AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ના હોય! શું રાત્રે કપડાં વગર સૂવું ખરેખર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે? જાણો સત્ય

તમે એ પણ સાંભળ્યું હશે કે રાત્રે કપડાં વગર સૂવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં, જાણો કે ખરેખર આવું છે કે નહીં અને જો એમ હોય તો તેના ફાયદા શું છે.

ના હોય! શું રાત્રે કપડાં વગર સૂવું ખરેખર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે? જાણો સત્ય
Know why sleeping naked is good for your health and stress
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 2:49 PM
Share

ઘણીવાર એવું કહેવાય છે કે રાત્રે કપડાં વગર સૂવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તમે ઇન્ટરનેટ પર પણ આ વાંચ્યું હશે, પરંતુ ઘણા લોકો આને ખોટું પણ માને છે. જો તમે પણ જાણવા માગો છો કે સૂતી વખતે કપડાં પહેરવા જોઈએ કે નહીં? તો આજે અમે તમને જણાવીએ છીએ કે આ સવાલ વિશે જુદા જુદા અહેવાલો શું કહે છે.

મોટાભાગે રિપોર્ટ્સ અને સંશોધનમાં જોવા મળ્યું છે કે રાત્રે કપડાં વગર સૂવું તમારા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. આ રિપોર્ટ્સમાં એક મહત્વની દલીલ છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જો તમે સૂતી વખતે કપડા ન પહેરો તો તમને સારી ઊંઘ આવે છે અને તમે વારંવાર ઉઠતા નથી. એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે વ્યક્તિને સારી ઊંઘ આવે છે, ત્યારે તેને ઘણી રીતે ફાયદો થાય છે. તેથી આ અહેવાલોમાં વ્યક્તિએ કપડાં પહેર્યા વગર સૂવાના પ્રયત્ન કરવા કહેવાયું છે.

શું છે ફાયદા

ફોર્બ્સના અહેવાલમાં University of Rochester demonstrates ના એક સંશોધન આધારે કહેવામાં આવ્યું છે કે જ્યારે તમે સૂવો છો, ત્યારે તમારું મગજ ટોકસીક પ્રોટીન છોડે છે જે તમારા મગજ માટે ખૂબ જ સારું હોય છે. વળી, જો તમે કપડાં વગર સૂવો છો, તો તમને ખૂબ સારી ઊંઘ આવે છે અને આ મગજમાંથી ટોકસીક બહાર કાવામાં ઘણી મદદ કરે છે. આ સિવાય તણાવ પણ માત્ર સારી ઊંઘથી જ દુર થાય છે અને કપડાં વગરની ઊંઘ એમાં પણ મદદ કરે છે.

આ સિવાય જ્યારે પણ તમે કપડાં વગર સૂઈ જાઓ છો ત્યારે તમારો આત્મવિશ્વાસ વધે છે. આ સાથે તમે જાણો છો કે જો આત્મવિશ્વાસ વધે છે, તો તે તમારા માટે એનર્જી તરીકે કામ કરે છે. આ સાથે, યુનિવર્સિટીના સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે જ્યારે તમે કપડાં વગર સૂઈ જાઓ છો, ત્યારે એક રીતે તમારી ત્વચા શ્વાસ લે છે. જે દિવસ દરમિયાન કપડાંથી ઢંકાયેલી રહે છે. તેથી ત્વચાના તાપમાનને કારણે તમારે વારંવાર ઊંઘ ઉડી જવાની સમસ્યામાં રાહત મળે છે.

એવું પણ કહેવાય છે કે જો તમે અધૂરો અને ઓછો સમય ઊંઘ લો છો, તો તમારી સ્થૂળતા વધવાની સમસ્યા પણ વધી જાય છે. પરંતુ સંપૂર્ણ ઊંઘ લેવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. ખાસ વાત એ છે કે આ ઊંઘ માટે કપડાં વગર સૂવું ખૂબ જ અસરકારક છે.

કપડાં વગર સૂવું કેમ ખોટું માનવામાં આવે છે?

ઘણા લોકો તેની વિરુદ્ધ પણ છે અને તેઓ કહે છે કે કોઈએ રાત્રે કંઈક પહેરીને સૂવું જોઈએ. આની પાછળ તેમનું કહેવું છે કે આમ કરવાથી રાત્રે ઈમરજન્સીમાં સમસ્યા ઉભી થઈ શકે છે. વળી, રાત્રે પાણી વગેરેની જરૂરિયાત હોય તો સમસ્યા સર્જાય છે. આ સિવાય કુટુંબમાં રહેતી વખતે પણ તમને આવી સમસ્યામાં મુશ્કેલી પડી શકે છે. તેમજ મચ્છર અને જીવાતના કારણે પણ સમસ્યા ઉભી થાય છે.

આ પણ વાંચો: Fitness Tips: જો તમે પણ બેસીને દૂધ પીતા હોવ તો બદલી દો આ આદત, જાણો 8 નિયમો

વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: Exercise: કસરત કરવાનો શ્રેષ્ઠ સમય છે મોર્નિંગ, જાણો સાવરે જીમમાં પરસેવો પાડવાના અમૂલ્ય ફાયદા

શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
g clip-path="url(#clip0_868_265)">