AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bloating: શું જમ્યા પછી પેટમાં ગેસ થાય છે? જાણો નિષ્ણાતો કારણ અને તેના ઉપાય

Bloating Problem:જીવનશૈલીમાં સમસ્યા, હોર્મોનલ અસંતુલન, વાસી ખોરાક ખાવાથી, પેટમાં પાણી અથવા ફ્યુઇડ ભરાવું અથવા કબજિયાત જેવા ઘણા કારણોને લીધે પેટમાં ગેસ થઇ શકે છે.

Bloating: શું જમ્યા પછી પેટમાં ગેસ થાય છે? જાણો નિષ્ણાતો કારણ અને તેના ઉપાય
Bloating
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2023 | 9:33 AM
Share

Bloating Reasons:જીવનશૈલીમાં સમસ્યા, હોર્મોનલ અસંતુલન, વાસી ખોરાક ખાવાથી, પેટમાં પાણી અથવા ફ્યુઇડ ભરાવું અથવા કબજિયાત જેવા ઘણા કારણોને લીધે પેટમાં ગેસ થઇ શકે છે. આ સિવાય વધુ પડતી દવાઓ લેવાથી પણ ગેસ કે પેટ ફૂલાવા જેવી સમસ્યા થઈ શકે છે. આનાથી છુટકારો મેળવવા માટે, યોગ્ય લક્ષણોને ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે પેટ ફૂલવાનું કારણ પેટમાં ગેસ ઉત્પન્ન થાય છે.

હોલિસ્ટિક હેલ્થ એક્સપર્ટ ડૉ. મિકી મહેતા કહે છે કે ગેસની સમસ્યા મોટે ભાગે તળેલા અને મસાલેદાર ખોરાકના સેવનને કારણે થાય છે. ગેસના કારણે તમને રોજિંદા કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પેટમાં ગેસને કારણે પેટ ભરેલું લાગે છે અને ભૂખ લાગતી નથી અને તમે ભોજનનો યોગ્ય રીતે આનંદ લઈ શકતા નથી. ચાલો આપણે હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણીએ કે કેવી રીતે આપણે ગેસથી છુટકારો મેળવી શકીએ.

કસરત કરો

વેલનેસ કોચ અને સર્ટિફાઇડ ન્યુટ્રિશનિસ્ટ આશિમા જૈન કહે છે કે આપણે દરરોજ ખોરાક ખાઈએ છીએ પરંતુ તેને પચાવવાનો પ્રયાસ કરતા નથી. દરરોજ સવારે ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરો. બહુ ભારે કસરતો કરવાની જરૂર નથી, જો તમે માત્ર 15-20 મિનિટ ચાલો અને 10-15 મિનિટ કૂદવાની થોડી કસરત કરો, તો તે તમારા માટે પૂરતું છે.

આહારનું ધ્યાન રાખો

ડૉક્ટર મિકી મહેતા કહે છે કે તમારા આહારમાં એવા ખોરાકનો સમાવેશ ન કરો, જેનાથી પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. જો તમારા પેટમાં અતિશય ગેસ થાય છે અથવા તમારું પેટ ફૂલી ગયું છે અને તમને ભારેપણું લાગે છે, તો તેનું કારણ તમારો આહાર હોઈ શકે છે.

યોગના આસનો

જો કોઈ વ્યક્તિને વારંવાર પેટ ફૂલવાની સમસ્યા રહેતી હોય તો તે યોગ કરી શકે છે. આ માટે બાલાસન અને પવનમુક્તાસન જેવા આસનોનો અભ્યાસ કરી શકાય છે.

આયુર્વેદિક જડીબુટ્ટીઓ

પેટ ફૂલવાની આ સમસ્યા ધાણા, જીરું અને વરિયાળીનું પાણી પીવાથી પણ દૂર થઈ શકે છે. આ માટે જીરું અને વરિયાળી સાથે ધાણાને પીસી લો અને આ પાવડરને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરો. આ પાણી પીવાથી ઘણો ફાયદો થશે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

g clip-path="url(#clip0_868_265)">