Health Tips : કાજુનું વધુ પડતું સેવન કેટલું યોગ્ય ? કેટલી માત્રામાં ખાવા જોઈએ કાજુ ?

ઘણી વખત આપણે કાજુને વધુ પડતા ખાઈએ છીએ. પરંતુ કેટલાક લોકો માટે આમ કરવું એક સમસ્યા બની શકે છે. કેટલાક લોકોને કાજુના વધુ પડતા સેવનને કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Health Tips : કાજુનું વધુ પડતું સેવન કેટલું યોગ્ય ? કેટલી માત્રામાં ખાવા જોઈએ કાજુ ?
Cashew for Health (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 7:19 AM

આપણે બધા કાજુનું(Cashew ) સેવન કરીએ છીએ. આ સ્વાદિષ્ટ કાજુ પોષક તત્વોનું પાવરહાઉસ(Powerhouse ) છે. કાજુ પ્રોટીનથી ભરપૂર છે જે વિટામિન્સ(Vitamins ), મિનરલ્સ, ફાઇબર અને એન્ટીઑકિસડન્ટોના સારા સ્ત્રોત છે. કાજુ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર સુપર પોષક તત્વો છે. તે હાડકાના સ્વાસ્થ્યને સુધારે છે અને તેમને મજબૂત બનાવે છે. પરંતુ જ્યારે કાજુ ખાવાની વાત આવે છે, ત્યારે આપણે આ સ્વાદિષ્ટ કાજુ ખાવાથી પોતાને ભાગ્યે જ રોકી શકીએ છીએ, જેના કારણે ઘણી વખત આપણે કાજુને વધુ પડતા ખાઈએ છીએ. પરંતુ કેટલાક લોકો માટે આમ કરવું એક સમસ્યા બની શકે છે. કેટલાક લોકોને કાજુના વધુ પડતા સેવનને કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેમ કે ભારેપણું, પેટ ફૂલવું, કબજિયાત, પેટનું ફૂલવું પછી બળતરા, ચક્કર આવવું.

હવે સવાલ એ થાય છે કે આવું કેમ અને કેટલી માત્રામાં કાજુનું સેવન કરવું યોગ્ય છે? આ લેખમાં, અમે તમને તેના વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ.

કાજુનું વધુ પડતું સેવન કેવી રીતે નુકસાનકારક છે?

એક નિષ્ણાંતે જણાવ્યું હતું છે કે 2 દિવસ પહેલા મારા ક્લિનિકમાં 50 વર્ષનો એક માણસ આવ્યો હતો, જેને શૌચ કર્યા પછી બળતરાની સમસ્યા હતી. તે પ્રોસ્ટેટ હાઈપરટ્રોફી અને પાઈલ્સનો મારો દર્દી છે. તમને જાણીને નવાઈ લાગશે કે અચાનક કબજિયાત, મળમાં બળતરા, પાઈલ્સ વધવા પાછળનું કારણ શેકેલા કાજુ હતા જે તેઓ છેલ્લા 3-4 દિવસથી ખાતા હતા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તે આગળ સમજાવે છે કે પરંપરાગત રસોઈમાં મોટાભાગનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. પરંતુ તે ક્યારેય મુખ્ય ઘટક નહોતું અને અમે ક્યારેય તેનો વિશાળ માત્રામાં ઉપયોગ કર્યો નથી. વાસ્તવમાં, કાજુ પચવામાં ભારે હોય છે, ઉપરાંત તે અત્યંત પૌષ્ટિક હોય છે. પરંતુ જ્યારે તે વધારે ખાવામાં આવે છે ત્યારે તે પેટનું ફૂલવું અને સુસ્તીનું કારણ બને છે.

તો કાજુ કેટલી માત્રામાં લેવા જોઈએ ?

આયુર્વેદ અનુસાર કાજુ ગરમ, ભારે અને પૌષ્ટિક છે. દિવસમાં 5 થી વધુ ન લેવું એ એક સારો વિકલ્પ છે. જો તમારા શરીરની ગરમી વધારે હોય કે પાચન શક્તિ નબળી હોય તો તમે 2-3 શેકેલા કાજુ ખાઈ શકો છો. જો તમને ત્વચાની સમસ્યા, કબજિયાત, પાઈલ્સ હોય તો કાજુનું સેવન ઓછામાં ઓછું કરો, સાથે જ ઉનાળાની ઋતુમાં વધુ કાજુ ખાવાનું ટાળો.

કાજુ બટર, કાજુનું દૂધ અને કાજુ ક્રીમ-ચીઝનું શું?

જો તમારી પાસે ખૂબ જ મજબૂત પાચન છે અને પેટ ફુલતું નથી, ઉપરાંત શરીરમાં કોઈ વધારાની ગરમી અથવા પિત્તા અસંતુલન નથી, તો તમે તેને અઠવાડિયામાં એક કે બે વાર લઈ શકો છો. પરંતુ ખાતરી કરો કે તમે તેનું વધુ પડતું સેવન કરતા નથી.

આ પણ વાંચો :

Diabetes Care : બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે રોજબરોજના ઉપયોગમાં અપનાવો આ મસાલા, મળશે રાહત

Health Tips : અળસીનું સેવન મહિલાઓની આ સમસ્યાઓ કરે છે દૂર, જાણો ખાવાની સાચી રીત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">