AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો ગરમ પાણી પીવું કેવી રીતે છે ગુણકારી ?

સવારે ખાલી પેટે હળવું ગરમ પાણી પીવું આરોગ્ય માટે ખૂબ જ લાભકારી અને ગુણકારી છે. દરેકે ઓછામાં ઓછાં પાંચ વાર ગરમ પાણી પીવું જોઈએ. અને આમ પણ કોરોનાકાળમાં તો આયુષ મંત્રાલય પણ ગરમ પાણી પીવાની સલાહ આપી છે. આમ જોવા જઈએ તો દરેક રીતે પાણી ગુણકારી છે. કારણ કે જો તમને થાક અથવા કમજોરીનો અનુભવ […]

જાણો ગરમ પાણી પીવું કેવી રીતે છે ગુણકારી ?
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 26, 2020 | 12:24 PM
Share

સવારે ખાલી પેટે હળવું ગરમ પાણી પીવું આરોગ્ય માટે ખૂબ જ લાભકારી અને ગુણકારી છે. દરેકે ઓછામાં ઓછાં પાંચ વાર ગરમ પાણી પીવું જોઈએ. અને આમ પણ કોરોનાકાળમાં તો આયુષ મંત્રાલય પણ ગરમ પાણી પીવાની સલાહ આપી છે. આમ જોવા જઈએ તો દરેક રીતે પાણી ગુણકારી છે. કારણ કે જો તમને થાક અથવા કમજોરીનો અનુભવ થાય છે. તો તમારા માટે યોગ્ય માત્રામાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. તેનાથી તમને ફાયદો થાય છે. તો વાત કરીએ હુંફાળા ગરમ પાણીની, તો તે શરીર સાથે જોડાયેલી અનેક બીમારીઓને દૂર કરે છે. આમ તો ગરમ પાણી કોઈપણ સમયે લઈ શકાય છે, પણ જ્યારે તમે સવારે ખાલી પેટે હૂંફાળું પાણી પીશો તો તેનો શરીરને વધારે ફાયદો થાય છે.

ગરમ પાણી પેટને સાફ કરે છે : સવારે ખાલી પેટે ગરમ પાણી પીવાથી તમારું પેટ એકદમ સાફ થઈ જશે. તેનાથી તમે પૂરી રીતે એનર્જેટિક અનુભવ કરશો. અને તમારો દિવસ તણાવમુક્ત રહે છે. કારણ કે પેટની સમસ્યાઓ થી જ આપણા શરીરમાં ખૂબ જ મુશ્કેલીઓ પેદા થાય છે.

ભૂખ ન લાગવાની ફરિયાદ ને પણ દૂર કરે છે : કેટલાક લોકોને ભૂખ ન લાગવાની ફરિયાદ રહે છે. આ સમસ્યા મોટાભાગે પેટ સાફ ન હોવાના કારણે થાય છે. ભૂખ ન લાગવા પર ગરમ પાણીમાં લીંબુનો રસ અને સાથે મીઠું અને કાળી મરી નાખીને પીઓ. તેનાથી તમને જરૂર ફાયદો થશે.

વજન ઘટાડવામાં પણ મદદ કરે છે : ગરમ પાણી વધતા વજનને ઘટાડવા માટે પણ રામબાણ ઉપાય છે. તેને રોજ ઉપયોગમાં લેવાથી તમે વધતા વજનથી છુટકારો મેળવી શકો છો. આ પાણીના સેવનથી વજન ઓછું કરવામાં ઘણા અંશે મદદ મળે છે.

ચહેરાની રોનક બનાવી રાખવા માટે : ગરમ પાણી પીવાથી ચહેરા પર જલ્દી કરચલી નથી પડતી અને ચહેરાની રોનક પણ હંમેશા બની રહે છે. તેના સેવનથી તમારા વાળ જલદી સફેદ થતાં અટકે છે.

થાકથી મળે છે રાહત : જો તમને કોઈ પણ કામ કર્યા પછી થાક લાગતો હોય, તો તેનાથી છુટકારો મેળવવા માટે ગરમ પાણીમાં મધ અને લીંબુ નાખીને પીવો. તેનાથી શરીરનો બધો થાક દૂર થઇ જશે અને તમને ઉર્જા મળશે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

આ પણ વાંચોઃ ઊંઘમાં બોલવાની આદતને ન કરો નજરઅંદાજ, જાણો શું હોઈ શકે છે કારણો અને ઉપાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">