Alert: જો તમને પણ સવારે ઉઠતાવેંત ચા પીવાની આદત છે તો ચેતી જજો, થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ

સવારે ઉઠ્યા પછી તરત જ ચા પીવાની તમને પણ આદત હોય તો આ અહેવાલ ખાસ તમારા માટે છે. આ આદત સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

Alert: જો તમને પણ સવારે ઉઠતાવેંત ચા પીવાની આદત છે તો ચેતી જજો, થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ
The habit of drinking tea immediately after waking up in the morning can cause this health problems
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 8:24 AM

ઘણા લોકોને આદત હોય છે કે સવારે ઉઠતાની સાથે જ ચા પીવા જોઈએ છે. ચાની ચુસકીથી તેમના દિવસની શરૂઆત તેઓ કરે છે. કદાચ તમે પણ એવું કરતા હશો. ભલે તે તમારી આદત બની ગઈ હોય, પણ આમ કરવું તમારા માટે હાનિકારક હોઈ શકે છે. ઉપરાંત, તમારી આ આદત તમારા સ્વાસ્થ્ય પર પણ અસર કરી શકે છે. જો તમે પણ સવારે ઉઠતાની સાથે જ ચા પીઓ છો, તો તમારે થોડું સાવધાન રહેવું જોઈએ, કારણ કે ઘણા નિષ્ણાતો તેને ખરાબ આદત માને છે.

આવી સ્થિતિમાં, આજે આપણે જણાવીએ કે સવારે ખાલી પેટે ચા પીવાથી શું નુકસાન થાય છે. જાણો કે તમારે કયા સમયે ચા પીવી જોઈએ અને ચા પીતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

મેટાબોલિક સિસ્ટમને નુકસાન

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જો તમે સવારે ઉઠતાની સાથે જ ગરમ ચા પીવો છો, તો તે તમારી મેટાબોલિક સિસ્ટમ પર અસર કરે છે, કારણ કે ચામાં રહેલા અસંતુલિત એસિડિકને કારણે પેટ પર ઘણી અસર પડે છે. તે તમારી મેટાબોલિક સિસ્ટમને અસર કરે છે અને તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

શરીરને ડિહાઇડ્રેટ કરે છે

ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે ચા આપણા શરીરમાં પાણીની માત્રા ઘટાડે છે. જ્યારે તમે રાત્રે સૂવો છો અને સવાર સુધી 8-9 કલાક સૂવો છો, ત્યારે તમે એ સમયે પાણી પિતા નથી અને શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે છે. આ પછી, જ્યારે તમે પાણી પીયા વગર ચા પીઓ છો, ત્યારે તે શરીરને વધુ ડિહાઈડ્રેટ કરે છે, તેથી તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારું શરીર ડિહાઈડ્રેટેડ ન થઇ આય.

પેટના રોગનો ભય

ઉપરાંત જે લોકો ખાલી પેટ ચા પીવે છે તેઓ અલ્સર અને હાઇપરસીડીટીનો શિકાર બને છે કારણ કે ખાલી પેટ પર ગરમ ચા પીવાથી પેટની અંદરની સપાટી પર ઇજા થવાનું જોખમ વધે છે. આ સિવાય એસિડિટી અને કબજિયાતની સમસ્યા, પેટમાં ગેસ રહે છે. જો શક્ય હોય તો, દૂધની ચા ઉપરાંત, તમારે ગ્રીન ટી વગેરેનું સેવન કરવું જોઈએ.

હાડકાના રોગનો ભય

આ સિવાય ખાલી પેટ ચા પીવાથી સ્કેલેટલ ફ્લોરોસિસ નામની બીમારી પણ થઈ શકે છે. આ રોગ હાડકાંને અંદરથી ખોખલા બનાવે છે. આ રોગમાં શરીરમાં આર્થરાઈટીસ જેવો દુઃખાવો થાય છે.

આ પણ વાંચો: Health Tips: વિવિધ વાનગીઓમાં સ્વાદ માટે વપરાતા લીલા વટાણા નથી સામાન્ય, જાણો તેના અમુલ્ય સ્વાસ્થ્ય લાભ

આ પણ વાંચો: ખુબ જ જરૂરી: ચિકનગુનિયા-ડેન્ગ્યુનો વધી ગયો છે આતંક, જરૂર વાંચો તેના લક્ષણો અને બચવાના ઉપાયો

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">