અમદાવાદ એરપોર્ટના રન-વે પરથી વાંદરાને દૂર રાખવા રીંછના કોસ્ચ્યૂમમાં ઉભા રખાશે માણસો
અમદાવાર એરપોર્ટના રન-વે પર વાંદરાના વધતા ત્રાસને ઓછો કરવા અમદાવાદ એરપોર્ટ ઓથોરીટી દ્વારા એક નવો પ્રયોગ હાથ ધરાશે. નવા પ્રયોગના ભાગરૂપે એરપોર્ટના કર્મચારીને રીંછનો પહેરવેશ પહેરાવી રનવે પાસે ઉભો રાખાશે. આ પ્રયોગથી રન-વેથી વાંદરાઓને દૂર રાખવા કરાયો છે. એરપોર્ટ ઓથોરિટીનો આ નવો પ્રયોગ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ પણ વાંચોઃ PM મોદીના સુરક્ષા ઘેરામાં […]
અમદાવાર એરપોર્ટના રન-વે પર વાંદરાના વધતા ત્રાસને ઓછો કરવા અમદાવાદ એરપોર્ટ ઓથોરીટી દ્વારા એક નવો પ્રયોગ હાથ ધરાશે. નવા પ્રયોગના ભાગરૂપે એરપોર્ટના કર્મચારીને રીંછનો પહેરવેશ પહેરાવી રનવે પાસે ઉભો રાખાશે. આ પ્રયોગથી રન-વેથી વાંદરાઓને દૂર રાખવા કરાયો છે. એરપોર્ટ ઓથોરિટીનો આ નવો પ્રયોગ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચોઃ PM મોદીના સુરક્ષા ઘેરામાં ઘૂસવાની યુવાન દ્વારા કોશિશ, ઉત્તર પ્રદેશમાં સભા બાદની ઘટના
અમદાવાદ એરપોર્ટના રન-વે પર વાંદરાનો ત્રાસ દિવસેને દિવસે વઘી રહ્યો છે. ત્યારે આ ત્રાસને ઓછો કરવા એરપોર્ટ ઓથોરિટી દ્વારા રિંછનું એક કોસ્ચ્યુમ વસાવવામાં આવ્યું છે. જે એરપોર્ટના કર્મચારીને પહેરાવીને રન-વે પર તૈનાત કરવામાં આવશે. અત્યાર સુધી રન-વે પર વાંદરાઓને ભગાડવા માટે શોટગન તેમજ ગિલોલનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ તેનાથી યોગ્ય સફળતા ન મળતા એરપોર્ટ ઓથોરિટીએ આ નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
પ્રાયોગીક ધોરણે આ તુક્કાથી સફળતા મળી રહી છે. પ્રાયોગિક ધોરણે 19 હજાર રૂપિયાના ખર્ચે રીંછનું કોસ્ચ્યુમ વસાવ્યું છે. આ કોસ્ચ્યુમને પહેરાવ્યા બાદ રન વે પર વાંદરાઓ કોસ્ચ્યુમ પહેરેલ વ્યક્તિને જોઈને ભાગતા નજરે પડ્યા. જેનાથી અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ આવનારા દિવસોમાં આવા વધુ 5 કોસ્ચ્યુમ વસાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ એરપોર્ટના રન-વે પર અલગ અલગ જગ્યા પર આવા કોસ્ચ્યુમ પહેરીને એરપોર્ટ કર્મીઓને ઉભા રાખવામાં આવશે. જેનાથી રન-વે નજીક આવતા વાંદરાને દૂર રાખી શકાય.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો