Vadodara : દરજીપુરા અકસ્માતની ઘટનામાં 3 મૃતકની ઓળખ કરવી મુશ્કેલ બની, પોલીસે સઘન તપાસ હાથ ધરી

વડોદરા(Vadodara)  હાલોલ રોડ પર ગઈકાલે થયેલા ગમખ્વાર અકસ્માતમાં(Accident)  કુલ 10 લોકો મોતને ભેટ્યા છે.આ પૈકી સાત મૃતકોની ઓળખ થઈ ગઈ છે.પરંતુ એક મહિલા,એક બાળક અને એક કિશોર મળીને ત્રણ મૃતકોની ઓળખ થઈ નથી.

Vadodara : દરજીપુરા અકસ્માતની ઘટનામાં 3 મૃતકની ઓળખ કરવી મુશ્કેલ બની, પોલીસે સઘન તપાસ હાથ ધરી
Vadodara AccidentImage Credit source: File Image
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Oct 05, 2022 | 7:48 PM

વડોદરા(Vadodara)  હાલોલ રોડ પર ગઈકાલે થયેલા ગમખ્વાર અકસ્માતમાં(Accident)  કુલ 10 લોકો મોતને ભેટ્યા છે.આ પૈકી સાત મૃતકોની ઓળખ થઈ ગઈ છે.પરંતુ એક મહિલા,એક બાળક અને એક કિશોર મળીને ત્રણ મૃતકોની ઓળખ થઈ નથી.હરણી પોલીસ મથક દ્વારા આ મૃતકોની ઓળખ અને તેમના વાલી વારસોની શોધ કરવામાં આવી રહી છે.જે કોઈને આ બાબતમાં કોઈ જાણકારી હોય તો ઉપરોક્ત પોલીસ મથકને જાણ કરી સહયોગ આપવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

જેમાં મૃતકો પૈકી અંદાજે 44 વર્ષની મહિલા શ્યામવર્ણ અને મજબૂત બાંધો ધરાવે છે. એણે લીલા રંગનું બ્લાઉઝ અને દૂધિયા લીલા રંગની ચોકડીવાળી સાડી પહેરી છે. અંદાજે 10 વર્ષની ઉંમરના મૃતક બાળકે રાખોડી રંગનું ટી શર્ટ અને કાળા રંગનું જીન્સનું પેન્ટ પહેર્યા છે.એના હાથ પર પીળો દોરો બાંધેલો છે.જ્યારે અંદાજે 15 વર્ષની ઉંમરના મૃતક કિશોરે પીળા રંગનું ખમીસ અને વાદળી રંગનું જીન્સનું પેન્ટ પહેર્યા છે. આ લોકોને ઓળખનારા કે તેમના વાલી વારસો તાત્કાલિક હરણી પોલીસ મથકનો રૂબરૂ અથવા ફોન નં.૦૨૬૫- ૨૫૪૧૪૨૩/મોબ નં.૮૪૬૯૪૦૦૧૪૭ ના આધારે સંપર્ક કરે એવી વિનંતી કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના પર વ્યક્ત કર્યુ દુ:ખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અકસ્માતની ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ છે અને મૃતકોના સ્વજનો પ્રત્યે તેમની સંવેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાને મૃતકોના પરિજનોને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી બે-બે લાખ રૂપિયાની સહાય રાશિ આપવાની પણ જાહેરાત કરી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ કરી આ જાણકારી આપવામાં આવી છે. વડાપ્રધાને જણાવ્યુ કે “વડોદરા જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનામાં થયેલા 11 લોકોના મોતથી દુ:ખી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી તેવી ઈશ્વર પાસે પ્રાર્થના”

વડાપ્રધાને જણાવ્યુ કે દરેક મૃતકોના પરિજનોને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી બે-બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે વડોદરામાં મંગળવારે નેશનલ હાઈવે પર એક કંટ્રેનર ટ્રકે છકડાને ટક્કર મારી હતી જેમા 11 લોકોના મોત થયા છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">