Women Health : પિરિયડ દરમ્યાન Heavy Bleeding ની સમસ્યાથી છો પરેશાન ? તો આ ટિપ્સને અવગણશો નહીં
પીરિયડ્સના (Periods )કારણે તમારા અન્ડર ગારમેન્ટ્સ ગંદા ન થાય તેનું ધ્યાન રાખો. જો તમારા આંતરિક વસ્ત્રોમાં સહેજ પણ ડાઘ છે, તો તેને અવગણશો નહીં, તેને તરત જ બદલી નાખો.
દર મહિને આવતા માસિક(Periods ) દરમિયાન ઘણી સ્ત્રીઓને પગમાં દુખાવો, ઉલ્ટી, ગેસ (Gas )વગેરે જેવી અનેક સમસ્યાઓનો(Problems ) સામનો કરવો પડે છે. ભારે રક્તસ્રાવની સમસ્યા પણ આ સમસ્યાઓનો એક ભાગ છે. ભારે રક્તસ્રાવની સમસ્યાને તબીબી ભાષામાં મેનોરેજિયા કહેવામાં આવે છે. કેટલીકવાર મેનોરેજિયામાં પીરિયડ્સ દરમિયાન મોટા કદના લોહીના ગંઠાઈ જવાનો પણ સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં ખૂબ જ સખત દુખાવો થાય છે, સાથે જ અન્ય કામ કરવામાં પણ તકલીફ પડે છે. ભારે રક્તસ્ત્રાવને કારણે સ્ત્રીઓને ઘણી વખત પેડ બદલવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં, માસિક સ્રાવની સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. થોડી બેદરકારી પણ ચેપનું જોખમ વધારી શકે છે. અહીં જાણો માસિકની સ્વચ્છતા જાળવવા માટેની સરળ ટીપ્સ.
સમયસર પેડ્સ બદલો
ઘણા લોકોની એવી માન્યતા છે કે જ્યારે પેડ ભરાઈ જાય ત્યારે તેને બદલવું જોઈએ. પરંતુ તે એવું નથી. સામાન્ય રીતે તમારે દર 4 કલાકે પેડ બદલવું જોઈએ. જરૂરિયાત મુજબ તેની સંખ્યા પણ વધારી શકાય છે. આ રીતે, દિવસમાં ઓછામાં ઓછા 4 થી 5 વખત પેડ બદલવું જરૂરી છે. મોટા ભાગના પીરિયડ્સના પહેલા બે દિવસ વધારે પરેશાનીભર્યા હોય છે, આનું ખાસ ધ્યાન રાખો.
અન્ડરગાર્મેન્ટ્સ પણ બદલો
પીરિયડ્સના કારણે તમારા અન્ડર ગારમેન્ટ્સ ગંદા ન થાય તેનું ધ્યાન રાખો. જો તમારા આંતરિક વસ્ત્રોમાં સહેજ પણ ડાઘ છે, તો તેને અવગણશો નહીં, તેને તરત જ બદલી નાખો. નહિંતર બેક્ટેરિયા વધવાનું જોખમ રહેલું છે. નાના શહેરોમાં, ઘણા લોકોની માન્યતા છે કે પીરિયડ્સના પહેલા બે દિવસમાં સ્નાન ન કરવું જોઈએ, જેના કારણે પેટમાં સોજો વધી જાય છે. પરંતુ આ ધારણા ખોટી છે. પહેલા બે દિવસમાં સ્વચ્છતાનું મહત્તમ ધ્યાન રાખવાની જરૂર છે. તેથી સ્નાન કરો. જો સોજો આવવાની શંકા હોય, તો તમે હૂંફાળા પાણીથી સ્નાન કરી શકો છો.
ઉનાળામાં ભેજ પણ વધે છે. આવી સ્થિતિમાં, પીરિયડ્સ દરમિયાન પરસેવો થવાને કારણે, બેક્ટેરિયાના વિકાસ અને ચેપનું જોખમ વધી જાય છે. તેથી જ્યારે પણ તમે વોશરૂમમાં જાવ ત્યારે પ્રાઈવેટ પાર્ટ અને તેની આસપાસના વિસ્તારને સારી રીતે સાફ કરો. જો તમે ઇચ્છો તો આ માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત, આજકાલ યોનિમાર્ગની સ્વચ્છતા જાળવવા માટે ઘણા પ્રકારના ક્લીનર્સ પણ ઉપલબ્ધ છે.