SURENDRANAGAR : લીંબડી-રાણપુર રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત
આ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, જયારે એક મહિલા બાળકો સહિત 5 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
SURENDRANAGAR : સુરેન્દ્રનગરમાં કાર અને બાઇક વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી-રાણપુર રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, જયારે એક મહિલા બાળકો સહિત 5 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા લીંબડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
તો આજે રાજકોટમાં સર્જાયેલા અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. ગોંડલમાં એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં છે અને 2 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત ભોજપરા અને બિલિયાળા નજીક સર્જાયો હતો. આ સમગ્ર ઘટનામાં રાજકોટથી ગોંડલ જતી કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો.
જો કે આ અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાના પોસ્ટ મોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારમાં શોક છવાયો છે. જયારે આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : મંજૂરી વગર વૃક્ષો કેમ કાપ્યા ? : વેરાવળમાં 1200 વૃક્ષોના નિકંદન મામલે હાઈકોર્ટે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી
આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર : કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન સામે સરકાર ટૂંક સમયમાં સહાયની જાહેરાત કરે તેવી શકયતા