સોખડા હરિધામમાં સ્વામી ગુણાતીત ચરણના આપઘાત મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી, સીસીટીવી કબજે લીધાં, પ્રેમસ્વરૂપ સ્વામીની થઈ શકે છે પુછપરછ

|

Apr 29, 2022 | 11:33 AM

આ કેસમાં પોલીસે બે સ્વામી સહિત પાંચ લોકોની પૂછપરછ કરી હતી. મોત કેટલા વાગે થયું જેવા અન્ય કારણો જાણવા માટે વિસેરા ફોરેન્સિક લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. વિસેરા રિપોર્ટ આવ્યા બાદ અન્ય વિગતો બહાર આવશે.

સોખડા હરિધામમાં સ્વામી ગુણાતીત ચરણના આપઘાત મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી, સીસીટીવી કબજે લીધાં, પ્રેમસ્વરૂપ સ્વામીની થઈ શકે છે પુછપરછ
Sokhada Haridham, Gunatit Swamis untimely death case

Follow us on

વડોદરા (Vadodara) ના સોખડા હરિધામ (Sokhada Haridham) માં સ્વામી ગુણાતીત ચરણે આપઘાત (suicide) કર્યો હોવાના ખુલાસા બાદ પોલીસે તપાસ તેજ કરી દીધી છે. ગુણાતીત સ્વામીએ કયા કારણોસર આપઘાત કર્યો તેની તપાસ કરવા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે વડોદરા તાલુકા પોલીસને આદેશ આપ્યા છે. જે બાદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ વેગવંતી બનાવી છે. પોલીસે (Police) સંત નિવાસના CCTV ફૂટેજની ચકાસણી શરૂ કરી છે. છેલ્લા બે દિવસના CCTVની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે પોલીસ પ્રેમસ્વરૂપ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી અને હરિધામના સંચાલકોની પૂછપરછ કરી શકે છે. ગુણાતીત ચરણ સ્વામીના રૂમની આસપાસ દેખાયેલા સંતો અને હરિભક્તોની પોલીસ પૂછપરછ કરશે.

મહત્વનું છે કે ગુણાતીત સ્વામીએ શરીરે પહેરવાના ગાતરીયાથી લટકીને સ્વામીએ આપઘાત કર્યો હતો. બુધવારે સાંજે 7.30 વાગ્યાના અરસામાં ગુણાતીત ચરણ સ્વામીએ આપઘાત કર્યો હતો. ઘટનાને 12 કલાક વીતી ગયા બાદ પ્રબોધજૂથના હરિભક્તોએ પોલીસને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. જે બાદ પોલીસ તપાસ શરૂ થઈ હતી. PSI લાંબરીયાએ કહ્યું કે સાધુના રૂમમાં ઝેડ આકારનો હુક હતો. તેમાં સાધુએ પોતાના ભગવા ગાતરિયાથી ગાળિયો બનાવ્યો હતો. ફાંસો ખાવા માટે ખુરશીતેની ઉપર ડોલ અને તેની ઉપર ઓશીકાનો સહારો લીધો હતો. સ્વામીને આપઘાત બાદ સૌપ્રથમ પ્રભુપ્રિય સ્વામીએ જોયા હતા. આ કેસમાં પોલીસે બે સ્વામી સહિત પાંચ લોકોની પૂછપરછ કરી હતી. મોત કેટલા વાગે થયું જેવા અન્ય કારણો જાણવા માટે વિસેરા ફોરેન્સિક લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. વિસેરા રિપોર્ટ આવ્યા બાદ અન્ય વિગતો બહાર આવશે.

ઘટનાની જાણ થયા બાદ પોલીસે પૂછપરછ કરતા સોખડા મંદિરના સંતોએ ગુણાતિત ચરણદાસ સાધુનું કુદરતી મોત નિપજ્યું હોવાની વાત જણાવી હતી. પરંતુ પેનલ પીએમ બાદ ગળેફાંસો ખાધો હોવાની વાત બહાર આવતા સંતો ફરી ગયા હતાં. અને પરિવારજનોની વીનંતી બાદ સાધુના આપઘાતના સમાચાર બહાર વહેતા ન થાય તે માટે પોલીસને જાણ ન કરવામાં આવી હોવાનું સોખડાના સંતોએ પોલીસના નિવેદનમાં જણાવ્યું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગળેફાંસો ખાધા હોવાના નિશાન જોયા બાદ પણ પોલીસ પીએમ રિપોર્ટની રાહ જોતી રહી હતી. રિપોર્ટમાં આપઘાત હોવાનું ખુલતા પોલીસની બે ટીમો હરિધામ મંદિર પહોચીને પંચનામું તેમજ સંતોના નિવેદનો નોંધ્યા હતા.​​​​​​​ તાલુકા પોલીસ મથકના PSI વી.જી.લાંબરીયાએ કહ્યું હતું કે, મંદિરમાં 21 નંબરના રૂમમાં ગુણાતિત ચરણદાસ સાધુ પોતાના રૂમમેટ પ્રભુપ્રિય સ્વામી સાથે રહે છે. મંદિરના સીસીટીવી ફુટેજમાં જોતા બુધવારે સાંજે 7 વાગે ગુણાતિત સ્વામી પોતાના રૂમમાં જતા દેખાય છે.. જ્યારે સાંજે 7:20 વાગ્યે પ્રભુપ્રિય સ્વામી તેમના રૂમમાં જતા દેખાય છે.


આ પણ વાંચોઃ Surat : ગ્લોબલ ટેન્ડરને પગલે શહેરના રસ્તાઓ પર હવે 450 ઈલેક્ટ્રીક બસો દોડશે

આ પણ વાંચોઃ પીપાવાવ પોર્ટ પર 24 કલાકથી ગુજરાત ATS અને DRIનું મેગા સર્ચ ઓપરેશન, સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા

Next Article