ફાયદાકારક: રોજ સવારે 30 મિનીટ સાઈકલનું ચક્કર બદલી દેશે તમારુ જીવન ચક્ર, જાણો ફાયદા

સાયકલિંગ એક સારી કસરત છે. સાઈકલિંગ કરવાથી તમને કંટાળો પણ નહીં આવે, સાથે સાથે તમે બધી સમસ્યાઓથી બચી શકો છો.

ફાયદાકારક: રોજ સવારે 30 મિનીટ સાઈકલનું ચક્કર બદલી દેશે તમારુ જીવન ચક્ર, જાણો ફાયદા
30 minutes of cycling is the best exercise
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 7:31 AM

કેટલાક લોકોને રોજ વહેલી સવારે ઉઠીને કસરત કરવામાં તકલીફ પડે છે. તો કેટલાક લોકોને તે કંટાળાજનક લાગે છે. જો તમારી સાથે પણ આવું કંઇક થાય છે, તો તમારે દરરોજ લગભગ 30 મિનિટ સાઇકલિંગ કરવું જોઈએ. સાયકલિંગ સ્વયં જ એક સારી કસરત છે. આ કરવાથી તમને કંટાળો નહીં આવે ઉપરાંત સાથે તમારું વજન પણ કંટ્રોલમાં રહેશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધશે. ચાલો તમને જણાવીએ સાયકલ ચલાવવાના તમામ ફાયદા.

1. દરરોજ 30 થી 45 મિનિટ સાઇકલ ચલાવવાથી ટાઇપ -2 ડાયાબિટીસનું જોખમ ઘટે છે. જે લોકોને ડાયાબિટીસ છે, તેમનું સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

2. સાયકલ ચલાવતી વખતે તમારા પગને સારી કસરત મળે છે. આ પગના સ્નાયુઓને મજબૂત થાય છે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

3. તમામ સંશોધનોમાં એ વાત પણ સામે આવી છે કે રોજ 30 મિનિટ સુધી સાઇકલ ચલાવવાની આદત દ્વારા બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે અને હૃદય સ્વસ્થ રહે છે.

4. કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની વાતો વેગ પકડી રહી છે અને લોકો આ માટે તમામ પ્રકારની વસ્તુઓ લઈ રહ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ કે દૈનિક સાઈકલિંગ તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

5. સાઇકલ ચલાવીને પણ વજનને નિયંત્રિત કરી શકો છો. સાયકલ ચલાવવાથી કેલરી બર્ન થાય છે. સંશોધન મુજબ, જો તમે છ મહિના સુધી સતત સાઇકલ ચલાવો છો, તો તમે તમારા વજનના 12 ટકા સુધી ઉતારી શકો છો. પરંતુ તેની સાથે આહારનું પણ સંતુલન રાખવું જરૂરી છે.

6. સાઈકલ ચલાવવાથી તણાવ પણ ઓછો થાય છે અને મૂડ ફ્રેશ થાય છે. આ સિવાય સાયકલ ચલાવવાથી તમારી યાદશક્તિ પણ મજબૂત થાય છે.

સાઈકલ ચલાવવા કયો સમય યોગ્ય છે?

હકીકતમાં તમે ગમે ત્યારે સાઇકલિંગ કરી શકો છો. પરંતુ જો તમે તેનાથી સ્વાસ્થ્ય લાભ લેવા માંગતા હો, તો તે શ્રેષ્ઠ છે કે તમે સવારે સાયકલ ચલાવો. તે વધુ સારા પરિણામો આપે છે.

કોને સાઈકલ ન ચલાવવી જોઈએ

ઘૂંટણની સમસ્યાથી પીડાતા લોકોએ સાઈકલ ચલાવવી જોઈએ નહીં કારણ કે સાઈકલ ચલાવવાથી સમસ્યા વધી શકે છે.

અસ્થમાના દર્દીઓએ લાંબા સમય સુધી સાઈકલ ન ચલાવવી જોઈએ નહીંતર તેમને શ્વાસની તકલીફ થઈ શકે છે. તેમને પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને બાદમાં તેની સૂચનાઓ અનુસાર સાઇકલિંગ કરવું.

જે લોકોને એપીલેપ્ટીક સીઝર્સ (જકડાઈ જવાની બિમારી) છે, તે લોકોએ પણ ડોક્ટરની સલાહ વગર સાઈકલ ચલાવવાનું ટાળવું જોઈએ કારણ કે સાઈકલ ચલાવતી વખતે જો તમે જકડાઈ જાઓ છો તો અકસ્માત થઈ શકે છે.

આ પણ વાંચો: ના હોય! શું રાત્રે કપડાં વગર સૂવું ખરેખર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે? જાણો સત્ય

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: Fitness Tips: જો તમે પણ બેસીને દૂધ પીતા હોવ તો બદલી દો આ આદત, જાણો 8 નિયમો

Latest News Updates

અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">