Surat : “સ્માર્ટ સીટી “સુરત બન્યું “ખાડા સીટી” : મેયર ડેશબોર્ડ પર ફરિયાદોનો ઢગલો

શહેરના ભાગ્યે જ કોઈ માર્ગ એવા હશે જ્યાં ખાડા જોવા મળ્યા ન હોય. વરસાદ અટકી અટકીને આવતા કોર્પોરેશનને પણ રસ્તાઓના સમારકામ માટે સમય મળી નથી રહ્યો. તેમજ જે કામ થઇ રહ્યું છે તે પણ તકલાદી થયું હોવાનું સામે આવ્યું છે.

Surat : સ્માર્ટ સીટી સુરત બન્યું ખાડા સીટી : મેયર ડેશબોર્ડ પર ફરિયાદોનો ઢગલો
Widespread complaint of broken roads in Surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 4:11 PM

Surat: શહેરીજનોની ફરિયાદોનો નિકાલ લાવવા માટે સુરતના પ્રથમ નાગરિક એવા મેયર (Mayor ) હેમાલી બોઘાવાળા દ્વારા મેયર હેલ્પ ડેસ્ક (help desk ) શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ માધ્યમો થકી મળી રહેલી ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. જોકે હાલ તેમાં વધારે ફરિયાદો ચોમાસા દરમિયાન શહેરના તૂટેલા રસ્તા અને રોડ પર પડી ગયેલા ઠેર ઠેર ખાડા બાબતની છે.

મેયર દ્વારા ફરિયાદોનું રીવ્યુ કરાતા શહેરના અલગ અલગ ઝોનમાં ખાસ કરીને કતારગામ ઝોનમાં તૂટેલા રસ્તા બાબતની ફરિયાદો હજી પણ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું હતું. જેથી મેયરે અધિકારીઓનો ઉધડો લીધો હતો. અને અધિકારીઓને બોલાવીને ચાર દિવસમાં તમામ ફરિયાદોનો નિકાલ લાવવા ફરી રિપોર્ટ કરવા પણ આદેશ આપ્યો છે.

નોંધનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેને લઈને શહેરના રસ્તાઓની હાલત અત્યંત બિસમાર બની ગઈ છે. શહેરના ભાગ્યે જ કોઈ માર્ગ એવા હશે જ્યાં ખાડા જોવા મળ્યા ન હોય. વરસાદ અટકી અટકીને આવતા કોર્પોરેશનને પણ રસ્તાઓના સમારકામ માટે સમય મળી નથી રહ્યો. તેમજ જે કામ થઇ રહ્યું છે તે પણ તકલાદી થયું હોવાનું સામે આવ્યું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મેયરના આદેશ બાદ હવે અલગ અલગ ઝોનના અધિકારીઓએ રસ્તાના રિપેરિંગનું શિડ્યુલ બનાવીને તમામ રસ્તા રીપેર કરવાની કામગીરી હાથ ધરી છે. આવી જ ફરિયાદ સુરતના ટેક્ષટાઇલ માર્કેટ વિસ્તારની પણ છે. ત્યાં પણ વેપારીઓએ સુરત મહાનગરપાલિકાને પત્ર લખીને રસ્તાઓનું રીપેરીંગ કામકાજ તાકીદે હાથ ધરવા અપીલ પણ કરી છે.

વેપારીઓનું કહેવું છે કે માર્કેટ એરિયામાંથી રોજના હજારો વાહનો, માલવાહક ટેમ્પાઓ પસાર થાય છે. તેવામાં સૌથી વધારે ટેક્ષ પણ સુરત કોર્પોરેશનને વેપારીઓ તરફથી આપવામાં આવે છે. તેવામાં રસ્તાઓની બિસમાર હાલતથી અહીં ટ્રાફિક જામની પણ સમસ્યા ઉભી થઇ રહે છે.

ત્યારે હવે મેયર ડેસ્ક બોર્ડ પર પણ તૂટેલા રસ્તાઓની અસંખ્ય ફરિયાદોનો ઢગલો આવતા મેયર દ્વારા પણ હવે એક્શનમાં આવીને આ અંગે તાકીદે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. સુરતમાં લગભગ 150 કરતા પણ વધુ રસ્તાઓ બિસમાર બન્યા હોવાની ફરિયાદ સુરત મહાનગરપાલિકા પાસે આવી છે. ત્યારે જોવાનું એ રહેશે કે શહેરીજનોની ખાડા બાબતની ફરિયાદોનું નિરાકરણ ક્યારે આવે છે.

આ પણ વાંચો :

Surat : કોરોના સામે લડીને સાજા થયા બાદ બ્રેઈનડેડ થયેલ વ્યક્તિએ, ફેફસાં, કિડની, લિવર, ચક્ષુદાન કરીને છ વ્યક્તિને આપ્યુ નવજીવન

આ પણ વાંચો :

Surat : માનવતા નેવે મુકાઈ, અધૂરા માસે જન્મેલા બાળકને ત્યજીને માતા ફરાર, નવજાત બાળકનુ મોત

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">