Raisins water: કુદરતી રીતે લિવરને સાફ કરવા માટે દરરોજ પીવો આ પીણું
દ્રાક્ષને સૂકવીને કિસમિસ (Raisins) તૈયાર કરવામાં આવે છે. તેમાં કુદરતી મીઠાશ છે. કિસમિસને (Raisins) ડ્રાયફ્રુટની શ્રેણીમાં મૂકવામાં આવે છે. જો કે કિસમિસમાં વિટામિન-સી ઓછી માત્રામાં જોવા મળે છે.
Raisins water: દ્રાક્ષને સૂકવીને કિસમિસ (Raisins) તૈયાર કરવામાં આવે છે. તેમાં કુદરતી મીઠાશ છે. કિસમિસને (Raisins) ડ્રાયફ્રુટની શ્રેણીમાં મૂકવામાં આવે છે. જો કે કિસમિસમાં વિટામિન-સી ઓછી માત્રામાં જોવા મળે છે. આમ છતાં તેમાં આયર્ન, કેલ્શિયમ, ફાઇબર અને એન્ટી ઓક્સીડેંટ્સ ભરપૂર હોય છે. જે ઘણા રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે. કિસમિસ ખાસ કરીને બ્લડ પ્રેશર, વજન ઘટાડવું, કમળો અને એનિમિયામાં દવાની જેમ કામ કરે છે. આ સિવાય કિસમિસ લિવર માટે પણ કુદરતી ઉપાય છે. કિસમિસને ઘણા સંશોધનોમાં લિવર માટેની કુદરતી દવા બતાવવામાં આવી છે. જો તમે પણ લિવરને કુદરતી રીતે સાફ કરવા માંગતા હોય તો તમે દરરોજ કિસમિસનું સેવન કરી શકો છો.
લિવર એ શરીરનો સૌથી મહત્વપૂર્ણ અંગ છે, જે શરીરને ડિટોક્સ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે ગ્લુકોઝ બનાવવા માટે કાર્બોહાઇડ્રેટ્સને પણ તોડી નાખે છે. લિવરમાં આવશ્યક પોષક તત્વો જોવા મળે છે, જે ખોરાકમાંથી પૌષ્ટિક તત્વોને પચાવવા અને ગ્રહણ કરવા માટે જરૂરી છે. આ માટે લિવરનું સ્વસ્થ રહેવું ફરજિયાત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ, લિવરની બીમારી ભારતના દસ મોટા રોગોમાં ગણાય છે.
આ માટે, દરરોજ સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં 10-12 કિસમિસ નાખો. બીજા દિવસે સવારે ખાલી પેટ પર કિસમિસનું પાણી પીવો અને કિસમિસને ચાવીને ખાવ. કિસમિસનું દરરોજ સેવન કરવાથી લીવર કુદરતી રીતે સાફ થઇ જાય છે. આ ઉપરાંત શરીરમાં હાજર વધારાની ચરબી પણ બર્ન થવા લાગે છે. લોહીની ઉણપ પણ સમાપ્ત થાય છે. તેમાં આયર્ન, બી-કોમ્પ્લેક્સ અને વિટામિન હોય છે, જે એનિમિયામાં ફાયદાકારક છે અને કોપર લાલ રક્તકણોમાં વધારો કરે છે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)