AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer : ખાણી પીણીની એ આદતો જેનાથી કેન્સર થવાનું જોખમ વધી જાય છે, જાણો શું છે ?

આ રોગથી બચી શકાતું નથી, પરંતુ આહારમાં(Food ) ફેરફાર કરીને તેનું જોખમ ઘટાડી શકાય છે. દરરોજ તંદુરસ્ત દિનચર્યા અનુસરો અને આહારમાં એક સમયે લીલા શાકભાજીનું સેવન કરો.

Cancer : ખાણી પીણીની એ આદતો જેનાથી કેન્સર થવાનું જોખમ વધી જાય છે, જાણો શું છે ?
Diet and Cancer (Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2022 | 9:20 AM
Share

કેન્સર(Cancer ) એક એવો રોગ છે, જેનું નામ સાંભળતા જ લોકોમાં બીક(Fear ) આવી જાય છે. અસાધ્ય ગણાતા આ રોગને કારણે દર્દી(Patient ) એટલો ભાંગી પડે છે કે તે ઈચ્છવા છતાં સાજો થઈ શકતો નથી. કેન્સરના ઘણા પ્રકાર છે અને તેની ઘટના પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે અને સારવારના અભાવે મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે. અહેવાલો અનુસાર, 2025 સુધીમાં કેન્સરના દર્દીઓની સંખ્યા 30 મિલિયન સુધી પહોંચી શકે છે. નિષ્ણાતોના મતે, કેન્સરથી પીડિત થવા પાછળના કારણો આનુવંશિક હોઈ શકે છે. આ સિવાય ખાવાના કારણે કેન્સર થવાનો ખતરો વધી જાય છે. અહીં અમે તમને કેટલીક એવી ખરાબ ટેવો અથવા ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે કેન્સર થવાનું જોખમ વધારે છે. તેના વિશે જાણો..

કેન્સર કેવી રીતે થાય છે?

નિષ્ણાતો કહે છે કે જ્યારે શરીરમાં અમુક કોષો નાશ પામે છે ત્યારે કેન્સરનું જોખમ વધી જાય છે. શરીરમાં કેન્સરની કોશિકાઓ ઝડપથી વધવા લાગે છે અને આ કારણે સ્વસ્થ કોષો બનતા નથી.

કેન્સરનું જોખમ વધારે છે તેવી આદતો જાણો

  1. એક્સપર્ટ્સનું કહેવું છે કે ડાયટની કમી કે હેલ્ધી ફૂડ ન ખાવાથી આ બીમારી તમને પોતાની ઝપેટમાં લઈ શકે છે. આ સિવાય આપણા ખોરાકમાં કરેલી ભૂલોને કારણે પણ મોઢાનું કેન્સર થઈ શકે છે.
  2. તમાકુ, બીડી કે સિગારેટ કે પાન મસાલા જેવી વસ્તુઓનું સેવન કરવાથી પણ કેન્સર થવાનું જોખમ વધી જાય છે. જો તેમની આદત પડી જાય તો તેનાથી છુટકારો મેળવવો મુશ્કેલ છે અને લોકો જોખમ જાણ્યા પછી પણ આવા ઝેરી પદાર્થોનું સેવન કરે છે.
  3. આજના સમયમાં, લોકોએ હેલ્ધી લીલા શાકભાજીને છોડીને બજારમાં ઉપલબ્ધ પ્રોસેસ્ડ ફૂડને રૂટીનનો એક ભાગ બનાવવાનું શરૂ કર્યું છે. ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે આ ફૂડને સ્ટોર કરવા માટે કેમિકલ ઉમેરવામાં આવે છે, જે શરીર માટે ખૂબ જ ખતરનાક છે. WHO એ પણ માન્યતા આપી છે કે ચિકન, સલામી, સોસેજ જેવા નોન-વેજ ખોરાક કેન્સરનું જોખમ વધારે છે.

આ ઉપાય કરો

એ વાત સાચી છે કે આ રોગથી બચી શકાતું નથી, પરંતુ આહારમાં ફેરફાર કરીને તેનું જોખમ ઘટાડી શકાય છે. દરરોજ તંદુરસ્ત દિનચર્યા અનુસરો અને આહારમાં એક સમયે લીલા શાકભાજીનું સેવન કરો.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">