AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાંથી ‘આપ’ પાર્ટીનો એકડો ભૂસાઈ જવાની સ્થિતિનું સર્જન, વધુ 2 ધારાસભ્ય આપી શકે છે રાજીનામુ- સૂત્ર

AAPના વધુ 2 ધારાસભ્યો રાજીનામુ આપે તેવી શક્યતા જોવા મળી રહી છે. બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ગારીયાધારના AAPના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ રાજીનામુ આપે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

ગુજરાતમાંથી 'આપ' પાર્ટીનો એકડો ભૂસાઈ જવાની સ્થિતિનું સર્જન, વધુ 2 ધારાસભ્ય આપી શકે છે રાજીનામુ- સૂત્ર
Kinjal Mishra
| Edited By: | Updated on: Dec 13, 2023 | 12:09 PM
Share

ગાંધીનગર: ભૂપત ભાયાણી પછી ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો પડી શકે છે. AAPના વધુ 2 ધારાસભ્યો રાજીનામુ આપે તેવી શક્યતા જોવા મળી રહી છે. બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ગારીયાધારના AAPના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ રાજીનામુ આપે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

આમ આદમી પાર્ટીને એક પછી એક ઝટકા !

ભાજપ એક પછી એક આમ આદમી પાર્ટીને ઝટકો આપી રહ્યુ છે. આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભા ચૂંટણી લડેલા ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધુ છે. તેમણે ટુંક સમયમાં ભાજપમાં જોડાવાની જાહેરાત પણ કરી છે. ત્યારે આમ આદમી પાર્ટીના વધુ બે ધારાસભ્યો રાજીનામું આપે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે.

ભાજપ કરી રહ્યુ છે ‘આપ’માં ભંગાણ ?

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ચૂંટણી પહેલા આપના વધુ બે ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની માહિતી ચર્ચાઇ રહી છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ જાણે આમ આદમી પાર્ટીનો સફાયો કરવા જઇ રહી હોય તેવુ જોવા મળી રહ્યુ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કુલ પાંચ ધારાસભ્યો હતા.જેમાંથી એક ધારાસભ્યે રાજીનામું આપી દીધુ છે. હવે માત્ર ચાર AAP ધારાસભ્ય રહ્યા છે.

ચાર ધારાસભ્યો પૈકી બે ધારાસભ્યો રાજીનામું આપે તેવી સૂત્રોની માહિતી છે. આ એ જ બે ધારાસભ્યો હોવાની ચર્ચા છે કે જે પહેલા ભાજપ સાથે જોડાયેલા હતા. તેમણે ચૂંટણીમાં ટિકિટ પણ માગી હતી.જો કે તેમને ટિકિટ મળી ન હતી.જો કે બાદમાં આપમાં જોડાયા બાદ પણ તે ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા છે.  અત્યાર સુધી કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં આવતા જોવા મળતા હતા, જો કે આ વખતે આમ આદમી પાર્ટીમાં ભંગાણ જોવા મળી રહ્યુ છે.

ધારાસભ્ય સુધીર વાઘાણીએ અટકળોને ખોટી ગણાવી

જો કે બીજી તરફ AAPના ધારાસભ્ય સુધીર વાઘાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામાની ચર્ચાને ફગાવી દીધી છે. TV9 ગુજરાતી સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યુ હતુ કે હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનો નથી. આ અટકળો પાયા વિહોણી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">