AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Precaution : ડોક્ટરની સલાહ વગર કરવામાં આવતા સીટી સ્કેન સાબિત થઇ શકે છે જોખમી

રેડિયેશનથી થતા કેન્સરના લક્ષણો શરીરમાં તરત દેખાતા નથી. આમ થવામાં 10 થી 15 વર્ષનો સમય લાગે છે. ડાયાબિટીસ ધરાવતા લોકોએ સીટી સ્કેન કરાવતા પહેલા તેમની દવા લેવી જોઈએ નહીં. વૃદ્ધ લોકોએ પણ સીટી સ્કેન કરાવવાનું ટાળવું જોઈએ. યુવાન લોકો કરતાં વૃદ્ધોને રેડિયેશનથી વધુ જોખમ હોઈ શકે છે.

Health Precaution : ડોક્ટરની સલાહ વગર કરવામાં આવતા સીટી સ્કેન સાબિત થઇ શકે છે જોખમી
CT scans performed without doctor's advice can be dangerous(Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 8:36 AM
Share

ઘણા લોકો કોઈ પણ રોગના લક્ષણો(Symptoms ) દેખાય ત્યારે ડોકટરોની(Doctor ) સલાહ વગર કોમ્પ્યુટરાઈઝ્ડ ટોમોગ્રાફી સ્કેન (Scan )કરાવે છે. ઘણી વખત લોકો મહિનામાં બે થી ત્રણ વાર પણ સીટી સ્કેન માટે જાય છે, પરંતુ તેઓ જાણતા નથી કે આ સ્કેન કેન્સરનું કારણ બની શકે છે.

ડૉકટર સમજાવે છે કે સીટી સ્કેન કરાવતી વખતે જે રેડિયેશન બહાર આવે છે તે ક્યારેક શરીરના અન્ય ભાગોને પણ અસર કરી શકે છે. નાના બાળકોમાં વધુ સ્કેન કરાવવાથી તેમના માનસિક સ્વાસ્થ્યને પણ અસર થઈ શકે છે. જો તમને કોઈ ગંભીર બીમારી છે, તો સ્કેન કરાવતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો. તેમને પૂછો કે આ સમય દરમિયાન શું સાવચેતી રાખવી જોઈએ.

દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પિટલના ઓન્કોલોજી વિભાગના એચઓડી ડો. વિનીત કહે છે કે ડોક્ટરોની સલાહ વગર કોઈપણ પ્રકારનો એક્સ-રે ન કરાવવો જોઈએ. એક્સ-રે અને સીટી સ્કેનમાંથી નીકળતા ખતરનાક રેડિયેશન કેન્સરનું કારણ બની શકે છે. ડૉ.ના જણાવ્યા અનુસાર, છાતીના એક્સ-રેમાં 0.10 મિલિસિવર્ટ રેડિયેશન છે. માથાના સીટી સ્કેનમાં, તે 2 મિલિસિવર્ટ છે. જો એક વર્ષમાં 40 મિલિસીવર્ટ રેડિયેશન શરીરમાં પ્રવેશે છે, તો તે ગંભીર જોખમનું કારણ બની શકે છે. જો રેડિયેશનનું સ્તર 10 હજારથી ઉપર જાય છે, તો તેના કારણે મૃત્યુ થવાની સંભાવના છે.

રેડિયેશનથી થતા કેન્સરના લક્ષણો શરીરમાં તરત દેખાતા નથી. આમ થવામાં 10 થી 15 વર્ષનો સમય લાગે છે. ડાયાબિટીસ ધરાવતા લોકોએ સીટી સ્કેન કરાવતા પહેલા તેમની દવા લેવી જોઈએ નહીં. વૃદ્ધ લોકોએ પણ સીટી સ્કેન કરાવવાનું ટાળવું જોઈએ. યુવાન લોકો કરતાં વૃદ્ધોને રેડિયેશનથી વધુ જોખમ હોઈ શકે છે.

કોરોના દરમિયાન ઘણા લોકોએ સીટી સ્કેન કરાવ્યું હતું

દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન, ચેપગ્રસ્ત મોટાભાગના લોકોએ સીટી અને એચઆરસીટી સ્કેન કરાવ્યા હતા. એવા ઘણા લોકો હતા જેમણે તબીબી સલાહ વિના છાતીનું સ્કેન કરાવ્યું હતું અને લોકો અઠવાડિયામાં બે થી ત્રણ વખત પણ સ્કેન કરાવતા હતા. તે દરમિયાન AIIMS નવી દિલ્હીના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે હળવા લક્ષણોવાળા કોરોના દર્દીઓને CT-સ્કેન કરાવવાની જરૂર નથી. એક સીટી-સ્કેન 400 એક્સ-રેની સમકક્ષ છે. તે હાનિકારક રેડિયેશન બહાર કાઢે છે, જે કેન્સરનું કારણ બની શકે છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

આ પણ વાંચો :અમદાવાદમાં RSSની વાર્ષિક પ્રતિનિધિ બેઠકઃ જાણો, ગુજરાતમાં કોણે શરૂ કરી હતી સંઘને પહેલી શાખા

આ પણ વાંચો :દેશનું ઘરેણું છે રક્ષા શક્તિ યુનિવર્સિટી, વિશ્વમાં ફોરેન્સિક સાયન્સ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાંય નથી, માત્ર ગાંધીનગરમાં છે : PM MODI

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">