AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vapi : સીએમના હસ્તે ખાતમુહૂર્ત કર્યાના સાત મહિના બાદ પણ રેલવે ઓવરબ્રિજની કામગીરી શૂન્ય

અધિકારીઓને (Authorities ) પૂછતાં તેઓ જણાવે છે કે ટ્રાફિકના અવરજવરની જ્યાં સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થઇ શકે ત્યાં સુધી બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરી શકાય તેમ નથી.

Vapi : સીએમના હસ્તે ખાતમુહૂર્ત કર્યાના સાત મહિના બાદ પણ રેલવે ઓવરબ્રિજની કામગીરી શૂન્ય
Vapi Railway Over bridge (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 8:52 AM
Share

વાપી, દમણ અને સેલવાસના (Selvas )અસંખ્ય વાહનચાલકો માટે ઉપયોગી બનતા વાપી (Vapi )ફ્લાયઓવર બ્રિજને તોડીને ઇમરાન નગર થી ગોલ્ડ કોઈન સુધી નવો બ્રિજ (Bridge )બનાવવા માટે સરકારે મંજૂરી આપી હતી. 141 કરોડના ખર્ચે બનનારા આ બ્રિજ માટે તારીખ 30 ઓક્ટોબર, 2021માં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુ દેસાઈએ વાપીના રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. પણ નવાઈની વાત એ છે કે સાત સાત મહિના વીતી જવા છતાં હજી સુધી સ્થળ પર આ રેલવે ઓવર બ્રિજની કોઈપણ પ્રકારની કામગીરી શરૂ થઇ શકી નથી.

રેલવેની મંજૂરી, ટ્રાફિકની વ્યવસ્થા આ બધી કામગીરી કરવામાં જ મોટાભાગનો સમય નીકળી ગયો છે. આગામી થોડા દિવસોમાં રાજ્ય સહીત દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેથી બ્રિજની કામગીરી શરૂ થાય તેવા કોઈ એંધાણ નથી. છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ બ્રિજ શરૂ કરવાની ફક્ત મોટી મોટી વાતો જ કરવામાં આવી રહી છે. વાપીના જનપ્રતિનિધિઓ દ્વારા પણ લોકોની પરેશાની દૂર કરવામાં નીરસતા બતાવવામાં આવતા લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

નોંધનીય છે કે વાપી ફ્લાય ઓવર બ્રિજ તોડવા પહેલા પીડબ્લ્યુડી, રેલવે વિભાગ અને સબંધિત વિભાગોએ વાપી ડેપોની સામે કામચલાઉ ફાટક તૈયાર કરવાની કામગીરી શરૂ તો કરી છે, પણ હજી સુધી તે કામગીરી પૂર્ણ થઇ શકી નથી. જેથી વાપી ફ્લાયઓવરબ્રિજનાં પ્રોજેક્ટની રાહ જોવાઈ રહી છે.

અધિકારીઓને પૂછતાં તેઓ જણાવે છે કે ટ્રાફિકના અવરજવરની જ્યાં સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થઇ શકે ત્યાં સુધી બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરી શકાય તેમ નથી. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરાયા બાદ પણ આટઆટલા મહિનાઓ વીતી જવા છતાં રિયલ ગ્રાઉન્ડ પર કામગીરી શૂન્ય દેખાઈ રહી છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની જ સરકાર હોવા છતાં છેલ્લા 3 વર્ષથી આ બ્રિજની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. લોકો એ પણ માંગ કરી રહ્યા છે કે ઝડપથી આ રેલવે ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવે, જેથી લોકોને પડતી મુશ્કેલીનું ઝડપથી નિવારણ આવી શકે.

Follow Us
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અનિશ્ચિત કાળ માટે હરાજી બંધ
ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અનિશ્ચિત કાળ માટે હરાજી બંધ
g clip-path="url(#clip0_868_265)">