VIDEO: ગાંધીનગરમાં આદિવાસી સમાજના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેઠેલા આદિવાસીઓએ સરકારને અલ્ટીમેટમ આપી દીધુ છે. 26 ફેબ્રુઆરી સુધીમાં આદિવાસી સમાજના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો 14 આદિવાસી જિલ્લામાંથી હજારો લોકો વિધાનસભાનો ઘેરાવ કરશે. સરકારમાંથી કોઈને વિધાનસભામાં ઘૂસવા નહીં દે અને જો વિધાનસભામાં હશે તો કોઈને બહાર આવવા દેવામાં નહીં આવે. આ પણ વાંચો: VIDEO: અમદાવાદના ધોળકા […]
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેઠેલા આદિવાસીઓએ સરકારને અલ્ટીમેટમ આપી દીધુ છે. 26 ફેબ્રુઆરી સુધીમાં આદિવાસી સમાજના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો 14 આદિવાસી જિલ્લામાંથી હજારો લોકો વિધાનસભાનો ઘેરાવ કરશે. સરકારમાંથી કોઈને વિધાનસભામાં ઘૂસવા નહીં દે અને જો વિધાનસભામાં હશે તો કોઈને બહાર આવવા દેવામાં નહીં આવે.
આ પણ વાંચો: VIDEO: અમદાવાદના ધોળકા નજીક હોજની દિવાલ ધરાશાયી, 2ના મોત અને 3 ઈજાગ્રસ્ત
આદિવાસી સમાજનું કહેવું છે કે જે પ્રકારે 1985માં આદિવાસીઓએ આંદોલન કર્યું હતું તેવા દ્રશ્યો ફરીથી જોવા મળશે. ગાંધીનગરના રસ્તા આદિવાસીઓથી છલકાઈ જશે. મહત્વનું છે કે ખોટા આદિવાસી બની બેઠેલા લોકોના પ્રમાણપત્રો રદ કરવા અને ખોટા આદિવાસીઓની કરાયેલી નિમણૂકો રદ કરીને સાચા આદિવાસીઓને ન્યાય આપવા માટે છેલ્લા કેટલાય દિવસથી આદિવાસી સમાજ આંદોલન કરી રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો