AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરાની SSG હોસ્પિટલની સિદ્ધિ , મોયા મોયા બીમારીની સર્જરી કરી બે બાળકોને જીવનદાન બક્ષ્યું

મોયા મોયાએ જ્વલ્લેજ જોવા મળતી મગજની બીમારી છે.1957માં જાપાનમાં પ્રથમ વખત આ બીમારી દેખાઈ હતી.વિશ્વમાં 1 લાખમાંથી 3 થી 5 બાળકોમાં જ આ રોગ જોવા મળે છે.ડોક્ટરોના જણાવ્યા મુજબ મોયા મોયાને કારણે મગજને લોહી પહોંચાડતી ધમનીઓ સુકાઈ જાય છે.

વડોદરાની SSG હોસ્પિટલની સિદ્ધિ , મોયા મોયા બીમારીની સર્જરી કરી બે બાળકોને જીવનદાન બક્ષ્યું
Vadodara SSG Hospital Surgery
yunus.gazi
| Edited By: | Updated on: Mar 05, 2022 | 8:52 PM
Share

વડોદરાની(Vadodara)  SSG હોસ્પિટલે(SSG Hospital)  વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. મોયા મોયા બીમારીથી (Moyamoya disease)  પીડિત બાળકો પર SSG હોસ્પિટલમાં ઇડાસ નામની સફળ સર્જરી કરવામાં આવી.ન્યુરો સર્જરીના ઇતિહાસમાં પ્રથમ વખત SSG હોસ્પિટલમાં ડોક્ટરોએ આ સર્જરી કરી બાળકોને જીવતદાન આપ્યું. ડાકોરના કાલસર ગામના 5 વર્ષીય મોહંમદ અરફાન શેખ અને મોહંમદ હુસેન પર સફળ સર્જરી કરવામાં આવી.મોયા મોયાએ જ્વલ્લેજ જોવા મળતી મગજની બીમારી છે.1957માં જાપાનમાં પ્રથમ વખત આ બીમારી દેખાઈ હતી.વિશ્વમાં 1 લાખમાંથી 3 થી 5 બાળકોમાં જ આ રોગ જોવા મળે છે.ડોક્ટરોના જણાવ્યા મુજબ મોયા મોયાને કારણે મગજને લોહી પહોંચાડતી ધમનીઓ સુકાઈ જાય છે..બાળકોમાં મુખ્યત્વે આ રોગ જોવા મળે છે અને માનસિક વિકાસ અટકી જાય છે.એટલું જ નહીં મગજમાં જતી મુખ્ય નસમાં સોજો આવી જતા લોહીનું પરિભ્રમણ અટકી જાય છે

હોસ્પિટલના તબીબોની મહેનતને  પરિવારજનો બિરદાવી

તો પરિવારજનોનું કહેવું છે કે બંને બાળકોને છેલ્લા કેટલાક વર્ષોથી લકવાની અસર થતી હતી. જેથી તેઓ અનેક હોસ્પિટલોમાં સારવાર માટે ફટક્યાં હતા પરંતુ ક્યાય યોગ્ય નિદાન થતું નોહતું. જેને લઇ તેમની ચિંતામાં વધારો થયો હતો. સર્જરી બાદ ચિંતામુક્ત બન્યાં છે.SSG હોસ્પિટલના તબીબોની મહેનતને આજે પરિવારજનો બિરદાવી રહ્યાં છે.

 સફળ સર્જરી સયાજીના ન્યૂરો સર્જરી વિભાગે કરી

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પીટલમાં પહેલીવાર અને કદાચ વડોદરાની કોઈ હોસ્પિટલમાં હજુ સુધી નથી થઈ તેવી ઇડાસ સર્જરી કરીને અત્યંત જૂજ ગણાતા મોયા મોયા રોગમાંથી બે બાળ દર્દીઓને રાહત અપાવી છે. આ અમારું ટીમ વર્ક છે અને તેની સાથે જોડાયેલા તમામ વિભાગો અભિનંદનને પાત્ર છે એવી લાગણી વ્યક્ત કરતાં સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે આ રોગનું સચોટ નિદાન અને સફળ સર્જરી સયાજીના ન્યૂરો સર્જરી વિભાગે કરી છે.

તેમને આ જટિલ રોગની સારવારમાં બાળ રોગ વિભાગ, એનેસ્થેસિયા વિભાગ સહિત વિવિધ વિભાગોના તબીબો તેમજ નર્સિંગ અને અન્ય સ્ટાફનો ખૂબ સહયોગ મળ્યો છે.આ કેસ ની સારવાર સયાજી હોસ્પિટલના ટીમ વર્કનું ઉદાહરણ છે.હું સૌને આ સિદ્ધિ માટે ધન્યવાદ આપું છું.

સર્જરી 5  કલાકથી પણ લાંબી ચાલી

સારવાર ટીમના સદસ્ય અને ન્યુરો સર્જન ડો.પાર્થ મોદીએ જણાવ્યું કે ધારાસભ્ય યોગેશભાઈ પટેલે તેમના અનુદાન માંથી અમારા વિભાગને ખૂબ અદ્યતન ન્યુરો સર્જીકલ  ઓપરેટિંગ માઇક્રોસ્કોપ આપ્યું છે. રૂ.47 લાખની કિંમતના આ તબીબી ઉપકરણથી આ ખૂબ જ જટિલ અને લાંબી સર્જરી ખૂબ સારી રીતે થઈ શકી છે.આ સર્જરી 5  કલાકથી પણ લાંબી ચાલે છે. કદાચ આ ઉપકરણ વગર આ સર્જરી થઈ શકી ન હોત.

આ પણ વાંચો : ગુજરાતના વાતાવરણમાં આવશે ફરી પલટો, હવામાન વિભાગે કરી આ આગાહી

આ પણ વાંચો : Surat: કાપડની દુકાનમાંથી 2.20 લાખ રૂપિયાની ચોરી કરનાર બે આરોપી પકડાયા, 71 હજારની મત્તા કબજે કરાઈ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">