AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits of Cumin Seeds : જાણો જીરાથી થતાં 7 ફાયદાઓ, શરદીથી લઈ રેસ્પિરેટરી સુધીની તકલીફમાં છે અતિ ગુણકારી

સ્ત્રીઓને પીરિયડ દરમિયાન ઘણી પીડા થાય છે તેના માટે જીરું ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. જીરુંમાં આવા ઘણા ગુણો છે જે આ સમસ્યાને દૂર કરે છે

Benefits of Cumin Seeds : જાણો જીરાથી થતાં 7 ફાયદાઓ, શરદીથી લઈ રેસ્પિરેટરી સુધીની તકલીફમાં છે અતિ ગુણકારી
Rahul Vegda
| Edited By: | Updated on: May 15, 2021 | 5:49 PM
Share

Benefits of Cumin Seeds : રસોડામાં જીરાનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. તે રસોડાનો એક પરંપરાગત મસાલો છે. પરંતુ શું તમે જાણો છો કે જીરું માત્ર દાળ અને શાકભાજીનો સ્વાદ વધારવાનું કામ કરે છે, પરંતુ તે ઘણી શારીરિક સમસ્યાઓ દૂર કરવામાં પણ અસરકારક છે. ચાલો જાણીએ જીરામાં ઔષધીઓના ગુણધર્મો વિશે.

1. જ્યારે લાલ રક્ત કોશિકા (RBC) ઓ શરીરમાં ઓછી થાય છે, ત્યારે આ સમસ્યાને એનિમિયા કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિના શરીરમાં લોહીનો અભાવ હોય છે અને તે ખૂબ જ થાક અને નબળાઇ અનુભવે છે. આ સ્થિતિમાં જીરુંનું સેવન ખૂબ ફાયદાકારક છે. જીરુંમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે જે લાલ રક્તકણોમાં ઝડપથી વધારો કરે છે.

2. જીરુંની અંદર કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જોવા મળે છે. જીરુંનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે, સાથે જ આર્થરાઈટિસ અને ઑસ્ટિઓપોરોસિસ જેવા રોગોથી શરીરનું રક્ષણ થાય છે.

3. જો તમને વારંવાર શરદી અથવા કફની સમસ્યા હોય છે, તો તમારે જીરાનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ. જીરુંમાં એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે આ સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.

4. ફક્ત આ જ નહીં, જીરુંનો ઉપયોગ આખી શ્વસનતંત્રને સારી સ્થિતિમાં રાખે છે. તેમાં એન્ટી કન્જેસ્ટિવ ગુણધર્મો છે જે ફેફસાંને સાફ કરવા અને શ્વસન સમસ્યાઓમાં રાહત આપવા માટે કામ કરે છે.

5. જો તમને ગેસ અને એસિડિટીની સમસ્યા હોય અથવા ભૂખ ન લાગે તો જીરું આ સમસ્યાઓને દૂર કરી શકે છે. જીરાની અંદર આવા ઘણા ઉત્સેચકો (Enzymes) જોવા મળે છે, જે પેટની સમસ્યાઓથી રાહત આપે છે.

6. જે સ્ત્રીઓને પીરિયડ દરમિયાન ઘણી પીડા થાય છે તેના માટે જીરું ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. જીરુંમાં આવા ઘણા ગુણો છે જે આ સમસ્યાને દૂર કરે છે. આ ઉપરાંત જે મહિલાઓને ડિલિવરી પછી દૂધ ઓછું હોય છે તેમને પણ જીરુંનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

7. બધા સંશોધન સૂચવે છે કે જીરું શરીરમાંથી ચરબી ઝડપથી ઘટાડવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં મેદસ્વીપણાને ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક છે. આ સિવાય જીરું ખાવાથી શરીરમાં મેટાબોલિઝમ સુધરે છે.

આ રીતે કરો પ્રયોગ આમ તો જીરાને શેકીને તેનો પાઉડર બનાવી દહી-છાશ સાથે તેનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ તેનો સંપૂર્ણ લાભ લેવા માટે, એક કપ પાણીમાં એક ચમચી જીરું 4-5 કલાક પલાળી રાખો. આ પછી, પાણીને અડધૂ થઈ જાય ત્યાં સુધી ઉકળવા દો, પછી પીવો. સવારે ખાલી પેટ જીરાનું પાણી પીવું વધારે ફાયદાકારક છે.

Follow Us
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
g clip-path="url(#clip0_868_265)">