જાણો ગરમ પાણી પીવું કેવી રીતે છે ગુણકારી ?

સવારે ખાલી પેટે હળવું ગરમ પાણી પીવું આરોગ્ય માટે ખૂબ જ લાભકારી અને ગુણકારી છે. દરેકે ઓછામાં ઓછાં પાંચ વાર ગરમ પાણી પીવું જોઈએ. અને આમ પણ કોરોનાકાળમાં તો આયુષ મંત્રાલય પણ ગરમ પાણી પીવાની સલાહ આપી છે. આમ જોવા જઈએ તો દરેક રીતે પાણી ગુણકારી છે. કારણ કે જો તમને થાક અથવા કમજોરીનો અનુભવ […]

જાણો ગરમ પાણી પીવું કેવી રીતે છે ગુણકારી ?
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 26, 2020 | 12:24 PM

સવારે ખાલી પેટે હળવું ગરમ પાણી પીવું આરોગ્ય માટે ખૂબ જ લાભકારી અને ગુણકારી છે. દરેકે ઓછામાં ઓછાં પાંચ વાર ગરમ પાણી પીવું જોઈએ. અને આમ પણ કોરોનાકાળમાં તો આયુષ મંત્રાલય પણ ગરમ પાણી પીવાની સલાહ આપી છે. આમ જોવા જઈએ તો દરેક રીતે પાણી ગુણકારી છે. કારણ કે જો તમને થાક અથવા કમજોરીનો અનુભવ થાય છે. તો તમારા માટે યોગ્ય માત્રામાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. તેનાથી તમને ફાયદો થાય છે. તો વાત કરીએ હુંફાળા ગરમ પાણીની, તો તે શરીર સાથે જોડાયેલી અનેક બીમારીઓને દૂર કરે છે. આમ તો ગરમ પાણી કોઈપણ સમયે લઈ શકાય છે, પણ જ્યારે તમે સવારે ખાલી પેટે હૂંફાળું પાણી પીશો તો તેનો શરીરને વધારે ફાયદો થાય છે.

ગરમ પાણી પેટને સાફ કરે છે : સવારે ખાલી પેટે ગરમ પાણી પીવાથી તમારું પેટ એકદમ સાફ થઈ જશે. તેનાથી તમે પૂરી રીતે એનર્જેટિક અનુભવ કરશો. અને તમારો દિવસ તણાવમુક્ત રહે છે. કારણ કે પેટની સમસ્યાઓ થી જ આપણા શરીરમાં ખૂબ જ મુશ્કેલીઓ પેદા થાય છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

ભૂખ ન લાગવાની ફરિયાદ ને પણ દૂર કરે છે : કેટલાક લોકોને ભૂખ ન લાગવાની ફરિયાદ રહે છે. આ સમસ્યા મોટાભાગે પેટ સાફ ન હોવાના કારણે થાય છે. ભૂખ ન લાગવા પર ગરમ પાણીમાં લીંબુનો રસ અને સાથે મીઠું અને કાળી મરી નાખીને પીઓ. તેનાથી તમને જરૂર ફાયદો થશે.

વજન ઘટાડવામાં પણ મદદ કરે છે : ગરમ પાણી વધતા વજનને ઘટાડવા માટે પણ રામબાણ ઉપાય છે. તેને રોજ ઉપયોગમાં લેવાથી તમે વધતા વજનથી છુટકારો મેળવી શકો છો. આ પાણીના સેવનથી વજન ઓછું કરવામાં ઘણા અંશે મદદ મળે છે.

ચહેરાની રોનક બનાવી રાખવા માટે : ગરમ પાણી પીવાથી ચહેરા પર જલ્દી કરચલી નથી પડતી અને ચહેરાની રોનક પણ હંમેશા બની રહે છે. તેના સેવનથી તમારા વાળ જલદી સફેદ થતાં અટકે છે.

થાકથી મળે છે રાહત : જો તમને કોઈ પણ કામ કર્યા પછી થાક લાગતો હોય, તો તેનાથી છુટકારો મેળવવા માટે ગરમ પાણીમાં મધ અને લીંબુ નાખીને પીવો. તેનાથી શરીરનો બધો થાક દૂર થઇ જશે અને તમને ઉર્જા મળશે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

આ પણ વાંચોઃ ઊંઘમાં બોલવાની આદતને ન કરો નજરઅંદાજ, જાણો શું હોઈ શકે છે કારણો અને ઉપાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">