Vadodara : આવાસ ડ્રો કૌભાંડમાં ભળ્યો રાજકીય રંગ, મળતીયાઓને મકાન ફાળવવા અધિકારીઓ પર દબાણ ?
મનપાના આવાસ ડ્રો કૌભાંડમાં હવે રાજકીય રંગ ભળ્યો છે. ભાજપના કોર્પોરેટર મનોજ પટેલ અને કલ્પેશ પટેલ દ્વારા પોતાના મળતીયાઓને મકાન ફાળવવા અધિકારીઓ પર દબાણ કરવામાં આવ્યું હોવાની ચર્ચા થઇ રહી છે.
Vadodara : શહેરમાં મનપાના આવાસ ડ્રો કૌભાંડમાં હવે રાજકીય રંગ ભળ્યો છે. ભાજપના કોર્પોરેટર મનોજ પટેલ અને કલ્પેશ પટેલ દ્વારા પોતાના મળતીયાઓને મકાન ફાળવવા અધિકારીઓ પર દબાણ કરવામાં આવ્યું હોવાની ચર્ચા થઇ રહી છે. ત્યારે આ બંને કોર્પોરેટર મીડિયા સમક્ષ આવ્યા, અને પોતાના પર લાગેલા આક્ષેપો ખોટા અને પાયાવિહોણા હોવાની સ્પષ્ટતા કરી છે. જે કોર્પોરેટરોના નામ ચર્ચામાં આવ્યા છે, તેમણે કહ્યું કે પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકોની રજૂઆત કરવી યોગ્ય છે. તેને ભલામણ ન કહી શકાય.
તો આ તરફ વોર્ડ નંબર-4ના ભાજપના કોર્પોરેટર અજિત દઢીચનો દાવો છે કે, તેમની રજૂઆત બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. અજિત દઢીચનું કહેવું છે કે, એક લાભાર્થીનું નામ ડ્રોમાં હતું, પરંતુ ફાઇનલ યાદીમાં નહોતું તેવી ફરિયાદ મળતા તેમણે સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીને જાણ કરી હતી. આ સાતે જ અજિત દઢીચે કોઇ પણ પ્રકારની ભલામણ કરી હોવાના આક્ષેપોને ફગાવ્યા.
વટવામાં તલવારો સાથે લુખ્ખાઓનો આતંક, પોલીસે 4 ને ઝડપી પાડ્યા
રાજકોટના વેજા ગામમાં મચ્છરોના ત્રાસથી યુવાનોના લગ્ન નથી થઈ રહ્યા-Video
મોડાસા: પાવન સિટીમાં ચૂંટણી બહિષ્કાર, 3 હજાર લોકોએ નોંધાવ્યો વિરોધ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખો
