AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surendranagar ના સાયલા ગામમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર, થોરીયાળી ડેમ તળીયા ઝાટક

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા ગામ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટુ ગામ અને તાલુકા મથક છે. ત્યારે 20 હજારથી વસ્તી ધરાવતા સાયલા ગામમાં ઉનાળાના પ્રારંભે જ પાણીના પોકાર ઉઠ્યા છે. ગામને પાણી પુરૂ પાડતો થોરીયાળી ડેમ બે મહિના પહેલ જ તળીયાઝાટક થઇ ગયો છે..જેનાં કારણે હાલ પંચાયત દ્વારા આસપાસની ખાણોમાંથી અને બોર દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે.

Surendranagar ના સાયલા ગામમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર, થોરીયાળી ડેમ તળીયા ઝાટક
Sayla Village Water
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2023 | 12:03 PM
Share

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા ગામ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટુ ગામ અને તાલુકા મથક છે. ત્યારે 20 હજારથી વસ્તી ધરાવતા સાયલા ગામમાં ઉનાળાના પ્રારંભે જ પાણીના પોકાર ઉઠ્યા છે. ગામને પાણી પુરૂ પાડતો થોરીયાળી ડેમ બે મહિના પહેલ જ તળીયાઝાટક થઇ ગયો છે..જેનાં કારણે હાલ પંચાયત દ્વારા આસપાસની ખાણોમાંથી અને બોર દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે..જેના કારણે મહિનામાં માંડ બે કે ત્રણ વાર પાણી મળે છે..જેના કારણે લોકોને મોટી માત્રામાં પાણીનો સંગ્રહ કરવો પડે છે.

થોરીયાળી ડેમ બે માસ પહેલા જ ખાલી થઇ ગયો

સુરેન્દ્રનગર જિલ્લામાં નેશનલ હાઇવે પર આવેલ સાયલા ગામ તાલુકા મથક છે.પરંતુ તાલુકામથક જેવી કોઇ પણ સુવિધાઓ ન મળતી હોવાની લોકોની ફરીયાદ ઉઠી રહી છે. હજી તો ઉનાળાની શરૂઆત થઇ છે.. ત્યારે સાયલા ગામમાં પાણીના પોકાર ઉઠ્યા છે. સાયલા ગામની જનતાને પાણી પુરૂ પાડતો એકમાત્ર થોરીયાળી ડેમ બે માસ પહેલા જ ખાલી થઇ ગયો છે.

સાયલા ગામમાં  મહિનામાં માંડ બે કે ત્રણ વાર પાણી મળે છે

જેના કારણે હાલ ગ્રામ પંચાયત દ્વારા શહેરની આસપાસ આવેલી ખાણોમાંથી પમ્પિંગ કરી તેમજ બોરનું પાણી વિતરણ કરવામાં આવે છે. આ પાણીનો સ્ટોક પણ મર્યાદિત હોવાના કારણે હાલ સાયલા ગામમાં દર 10 કે 12દિવસે એટલે કે મહિનામાં માંડ બે કે ત્રણ વાર પાણી મળે છે.

લોકો પાણી વેચાતુ લેવા મજબુર

જેના કારણે લોકોને પાણીનો સંગ્રહ પણ મોટી માત્રામાં કરવાની નોબત આવે છે. તેમ છતાં પુરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાની ફરીયાદ રહે છે. કારણ કે એક પરિવારમાં પાંચ સભ્યોને 15 દિવસ સુધી ચાલે તેટલુ પાણી ક્યાંથી સંગ્રાહ કરી શકે. મોટી ટાંકીઆેમાં પાણી સંગ્રહ કરવા છતાં લોકોને પુરતુ પાણી ન મળતાં અંતે લોકો  પાણી વેચાતુ લેવા મજબુર બને છે.

પંચાયત દ્વારા પાણી પુરવઠા વિભાગ સહિતના તંત્રમાં અનેકવાર લેખિત રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી અને 20  હજારથી વધુ લોકો માટે પાણીની રજૂઆત તંત્રના બહેરા કાને અથડાઇને પાછી ફરતી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ

હજી ઉનાળાના ત્રણ મહિના અને જો ચોમાસુ ખેંચાય તો સાયલામાં પાણી માટે બેડાયુધ્ધના દ્રશ્યો સર્જાય તો પણ નવાઇ નહી. 20 હજારથી વધુ વસ્તીને પાણી માટે રઝળપાટ કરવાની નોબત આવે તે પહેલા તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.

(With Input, Sajid Belim ,Surendranagar) 

Follow Us
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">