AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : કાજુનું વધુ પડતું સેવન કેટલું યોગ્ય ? કેટલી માત્રામાં ખાવા જોઈએ કાજુ ?

ઘણી વખત આપણે કાજુને વધુ પડતા ખાઈએ છીએ. પરંતુ કેટલાક લોકો માટે આમ કરવું એક સમસ્યા બની શકે છે. કેટલાક લોકોને કાજુના વધુ પડતા સેવનને કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Health Tips : કાજુનું વધુ પડતું સેવન કેટલું યોગ્ય ? કેટલી માત્રામાં ખાવા જોઈએ કાજુ ?
Cashew for Health (Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 7:19 AM
Share

આપણે બધા કાજુનું(Cashew ) સેવન કરીએ છીએ. આ સ્વાદિષ્ટ કાજુ પોષક તત્વોનું પાવરહાઉસ(Powerhouse ) છે. કાજુ પ્રોટીનથી ભરપૂર છે જે વિટામિન્સ(Vitamins ), મિનરલ્સ, ફાઇબર અને એન્ટીઑકિસડન્ટોના સારા સ્ત્રોત છે. કાજુ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર સુપર પોષક તત્વો છે. તે હાડકાના સ્વાસ્થ્યને સુધારે છે અને તેમને મજબૂત બનાવે છે. પરંતુ જ્યારે કાજુ ખાવાની વાત આવે છે, ત્યારે આપણે આ સ્વાદિષ્ટ કાજુ ખાવાથી પોતાને ભાગ્યે જ રોકી શકીએ છીએ, જેના કારણે ઘણી વખત આપણે કાજુને વધુ પડતા ખાઈએ છીએ. પરંતુ કેટલાક લોકો માટે આમ કરવું એક સમસ્યા બની શકે છે. કેટલાક લોકોને કાજુના વધુ પડતા સેવનને કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેમ કે ભારેપણું, પેટ ફૂલવું, કબજિયાત, પેટનું ફૂલવું પછી બળતરા, ચક્કર આવવું.

હવે સવાલ એ થાય છે કે આવું કેમ અને કેટલી માત્રામાં કાજુનું સેવન કરવું યોગ્ય છે? આ લેખમાં, અમે તમને તેના વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ.

કાજુનું વધુ પડતું સેવન કેવી રીતે નુકસાનકારક છે?

એક નિષ્ણાંતે જણાવ્યું હતું છે કે 2 દિવસ પહેલા મારા ક્લિનિકમાં 50 વર્ષનો એક માણસ આવ્યો હતો, જેને શૌચ કર્યા પછી બળતરાની સમસ્યા હતી. તે પ્રોસ્ટેટ હાઈપરટ્રોફી અને પાઈલ્સનો મારો દર્દી છે. તમને જાણીને નવાઈ લાગશે કે અચાનક કબજિયાત, મળમાં બળતરા, પાઈલ્સ વધવા પાછળનું કારણ શેકેલા કાજુ હતા જે તેઓ છેલ્લા 3-4 દિવસથી ખાતા હતા.

તે આગળ સમજાવે છે કે પરંપરાગત રસોઈમાં મોટાભાગનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. પરંતુ તે ક્યારેય મુખ્ય ઘટક નહોતું અને અમે ક્યારેય તેનો વિશાળ માત્રામાં ઉપયોગ કર્યો નથી. વાસ્તવમાં, કાજુ પચવામાં ભારે હોય છે, ઉપરાંત તે અત્યંત પૌષ્ટિક હોય છે. પરંતુ જ્યારે તે વધારે ખાવામાં આવે છે ત્યારે તે પેટનું ફૂલવું અને સુસ્તીનું કારણ બને છે.

તો કાજુ કેટલી માત્રામાં લેવા જોઈએ ?

આયુર્વેદ અનુસાર કાજુ ગરમ, ભારે અને પૌષ્ટિક છે. દિવસમાં 5 થી વધુ ન લેવું એ એક સારો વિકલ્પ છે. જો તમારા શરીરની ગરમી વધારે હોય કે પાચન શક્તિ નબળી હોય તો તમે 2-3 શેકેલા કાજુ ખાઈ શકો છો. જો તમને ત્વચાની સમસ્યા, કબજિયાત, પાઈલ્સ હોય તો કાજુનું સેવન ઓછામાં ઓછું કરો, સાથે જ ઉનાળાની ઋતુમાં વધુ કાજુ ખાવાનું ટાળો.

કાજુ બટર, કાજુનું દૂધ અને કાજુ ક્રીમ-ચીઝનું શું?

જો તમારી પાસે ખૂબ જ મજબૂત પાચન છે અને પેટ ફુલતું નથી, ઉપરાંત શરીરમાં કોઈ વધારાની ગરમી અથવા પિત્તા અસંતુલન નથી, તો તમે તેને અઠવાડિયામાં એક કે બે વાર લઈ શકો છો. પરંતુ ખાતરી કરો કે તમે તેનું વધુ પડતું સેવન કરતા નથી.

આ પણ વાંચો :

Diabetes Care : બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે રોજબરોજના ઉપયોગમાં અપનાવો આ મસાલા, મળશે રાહત

Health Tips : અળસીનું સેવન મહિલાઓની આ સમસ્યાઓ કરે છે દૂર, જાણો ખાવાની સાચી રીત

Follow Us
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">