ભારતીય ભોજનમાં હળદરનું સ્થાન પહેલાથી જ રહ્યું છે. તેનાથી ખોરાકને તો રંગ મળે જ છે. તે સાથે તેનો સ્વાદ પણ અનેરો આવે છે. જોકે રંગ અને સ્વાદથી પણ ઉપર હળદર અનેક ઔષધીય ગુણો પણ ધરાવે છે. તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ થાય છે.
1). હળદર ઇન્સ્યુલિન રેઝીસ્ટનસને ઘટાડે છે :
હળદરનો સૌથી મોટો ગુણ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનો છે. આ સ્થિતિમાં એવું બને છે જે કોશિકાઓ ઇન્સ્યુલિન નામના હોર્મોન પર યોગ્ય પ્રતિક્રિયા કરી શકતી નથી, આ સંજોગોમાં ડાયાબિટીસની સંભાવના વધી જાય છે. એટલું જ નહીં તેના કારણે શરીર સ્થૂળ બને છે. હળદરમાં રહેલ કરક્યુમીન નામનું તત્વ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સની સ્થિતિને અટકાવે છે.
2). હળદર શરીરમાં વધારે પિત્ત ઉતપન્ન કરે છે :
હળદરનું એક મહત્વનું કાર્ય છે, પેટમાં ઉતપન્ન થતા પિત્તને વધારવું. આ પિત્ત ખોરાકના પાચનમાં ઉપયોગી મહત્વનો પાચકરસ છે. જે શરીરમાં જમા થયેલ ચરબીને ઓગાળે છે અને તેને ઉર્જામાં પરિવર્તિત કરે છે. તેનાથી પાચનક્રિયા પણ સારી રહે છે અને વજન નિયંત્રિત રહે છે. જે લોકોની પાચનક્રિયા ધીમે હોય છે તેમનું વજન વધારે હોય છે.
3). હળદરનું સેવન કેવી રીતે કરવું ?
-દૂધની ધીમી આંચે પાંચ સાત મિનિટ ગરમ કરો. એક ગ્લાસમલ દૂધમાં પા અથવા અડધી ચમચી હળદર ભેળવીને પીઓ. તેને તમે સવારે કે રાત્રે સૂતા પહેલા પી શકો છો.
-વેજીટેબલ સૂપ અથવા તમે જે સૂપ પીતા હોવ તેમાં હળદર નાંખીને પીવું જોઈએ. તે સાથે ચમચી મરીનો ભૂકો પણ ભેળવો.
-હળદર, ધાણા જીરાના પાઉડરને મિક્સ કરી મીઠું રાખવાની ડબ્બીમાં ભરી લો. તમે જ્યારે પણ સલાડ ખાવ, ત્યારે મીઠું સાથે આ પાઉડર પણ ભભરાવો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)
Published On - 2:15 pm, Sat, 19 September 20