અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પાસે BRTS બસે અકસ્માત સર્જયો હતો અને ત્યારે પત્રકાર પરિષદમાં અમદાવાદના મેયર હસી રહ્યાં હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ બાજુ બે વ્યક્તિઓના મોત થયા હતા અને તેઓ હસી રહ્યાં હતા. શું આવી રીતે બે વ્યક્તિઓના મોત પર દુખ જતાવવું જોઈએ? આવા પ્રશ્નો આપણા નેતાઓ પર ઉભા થાય છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની બીઆરટીએસ બસે બાઈકને ટક્કર મારી અને તેમાં 2 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. મૃત્યુ પામનારા સગા ભાઈઓ હોવાની જાણકારી મળી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો