AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alert: જો તમને પણ સવારે ઉઠતાવેંત ચા પીવાની આદત છે તો ચેતી જજો, થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ

સવારે ઉઠ્યા પછી તરત જ ચા પીવાની તમને પણ આદત હોય તો આ અહેવાલ ખાસ તમારા માટે છે. આ આદત સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

Alert: જો તમને પણ સવારે ઉઠતાવેંત ચા પીવાની આદત છે તો ચેતી જજો, થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ
The habit of drinking tea immediately after waking up in the morning can cause this health problems
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 8:24 AM
Share

ઘણા લોકોને આદત હોય છે કે સવારે ઉઠતાની સાથે જ ચા પીવા જોઈએ છે. ચાની ચુસકીથી તેમના દિવસની શરૂઆત તેઓ કરે છે. કદાચ તમે પણ એવું કરતા હશો. ભલે તે તમારી આદત બની ગઈ હોય, પણ આમ કરવું તમારા માટે હાનિકારક હોઈ શકે છે. ઉપરાંત, તમારી આ આદત તમારા સ્વાસ્થ્ય પર પણ અસર કરી શકે છે. જો તમે પણ સવારે ઉઠતાની સાથે જ ચા પીઓ છો, તો તમારે થોડું સાવધાન રહેવું જોઈએ, કારણ કે ઘણા નિષ્ણાતો તેને ખરાબ આદત માને છે.

આવી સ્થિતિમાં, આજે આપણે જણાવીએ કે સવારે ખાલી પેટે ચા પીવાથી શું નુકસાન થાય છે. જાણો કે તમારે કયા સમયે ચા પીવી જોઈએ અને ચા પીતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

મેટાબોલિક સિસ્ટમને નુકસાન

જો તમે સવારે ઉઠતાની સાથે જ ગરમ ચા પીવો છો, તો તે તમારી મેટાબોલિક સિસ્ટમ પર અસર કરે છે, કારણ કે ચામાં રહેલા અસંતુલિત એસિડિકને કારણે પેટ પર ઘણી અસર પડે છે. તે તમારી મેટાબોલિક સિસ્ટમને અસર કરે છે અને તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

શરીરને ડિહાઇડ્રેટ કરે છે

ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે ચા આપણા શરીરમાં પાણીની માત્રા ઘટાડે છે. જ્યારે તમે રાત્રે સૂવો છો અને સવાર સુધી 8-9 કલાક સૂવો છો, ત્યારે તમે એ સમયે પાણી પિતા નથી અને શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે છે. આ પછી, જ્યારે તમે પાણી પીયા વગર ચા પીઓ છો, ત્યારે તે શરીરને વધુ ડિહાઈડ્રેટ કરે છે, તેથી તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારું શરીર ડિહાઈડ્રેટેડ ન થઇ આય.

પેટના રોગનો ભય

ઉપરાંત જે લોકો ખાલી પેટ ચા પીવે છે તેઓ અલ્સર અને હાઇપરસીડીટીનો શિકાર બને છે કારણ કે ખાલી પેટ પર ગરમ ચા પીવાથી પેટની અંદરની સપાટી પર ઇજા થવાનું જોખમ વધે છે. આ સિવાય એસિડિટી અને કબજિયાતની સમસ્યા, પેટમાં ગેસ રહે છે. જો શક્ય હોય તો, દૂધની ચા ઉપરાંત, તમારે ગ્રીન ટી વગેરેનું સેવન કરવું જોઈએ.

હાડકાના રોગનો ભય

આ સિવાય ખાલી પેટ ચા પીવાથી સ્કેલેટલ ફ્લોરોસિસ નામની બીમારી પણ થઈ શકે છે. આ રોગ હાડકાંને અંદરથી ખોખલા બનાવે છે. આ રોગમાં શરીરમાં આર્થરાઈટીસ જેવો દુઃખાવો થાય છે.

આ પણ વાંચો: Health Tips: વિવિધ વાનગીઓમાં સ્વાદ માટે વપરાતા લીલા વટાણા નથી સામાન્ય, જાણો તેના અમુલ્ય સ્વાસ્થ્ય લાભ

આ પણ વાંચો: ખુબ જ જરૂરી: ચિકનગુનિયા-ડેન્ગ્યુનો વધી ગયો છે આતંક, જરૂર વાંચો તેના લક્ષણો અને બચવાના ઉપાયો

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">