TV9 ગુજરાતીના સિનીયર એડીટર વિકાસ ઉપાધ્યાયને ‘નચિકેત એવોર્ડ’થી સન્માનિત કરાયા

|

Oct 05, 2020 | 2:08 PM

રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલમાં લેખક નગીનદાસ સંઘવીની પ્રેરણા અને કથાકાર મોરરિબાપુના હસ્તે TV9ગુજરાતીના સિનીયર એડિટર વિકાસ ઉપાધ્યાયને નચિકેત એવોર્ડથી સન્માનિત કરાવામાં આવ્યા હતા. વિકાસ ઉપાધ્યાયની સાથે જન્મભૂમિના એડીટર કુંદન વ્યાસ, લેખક ગુણવંત શાહ અને ચિત્રલેખાના સહતંત્રી હિરેન મહેતાને પણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ પણ વાંચો: VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં ફરી નવા જૂનીના એંધાણ, વિધાનસભા […]

TV9 ગુજરાતીના સિનીયર એડીટર વિકાસ ઉપાધ્યાયને નચિકેત એવોર્ડથી સન્માનિત કરાયા

Follow us on

રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલમાં લેખક નગીનદાસ સંઘવીની પ્રેરણા અને કથાકાર મોરરિબાપુના હસ્તે TV9ગુજરાતીના સિનીયર એડિટર વિકાસ ઉપાધ્યાયને નચિકેત એવોર્ડથી સન્માનિત કરાવામાં આવ્યા હતા. વિકાસ ઉપાધ્યાયની સાથે જન્મભૂમિના એડીટર કુંદન વ્યાસ, લેખક ગુણવંત શાહ અને ચિત્રલેખાના સહતંત્રી હિરેન મહેતાને પણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં ફરી નવા જૂનીના એંધાણ, વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડશે

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

શું છે નચિકેત એવોર્ડ ?

સિનીયર લેખક પત્રકાર નગીનદાસ સંઘવીને 100 વર્ષ પૂરા થતા તેમના સ્નેહીઓ દ્રારા 11 લાખ રૂપિયા આપીને સન્માનિત કરાયા હતા જો કે નગાનદાસજીએ આ રકમ સ્વીકારવાની ના પાડી અને ગુજરાતી પત્રકાત્વ જગતના પત્રકારોને પ્રોત્સાહિત કરવાની પ્રેરણા આપી હતી જેના આધારે નચિકેત એવોર્ડ સમિતીની રચના થઇ અને આ એવોર્ડ ગુજરાતના ચાર સિનીયર પત્રકારોને આપવામાં આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ એવોર્ડને વિકાસજીએ યાદગાર અને આજીવન સ્મૃતિમય ક્ષણ ગણાવી હતી. વિકાસજીએ કહ્યુ હતુ કે પત્રકાર એક સાઘુ છે જ્યારે લોકોને રજૂઆતમાં બધે જ નિરાશા મળે ત્યારે તેઓ પત્રકારત્વને શોઘે છે, એક ચૂંટાયેલા પ્રતિનીધી કરતા ઓછી જવાબદારી પત્રકારોની નથી. મોરારિબાપુએ આ એવોર્ડને નગીનદાસ સંઘવીની પ્રેરણા અને સરસ્વતીની સાધના કરનારને સન્માનીતની ક્ષણ ગણાવી હતી. ઉર્દુ શાયરી બોલતા બાપુએ એક સારી સંગત સ્વર્ગ જેટલું સુખ આપે તેવું જણાવ્યુ હતુ અને આ સન્માનિત પત્રકારોની સંગત બેઠકને સ્વર્ગ જેવી સંગત ગણાવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

એવોર્ડ સમિતી વતી એવોર્ડ માટે નામ પસંદ કરનાર ભાગ્યેશ ઝા, ભરત ઘેલાણી, દેવેન્દ્ર પટેલ અને અજય ઉમટ પણ હાજર રહ્યા હતા. આખા કાર્યક્રમનું સંચાલન ભદ્રાયુ વચ્છરાજાનીએ કર્યુ હતુ જ્યારે કૌશિક મહેતાએ પણ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:09 am, Mon, 9 March 20

Next Article