Health Tips : સવારે માત્ર ચાર પિસ્તા ખાઓ, અનેક બીમારીઓ રહેશે દૂર

પિસ્તા (pistachios) પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દરરોજ સવારે ચાર પિસ્તા ખાવાથી અનેક બીમારીઓથી દૂર રહી શકાય છે.

Health Tips : સવારે માત્ર ચાર પિસ્તા ખાઓ, અનેક બીમારીઓ રહેશે દૂર
પિસ્તા પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 9:33 AM

જ્યારે વાત ડ્રાયફ્રુટની આવે ત્યારે તેમાં પિસ્તાનો (pistachios) સમાવેશ ચોક્કસપણે કરવામાં આવે છે. આ એક એવો સૂકોમેવો છે જે સરળ રીતે તમામ માર્કેટમાં ઉપલબ્ધ છે. તેના સ્વાદને લઈને પણ લોકોની વચ્ચે ક્રેઝ રહે છે. જોકે બદામ, દ્રાક્ષ, કિસમિસની તુલનામાં ટેન્ક ઉપયોગ ખાવામાં ઓછો કરવામાં આવે છે. તેમ છતાં તેના ફાયદા રહેલા છે. આજે અમે તમને પિસ્તાના ફાયદાની વાત કરીશુ.

આંખ માટે ફાયદાકારક નિષ્ણાતો કહે છે કે પિસ્તા આંખ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પિસ્તામાં વિટામિન ઈનું પ્રમાણ હોય છે. તથા વિટામીન-એ આંખના સંપૂર્ણ આરોગ્ય માટે સક્રિય વિટામિન તરીકે કાર્ય કરે છે. જો તમે આંખ સાથે સંબંધિત તકલીફથી દૂર રહેવા માંગો છો.તો પિસ્તાનું સેવન શરૂ કરી શકો છો.

કેન્સરથી રહેશો દૂર પિસ્તા કેન્સરની તકલીફના પણ ઓછી કરે છે. કેન્સર એક એવી બીમારી બની ચૂકી છે જેના કારણે લાખો લોકોના મોત થઈ જાય છે. એટલે તેની સારવાર માટે ઉપયોગ કરવામાં આવતી પ્રક્રિયા શરીરને ખૂબ જ કમજોર બનાવી દે છે. બીજી બાજુ પિસ્તામાં કેમો પ્રિવેન્ટિવ તત્વો રહેલા છે. જે કેન્સરના જોખમને ઘટાડી દેવા માટે ઉપયોગી છે. જેથી કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવા માટે ડાયટમાં પિસ્તાનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

હૃદય સંબધિત બીમારીઓથી પણ બચાવે હાર્ટ સંબંધિત બીમારીઓમાં પણ રાહત મળે છે. આજે ભારતનાં કરોડો લોકો હાર્ટ સાથે સંબંધિત બીમારીથી પીડાય છે તેવા લોકો માટે ડ્રાયફ્રુટ તરીકે પિસ્તાનો ઉપયોગ ફાયદો કરે છે. તેમાં કેમો પ્રોટેકટિવ તત્વો જોવા મળે છે. જે હાર્ટ સાથે સંબંધિત રોગોમાં બચાવી લેવામાં ભૂમિકા અદા કરે છે.

કોલેસ્ટ્રોલનું લેવલ સુધરે તે કોલેસ્ટ્રોલના લેવલને પણ સંતુલિત રાખવામાં મદદ કરે છે. પિસ્તા ના કારણે ન્યુરો પ્રોટેકટિવ તત્વ જોવા મળે છે. તેની બ્રેઇનની કાર્યક્ષમતાને વધારે છે દરરોજ ચાર થી પાંચ પિસ્તાનો ઉપયોગ કરવામાં આવે તો brain function યોગ્ય રીતે કામ કરે છે. એન્ટિ-ઇન્ફ્લેમેટરી ક્રિયાથી ભરપૂર હોવાને કારણે વિસ્તાર શરીરમાં કોઈપણ જગ્યાએ થતા સોજાને દૂર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

ડાયાબિટીસથી આપશે રાહત ડાયાબિટીસની સ્થિતિમાં પણ પિસ્તા થી ઘણો ફાયદો થાય છે. જે લોકો ડાયાબિટીસથી ગ્રસ્ત છે તેમના માટે પિસ્તા ખૂબ અસરકારક હોય છે.

હાડકાને બનાવે મજબૂત હાડકાને મજબૂત કરવામાં પણ તેની ભૂમિકા રહેલી છે. પિસ્તામાં કેલ્શિયમનું પ્રમાણ રહેલું છે. તમામ પ્રકારના ડ્રાયફ્રુટની વાત કરવામાં આવે ત્યારે પિસ્તાનો ઉલ્લેખ ચોક્કસપણે કરવામાં આવે છે. આધુનિક સમયમાં ડ્રાયફ્રુટની બોલબાલા વધી રહી છે. મોટા પ્રસંગે ભેટ આપવામાં સુકામેવો અપાય છે. જે શરીર માટે તમામ રીતે ઉપયોગી થાય છે. આમ પિસ્તાનો ઉપયોગ દરરોજ કરવાથી અનેક લાભ થઈ શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">