ સમય દરમિયાન અનુસરવી શ્રેષ્ઠ છે. જો તમે આ લક્ષણોથી બચવા ઈચ્છો છો, તો આ આયુર્વેદ ટિપ્સ અનુસરો…

કસરત

શરીરને સ્વસ્થ રાખવા માટે શારીરિક પ્રવૃત્તિ કરવી જરૂરી છે અને આ માટે દોડવું અથવા કસરત કરવી શ્રેષ્ઠ છે. જો કે જે લોકો કસરત કરી શકતા કે દોડી શકતા નથી તેઓ ડોક્ટરની સલાહ મુજબ દરરોજ કસરત કરીને સ્વસ્થ રહી શકે છે. કસરત કરવાથી કફ દૂર થાય છે અને પાચનતંત્ર મજબૂત બને છે, તેથી કસરતને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો.

આદુની ચા

આયુર્વેદ અનુસાર આદુમાંથી બનેલી વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે કફની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો આદુમાંથી બનાવેલું પીણું પીવો. આદુમાં વોર્મિંગ ઈફેક્ટ હોય છે અને આ કારણથી તે કફને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. આદુના અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો છે, તેથી દરરોજ સવારે આદુની ચા અથવા આદુનું પીણું પીવો.

આહારની સંભાળ

આજકાલ લોકોની બગડેલી જીવનશૈલી અને ખોટો આહાર તેમને હદથી વધુ બીમાર કરી રહ્યો છે. જેના કારણે તેને ડાયાબિટીસ, થાઈરોઈડ અને હાઈ બીપી જેવી ગંભીર બીમારીઓ થવા લાગી છે. તેમજ નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે કફની સમસ્યા વારંવાર રહે છે. આયુર્વેદ અનુસાર ભારે, ઠંડો, ખાટો અને મીઠો ખોરાક ટાળો. જો તમને તે ખાવાની ક્રેવિંગ થતી હોય તો તેને મર્યાદિત માત્રામાં ખાઓ.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો-

Health Precaution : ડોક્ટરની સલાહ વગર કરવામાં આવતા સીટી સ્કેન સાબિત થઇ શકે છે જોખમી

આ પણ વાંચો-

સર્વાઈકલ કેન્સર : આર્થિક રીતે નબળી મહિલાઓમાં આ કેન્સરનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે, જાણો કારણ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">