માટીના ગણેશ, ફટકડીના ગણેશ, પીઓપીના ગણેશજી. અનેક પ્રકારના ગણપતિ તમે જોયા હશે. પરંતુ ભરૂચના એક યુવક મંડળે આયુર્વેદિક ઔષધિઓમાંથી ૬૦ કિલો વજનની ગણેશ પ્રતિમા બનાવી રહ્યા છે. અજમો, લવિંગ, આમળા, તજ, જાયફળ અને સુંઠ સહિતની આયુર્વેદની ૨૧ ઔષધિઓની મદદથી ભરૂચના બળેલી ખો વિસ્તારના યુવાનો ૫ ફુટ ઊંચી અને ૬૦ કિલો વજનની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી પ્રતિમા તૈયાર કરી રહ્યા છે.
આ પણ વાંચો: ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલા અને બાળક ફસાયા, RPFના જવાને બચાવ્યો જીવ, ઘટના CCTVમાં કેદ
વાંસનું સ્ટ્રક્ચર તૈયાર કરી યુવક મંડળના સભ્યો અલગ અલગ ઔષધિઓથી ગણેશજીની પ્રતિમાને શણગાર આપી રહયા છે. આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિના વિસર્જનથી જળચરોને પણ કોઈ હાનિ પહોંચશે નહિ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 6:22 am, Sun, 25 August 19