AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMG: તો આ રીતે પોતાને સ્વસ્થ રાખે છે અનુષ્કાથી માંડીને શિલ્પા, જાણો વર્ષો જૂની આયુર્વેદિક પદ્ધતિ

ઓઈલ પુલિંગએ તમારી મૌખિક સ્વચ્છતા માટે જ નહીં પણ તમારી ત્વચા માટે પણ સારું છે. માત્ર અનુષ્કા જ નહીં પણ ફિટનેસ ફ્રીક શિલ્પા શેટ્ટી પણ આ પદ્ધતિનો ઉપયોગ કરે છે.

OMG: તો આ રીતે પોતાને સ્વસ્થ રાખે છે અનુષ્કાથી માંડીને શિલ્પા, જાણો વર્ષો જૂની આયુર્વેદિક પદ્ધતિ
What is Oil pulling and its benefits, knows how to do it
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 9:47 PM
Share

દરેક વ્યક્તિ બોલિવૂડ સેલેબ્સની ફિટનેસ અને સુંદરતાથી પ્રભાવિત થાય છે અને વિચારે છે કે કાશ હું પણ તેના જેવી કે જેવો હોત. પરંતુ સારી ત્વચા અને માવજત પાછળ, માત્ર મોંઘા ઉત્પાદનો જ કામ નથી કરતા, પણ તેમની દિનચર્યાઓ પણ તેનું એક કારણ છે. ગયા વર્ષે અનુષ્કા શર્માએ ઈન્સ્ટા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તે પોતાના દિવસની શરૂઆત ઓઈલ પુલિંગથી કરે છે.

ઓઈલ પુલિંગને ગંડુશા અથવા કવલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓઈલ પુલિંગએ તમારી મૌખિક સ્વચ્છતા માટે જ નહીં પણ તમારી ત્વચા માટે પણ સારું છે. માત્ર અનુષ્કા જ નહીં પણ ફિટનેસ ફ્રીક શિલ્પા શેટ્ટીએ પણ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે દરરોજ 7 થી 10 મિનિટ માટે પ્રેસ્ડ નાળિયેર તેલથી ઓઈલ પુલિંગ કરે છે. ચાલો જાણીએ ઓઈલ પુલિંગ વિશે.

વર્ષો જૂની આયુર્વેદિક પદ્ધતિ

ઓઈલ પુલિંગએ એક આયુર્વેદિક પદ્ધતિ છે. જેમાં શરીરની સમસ્યાઓ દૂર કરવા માટે વિવિધ પ્રકારના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તલનું તેલ, સૂર્યમુખી તેલ અને નાળિયેર તેલનો ઉપયોગ આમાં થાય છે. આ બધા તેલ મિક્ષ કરી અને કોગળા કરવામાં આવે છે અને બાદમાં બ્રશ કરીને મોઢું સાફ કરવામાં આવે છે.

શું છે રીત?

સવારે ખાલી પેટ પર ઓઈલ પુલિંગ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમય દરમિયાન મિસ્ક ઓઈલને મોઢામાં ભરીને તેને આજુબાજુ ફેરવાય છે. લગભગ પાંચથી દસ મિનિટ સુધી મોઢામાં તેલ રાખ્યા બાદ તેને થૂંકી દો. ધ્યાન રાખો કે ભરેલું તેલ ગળી ન જવાય. નાળિયેર તેલ સિવાય, તમે ઓઈલ પુલિંગ માટે તલનું તેલ, સૂર્યમુખી તેલ અને ઓલિવ તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

જાણો ફાયદા

ઓઈલ પુલિંગ કરવાથી મોઢામાં રહેલા બેક્ટેરિયા અને જંતુઓ સારી રીતે સાફ થઈ જાય છે. જો તેને નિયમિત કરવામાં આવે તો મોઢાની દુર્ગંધ, પોલાણની સમસ્યા, સોજા, દાંતનો દુખાવો, માથાનો દુખાવો અને ત્વચાને મોઈશ્ચરાઈઝ (Moisturize) કરવામાં મદદ કરે છે. આ સાથે બેક્ટેરિયા તમારા પેટમાં પ્રવેશતા અટકાવે છે, જેના કારણે પેટની સમસ્યાઓ ઓછી થાય છે.

આ પણ વાંચો: Health : આયુર્વેદ અનુસાર કેવી હોવી જોઈએ તમારી સવાર, જાણો આ છે કામની વાત

આ પણ વાંચો: Health Tips : ઘૂંટણ અને પીઠનો દુખાવો દૂર કરવા અપનાવો આ ખોરાક, અને પછી જુઓ ફાયદા!

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Follow Us
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
g clip-path="url(#clip0_868_265)">