RAJKOT : કોરોનાએ કરી માઠી દશા,દોઢ વર્ષથી બંધ પડેલા વોટરપાર્કથી 3 કરોડનું નુકસાન,પાંચ વર્ષની કમાણી ગુમાવી

|

Jul 17, 2021 | 2:19 PM

વોટરપાર્કના સંચાલક પુજારીના કહેવા પ્રમાણે પાંચ વર્ષમાં જેટલી કમાણી કરી હતી તેનો ખર્ચ બે વર્ષ વોટરપાર્કની જાળવણીમાં થયો છે.હવે 5 લાખ રૂપિયા હશે ત્યારે વોટરપાર્ક શરૂ થશે.

RAJKOT : કોરોનાએ કરી માઠી દશા,દોઢ વર્ષથી બંધ પડેલા વોટરપાર્કથી 3 કરોડનું નુકસાન,પાંચ વર્ષની કમાણી ગુમાવી
Water park on Jamnagar Road in Rajkot has been closed for two years, causing a loss of Rs 3 crore

Follow us on

RAJKOT : રાજ્ય સરકાર દ્વારા આજથી વોટરપાર્ક શરૂ કરવાની જાહેરાત કરવામાં છે. આ નિર્ણયને વોટરપાર્કના સંચાલકો આવકારી રહ્યા છે.જો કે વોટર પાર્કના સંચાલકો સરકાર દ્વારા આ નિર્ણય 15 દિવસ પહેલા લેવામાં આવ્યો હોત તો થોડો ફાયદો થાત તેવું કહેવામાં આવી રહ્યું છે .રાજકોટના જામનગર રોડ પર આવેલા વોટરપાર્કના સંચાલક પુજારીના કહેવા પ્રમાણે કોરોનાની મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી વોટરપાર્ક બંધ છે,જેના કારણે ઉનાળાની બે સિઝન વોટરપાર્ક બંધ રહ્યું છે,જેનો વોટરપાર્કના સંચાલકને ખૂબ જ મોટો આર્થિક ફટકો પડ્યો છે.

બે વર્ષમાં 3 કરોડનું નુકસાન
રાજકોટના જામનગર રોડ પર આવેલું વોટરપાર્ક બે સિઝન બંધ રહેતા 3 કરોડ રૂપિયાની નુકસાની થઇ છે.વોટરપાર્કના સંચાલક પુજારીના કહેવા પ્રમાણે પાંચ વર્ષમાં જેટલી કમાણી કરી હતી તેનો ખર્ચ બે વર્ષ વોટરપાર્કની જાળવણીમાં થયો છે.હવે 5 લાખ રૂપિયા હશે ત્યારે વોટરપાર્ક શરૂ થશે.

વોટરપાર્ક શરૂ કરવા 5 લાખની જરૂર પડશે
વોટરપાર્કના સંચાલક પુજારીના કહેવા પ્રમાણે સરકાર દ્વારા વોટરપાર્ક શરૂ કરવાની છુટ આપવામાં આવી છે.જો કે દોઢ વર્ષથી વોટરપાર્ક બંધ થવાને કારણે મેન્ટેન્સ અને કર્મચારીઓની ભરતી,સાફ સફાઇ માટે 5 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે ત્યારે વોટરપાર્ક શરૂ થશે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

ત્રીજી લહેરની આશંકાને પગલે લોકો આવશે કે કેમ તે મોટો સવાલ 
વોટરપાર્કના સંચાલક પુજારીએ કહ્યું હતુ કે રાજ્ય સરકારે શરૂ કરવાની જાહેરાત કરી છે પરંતુ ત્રીજી વેવને કારણે લોકો હજુ સાવચેતી રાખી રહ્યા છે અને કોરોનાનો ડર પણ છે ત્યારે લોકો વોટરપાર્ક આવશે કે કેમ તે પણ એક સવાલ છે.જેથી વધારે ખર્ચ ન થાય તે માટે માત્ર બુધવાર,શનિવાર અને રવિવાર ચલાવવામાં આવશે.

આ પણ વાંચો : GUJARAT : કોરોનાકાળમાં ફૂટી નીકળ્યા નકલી તબીબો, રાજ્યમાં છેલ્લા 3 માસમાં 228 બોગસ તબીબો પકડાયા

આ પણ વાંચો : RAJKOT : મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ 6 હજાર યુવાનોને રોજગાર અપાશે, કલેક્ટર-ઉદ્યોગ સેક્ટરના અધિકારીઓની બેઠક મળી 

Published On - 1:33 pm, Sat, 17 July 21

Next Article